ગુજરાતી સાહિત્યની સુપ્રસિદ્ધ પંક્તિઓ
-
“ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે”. – મણીલાલ ત્રિવેદી
-
“ કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવે” – ઉમાશંકર જોશી
-
“ જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે જ પહોચે”- નરસિંહ મહેતા
-
“ હું માનવી માનવ થાઉં તો ઘણું.”- સુંદરમ્
-
“ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી , ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”- ખબરદાર
-
“ ચલમન મુંબઈનગરી , જોવા પુચ્છ વિનાની મગરી”.- નિરંજન ભગત
-
“ પ્રિયે ! સ્પર્શ કરું હું ? અધિકાર જરા નથી ”- કાન્ત
-
“ સૌન્દર્યો પામતા પહેલા સૌદર્ય બનવું પડે.”- કલાપી
-
“ ભોમિયા વિના મારે ભણવા’તા ડુંગરા ”- ઉમાશંકર જોશી
-
“ શમેના વેરથી વેર, ટળેના પાપ પાપથી “- સ્નેહરશ્મિ
-
“ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”- કલાપી
-
“ મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો.”- નરસિંહરાવ દિવેટિયા
-
“ જનની જોડ સખી નહી જડે રે લોલ”- કવિ બોટાદકર
-
“ વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી, પશુ છે,પંખી છે વનોની છે વનસ્પતિ ”- ઉમાશંકર જોશી
-
“ ગુજારે જે શિરે તારે ,જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારુએ અતિ પ્યારૂં ગણે લેજે”- બાલાશંકર કંથારિયા
-
“પરથમ પ્રણામ મારા માતાજીને કહેજો”– રા.વિ.પાઠક
-
“છેલ્લો કટોરો આ ઝેરનો પી જાજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ”- ઝવેરચંદ મેઘાણી
-
“ હરિનો મારગ છે, શૂરાનો નહિ કાયરનું કામ જોને ”- પ્રિતમદાસ
-
“ મેરૂ તો ડગે રે જેના મનનો ડગે, મારને ભાંગી રે પડે ભરમાંડ રે ”- ગંગાસતી
-
“ આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,આજ સૌરભ ભરી રાત સારી ”- પ્રહલાદ પારેખ
-
“ જાગને જીવડાં, ગાની ટુ ગીતડાં બ્રહ્મ કેરાં”- નર્મદ
-
“ વૈષ્ણવજનતો તેને રે કહીએ જે પીળ પરાઈ જાણે રે”- નરસિંહ મહેતા
-
“ ભાષાને શું વળગે ભૂર ? જે રણમાં જીતે તે શૂર ”- અખો
-
“ રામ રમકડું જડિયુંરે રાણાજી મને રામ રમકડું જડિયું ”- મીરાબાઈ
-
“ એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. ”- અખો
-
“ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા”- રાવજી પટેલ
-
“ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની ”- કવિ કલાપી
-
“ યા હોમ કરીને પડો,ફતેહ છે આગે ”- નર્મદ
-
“ ઘટમાં ઘોડા થનગને , આતમ વીંઝે પાંખ,અણ દીઠેલી ભોમ પર , યૌવનમાંડે આંખ”-ઝવેરચંદ મેઘાણી
-
“ સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની,જય જય ગરવી ગુજરાત ”- રમેશ ગુપ્તા
-
“ જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત ”- કવિ નર્મદ
-
“ જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલી થાજો ”- કરસનદાસ માણેક
-
“ હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી”- સુન્દરમ
-
“ પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળો ”- નરસિહરાવ દિવેટિયા
-
“ ખોબો ભરીને અમે એટલું હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા”- જગદીશ જોશી
-
“ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપનો પૂનમનો પાગલ એકલો રે”- વેણીભાઈ પુરોહિત
-
“ વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી”- ઉમાશંકર જોશી
-
“ અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા ”- ન્હાનાલાલ
-
“ આટલાં ફૂલો નીચે ને આટલાં લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો ”- હરીન્દ્ર દવે
-
“ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે ”- ઝવેરચંદ મેઘાણી
-
“ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળા,ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ ”- સ્નેહરશ્મિ
-
“ માનવ ન થઇ શક્યો તો એ ઈશ્વર બની ગયો, જે કઈ બની ગયો એ બરાબર બની ગયો ”- ‘ આદીલ’ મનસુરી
-
“ જગતના સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી” – સુન્દરમ
-
“ કશું જ મારા હાથમાં નથી, મારા હાથ પણ મારા હાથમાં નથી ”- લાભશંકર ઠાકર
-
“ માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે, માણસ પુસ્તકોથી ખવાઈ ગયો છે, માણસ ઈચ્છાઓથી ખવાઈ ગયો છે. ”- લાભશંકર ઠાકર
-
“ સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક જ માનવી કાં ગુલામ ? ”- ઉમાશંકર જોશી
-
“ ભૂલો ભલે બીજું બધું, મા-બાપનેભૂલશો નહીં,અગણિત છે ઉપકાર એના એહ વિસરશો ”- પુનીત મહારાજ
-
“ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહિ પહેરૂં ”- કવિ પ્રેમાનંદ
-
“ મને એ જોઇને હસવું હજારોવાર આવે છે,પ્રભુ તારાં બનાવેલા આજે તને બનાવે છે”- હરજી લવજી દામાણી ‘ શયદા’
-
“ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- અરદેસર ખબરદાર
-
“ ભલું થયું ભાંગી જંજાળ,સુખે ભજીશું શ્રીગોપાળ”- નરસિહ મહેતા
-
“મળતાં મળી ગઈ મોઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે….”- ઉમાશંકર જોશી
-
“ કલા છે ભોજયમીઠી તે ભોક્તા વિણ કલા નહિ” – કલાપી
-
“ જળ કમળ છોડી જા રે બાળા …”- નરસિંહ મહેતા
-
“ આજની ઘડી રળીયામણી રે …….”- નરસિંહ મહેતા
-
“ અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ?” – સુન્દરમ
-
“ એક જ દે ચિનગારી, મહાનલ !” – હરિહર ભટ્ટ
-
“ જીગરનો યાર જુદો તો બધી સંસાર જુદો છે, બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે” – બાલાશંકર કંથારિયા
-
“ દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી” – ગની દહીવાલા
-
“ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે” – આદીલ મન્સૂરી
-
“ તમારા અહી આજ પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઇ ગઈ છે” – ગનીદહીવાલા
-
“સિંહને શાસ્ત્ર શા? વીરને મૃત્યુ શા?” – નાનાલાલ
-
“ પૃથ્વી સમું નહિ બેસણું, આભ સમું નહિ છત્ર” – ઉશનસ
-
“પ્રેમને કારણો સાથે સંબંધ નથી” – કલાપી
-
“ ઘડિયાળના કાંટા પર હાફ્યાં કરે સમય” – મનોજ ખંડેરિયા
-
“એ સોળ વરસની છોરી સરવરિયેથી જલ ભરતી તોય એની મટકી રહેતી કોરી” – પ્રિયકાંત મણિયાર
-
“ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં” – હરીન્દ્ર દવે
-
“ કદાચ કાલે હું નહિ હોઉં…કાલે સુરજ ઉગે તો કહેજો…” – સુરેશ જોશી
-
“ પકડો કલામને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને” – મનોજ ખંડેરિયા
-
“ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ બહુ દઈ દીધું નાથ ! ચોથું નથી માંગવું” –ઉમાશંકર જોશી
ગુજરાતી સાહિત્યની જાણીતી પંક્તિઓ અને તેના કવિ
1). જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત : કવિ ખબરદાર
2). જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત : કવિ નર્મદ
3). યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. : કવિ નર્મદ
4). ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી અને ઓટ છે, ઓટ પછી જુવાળ. : સ્નેહરશ્મિ
5). સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ, યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાત : રમેશ ગુપ્તા
6). હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. : કવિ કલાપી
7). જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની : કવિ કલાપી
8). સૌદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે, સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે : કલાપી
9). સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક જ માનવી કાં ગુલામ ? : ઉમાશંકર જોશી
10). વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી : ઉમાશંકર જોશી
11). વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. : નરસિંહ મહેતા
12). મંગલ મંદિર ખોલો, દયામય મંડલ મંદિર ખોલો : નરસિંહરાવ દિવેટિયા
13). પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ : નરસિંહરાવ દિવેટિયા
14). ભાષાને શું વળગે ભૂર ? જે રણમાં જીતે તે શૂર. : અખો
15). એક મૂરખને એવિ ટેવ, પથ્થર એટલા પૂજે દેવ : અખો
16). હું માનવી માનવ થાઉં તો ઘણું : સુંદરમ
17). જગતની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. : સુંદરમ
18). હણોના પાપીને દ્વીગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી : સુંદરમ
19). શ્યામ રંગ સમીપે ન જાવું : દયારામ
20). પાન લીલું જોયુંને તમે યાદ આવ્યા : હરિન્દ્ર દવે
21). કહેવું છે કેટલું ને જરા પણ સમય નથી. શબ્દો ઘણા બધા છે અને કોઈ લચ નથી. : હરિન્દ્ર દવે
22). મારી આંખે કંકુના સુરજ સાથમ્યા : રાવજી પટેલ
23). કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. : મણિલાલ દ્વિવેદી
24). રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું : મીરાંબાઈ
25). મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ : મીરાંબાઈ
26). ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ : ઝવેરછંદ મેઘાણી
27). છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ. : ઝવેરચંદ મેઘાણી
28). રાજ મને લાગ્યો કસુંબીનો રંગ : ઝવેરચંદ મેઘાણી
29). જીવન અંજલી થાજો, મારૂ જીવન અંજલી થાજો : કરસનદાસ માણેક
30). ખોબો ભરીને અમે એટલુ હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા : જગદીશ જોશી
31). તારા આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો રે.. : વેણિભાઈ પૂરોહિત
32). ભૂલો ભલે બીજું બધુ, માં બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહીં. : પુનિત મહારાજ
32). જગતમાં સો ઝેરોમાં સૌથી કાતિલ વેરનું : બાલમુકુંદ દવે
33). માણસ ઈશ્વરથી ખવાઇ ગયો છે, માણસ પુસ્તકોથી ખવાઇ ગયો છે. માણસ ઈચ્છાઓથી ખવાઇ ગયો છે : લાભશંકર ઠાકર
34). કશું જ મારા હાથમાં નથી, મારા હાથ પણ મારા હાથમાં નથી. : લાભશંકર ઠાકર
35). માણસ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, જે કઈ બની ગયો એ બરાબર બની ગયો : આદિલ મનસુરી
34). મને જિંદગી ને મરણની ખબર છે, કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. : જયંત પાઠક
35). આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય, ગાંધી કદી સૂતો ન’તો : હસમુખ પાઠક
36). મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે. : હેમંત દેસાઇ
37). અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. : ન્હાનાલાલ
38). સિંહને શસ્ત્ર શા ! અને વીરને મૃત્યુ શાં ? : ન્હાનાલાલ
39). જનનીની જોડ સખી નહિ જડે રે લોલ : બોટાદકર