નિવૃત્ત/મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવા બાબત.
સરકારશ્રીના નાણાં વિભાગના તા. ૧૫/૧૦/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક: PGR-102016-7-Pay Cell થી થયેલ ઠરાવ અન્વયે કેન્દ્રિય સાતમાં પગારપંચની ભલામણો તથા કેન્દ્ર સરકારશ્રીના તા. ૨૫/૦૭/૨૦૧૬ ના ઠરાવ અને જાહેરનામાંને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રી દ્વારા સાતમાં પગારપંચના પગાર સુધારણા અન્વયે તા. ૦૧/૦૧/૨૦૧૬ કે ત્યારબાદ નિવૃત્ત થયેલ/અવસાન પામેલ કર્મચારીશ્રીઓને પેન્શન બાંધણી/સુધારણા કે અન્ય નિવૃત્તિ લાભો અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે.
સદરહું ઠરાવના પેરા – ૬ માં ” નિવૃત્ત/મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી” ની જોગવાઈ કરવામાં આવેલ છે. જેના ક્લોઝ (૨) માં નીચે મુજબ જણાવેલ છે: “ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહતમ મર્યાદા ૨૦.૦૦ લાખ રહેશે. ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) ના નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮૧ તથા નાણાં વિભાગનાતા. ૧૩/૦૪/૨૦૦૯ ના ઠરાવની જોગવાઈઓ ઉક્ત ઠરાવની જોગવાઈઓ મુજબ વિસ્તરેલી રહેશે.
” પરંતુ સરકારશ્રીના નાણાં વિભાગના તા. ૩૦/૧૧/૨૦૨૪ ના ઠરાવ ક્રમાંક: પગર/૧૦૨૦૧૬ /ઓ-૪૬૧/પગાર એકમ (પી) ના ઠરાવથી, ભારત સરકારશ્રીના તા. ૩૦/૦૫/૨૦૨૪ ના ઓફીસ મેમોરેન્ડમથી સાતમાં કેન્દ્રિય પગારપંચની ભલામણો અન્વયે તા. ૦૧/૦૧/૨૦૨૪ થી નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫% નો વધારો કરીને રૂ!. ૨૫.૦૦ લાખ કરેલ છે. વધુમાં, સરકારશ્રીના નાણાં વિભાગના તા. ૧૫/૧૦/૨૦૧૬ ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રાખેલ છે.
જેથી અત્રેની કચેરી હસ્તકની બિન સરકારી અનુદાનિત કોલેજો (તમામ), ગ્રામ વિદ્યાપીઠો & સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના જી.પી.એફ. યોજનામાં સમાવિષ્ઠ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીશ્રીઓ કે જેઓ તા. ૦૧/૦૧/૨૦૨૪ કે ત્યારબાદ નિવૃત્ત/અવસાન પામેલ હોય અને જેઓને રૂ. ૨૦.૦૦ લાખ ગ્રેજ્યુઈટી મળેલ હોય અને તેઓને ૨૫.૦૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઈટી મળવાપાત્ર થતી હોય તો તેઓની નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદા રૂ!. ૨૦.૦૦ લાખથી વધારીને રૂ!. ૨૫.૦૦ લાખ મુજબ મંજૂર કરવા આ સાથે સામેલ ચેકલીસ્ટ મુજબની દરખાસ્ત તૈયાર કરી અત્રેની પેન્શન શાખા ખાતે રજૂ કરવા આથી જણાવવામાં આવે છે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત