શૈક્ષિક સંઘે આચારસંહિતાના પગલે ભરતી પ્રક્રિયા અટકે નહીં તે માટે માગ કરી
શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ પંચને રજૂઆત કરી છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી આચારસંહિતાના પગલે ભરતી પ્રક્રિયાને અસર ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારને ફાળવાયેલી નિમણૂક આપવા તથા ઉમેદવારોને શાળામાં હાજર થવાની ભરતી સંલગ્ન તમામ પ્રકારની પ્રક્રિયા ચાલુ રાખવા મંજૂરી આપવા માટે માગણી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યની સરકારી તથા અનુદાનિત શાળાઓમાં વિદ્યાસહાયક તથાશિક્ષણ સહાયકની જગ્યાઓ માટેની જાહેરાત ઓગસ્ટ 2024ની આસપાસ
લાંબા સમય પહેલા આપવામાં આવી ચૂકી છે, અને વર્તમાનમાં તેમની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થવાના કારણે ચૂંટણી છે. આ બાબતને લઈને ભરતી પ્રક્રિયા અસર થવાની શક્યતા છે. ખાસ કરીને આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે મેરિટ તથા સિનિયોરિટીના આધાર પર પારદર્શક રીતે ચલાવવામાં આવે છે અને આ પ્રક્રિયાને શરૂ થયાને પણ ખૂબ જ લાંબો સમય વિતી ગયો છે. આમ, જો ચૂંટણી આચારસંહિતાના પગલે ભરતી અટકાવવામાં આવે તો હજુ પણ વિલંબ થવાની શક્યતા છે અને સ્કૂલો શરૂ થયા બાદ તમામ સ્કૂલોને પૂરતો શિક્ષકો મળવામાં મુશ્કેલી થશે.
25 હજાર જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. શાળાઓમાં શિક્ષકની નિમણૂક વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય માટે અત્યંત આવશ્યક છે. આ વર્ષનું સત્ર શરૂ થાય ત્યાં પ્રક્રિયા પૂર્ણ થાય તે ખૂબ જરૂરી છે. ભરતી પ્રક્રિયા પહેલેથી જ શરૂ થયેલી હોવાથી તથા ક્રમિક જાહેરાત અન્વયે આવેલી જાહેરાતની ફેબ્રુઆરી 2024માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા વખતે આચાર્ય તથા જૂના શિક્ષકની ભરતી ચાલુ રાખવા ચૂંટણી પંચ દ્વારા મંજૂરી મળી હતી. જેથી લાખો ઉમેદવારોના હિતમાં સહાનુભૂતિપૂર્વક વિચાર કરી, માગણી અનુસાર ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા મંજૂરી આપવા માટે શૈક્ષિક સંઘ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 પછી
પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવા આદેશ
સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના , ૧૦ લાખ સુધીની સારવાર
પ્રવેશોત્સવ બાબત ના સમાચાર પ્રવેશોત્સવ પાછો ફેલાય તેવી સંભાવના
ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી અપાશે
પ્રવેશોત્સવ બાબતે આજના મહત્વના સમાચાર
P.T.C. ( D.El.Ed.) પ્રથમ વર્ષ અંગેની જાહેરાત: વર્ષ – ૨૦૨૫-૨૬
આજના તમામ મહત્વના શૈક્ષણિક સમાચાર 29/05/2025