વિષયઃ- અધિકારીશ્રી/કર્મચારીશ્રેઓની રજાઓ રદ કરવા તથા હેડ ક્વાટર ન છોડવા બાબત.
પરિપત્રઃ-
હાલમાં સરહદ પરની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા માન. અગ્ર સચિવશ્રી, (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ સુચના મુજબ બનાસકાંઠા, કચ્છ-ભુજ, પાટણ, અને જામનગર જિલ્લામાં કાર્યરત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની મંજૂર કરેલ તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી તાત્કાલિક ફરજ પર હાજર કરાવવા આથી, કચેરીઓના વડાને જણાવવામાં આવે છે.
વધુમાં, ઉક્ત તાકીદની પરિસ્થિતિમાં જો ઉપરોક્ત દર્શાવેલ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની કામગીરીની જરૂરિયાત કોઈ પણ સમયે રહેતી હોય, અત્રેથી અન્ય કોઈ સુચના ન થાય ત્યાં સુધી જિલ્લાના કોઈ પણ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ જાહેર રજાના દિવસો દરમિયાન કે ચાલુ દિવસોમાં હેડ-ક્વાટર ન છોડવા તથા કોઈ પણ પ્રકારની રજા ન મુકવા અને મંજૂર ન કરવા આથી, તમામ કચેરીના વડાઓને આથી જણાવવામાં આવે છે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત