૧. પાઠ્યપુસ્તકનાં પાના નં ૯૦ અને ૯૧ પર આપેલી સીમાની વાર્તાને આધારે પ્રશ્નોના જવાબ આપો :
(૧) સીમાના ઘરમાં કોણ કોણ છે ?
ઉત્તર : સીમાના પરમાં દાદીમા, પિતાજી, રવિભાઈ અને સીમાની માતા છે.
(૨) તમારા ઘરમાં કોણ કોણ છે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૩) તમારા ઘરના દરેક સભ્યની એક-એક વિશેષતા જણાવો :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
સભ્ય | વિશેષતા |
(૧)મોટી બહેન | |
(૨)મમ્મી | |
(૩)પપ્પા | |
(૪)દાદા | |
(૫)દાદી |
(૪) આપણા ઘરની વ્યક્તિઓ સાથે લાગણીઓ વ્યક્ત કરવી એ સારી બાબત છે.(✓કે X)
ઉત્તર : ✓
(૫) સીમા કઈ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે ?
ઉત્તર : સીમા પોતાનાં દાદીમા અને રવિભાઈ સાથે વાતો કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.
(૬) તમે કઈ રીતે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો ?
ઉત્તર :(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૭) જે લોકો જોઈ શક્તા નથી તેઓ પોતાની સાથે શું રાખે છે?
(A) બેલ
(B) સફેદ લાકડી
(C) કાળી લાકડી
(D) બંદૂક
ઉત્તર : B
(૮) રવિભાઈ શા માટે પુસ્તકો રેકૉર્ડ કરાવે છે ?
(A) સમય પસાર કરવા
(B) મનોરંજન માટે
(C) તેમાંથી ભણવા માટે
(D) તેમની ધંધો છે.
ઉત્તર : C
(૯) રવિભાઈ જે ખાસ પ્રકારનું પુસ્તક વાપરે છે તેના લખાણમાં કઈ લિપિ વપરાઈ છે ?
(A) બ્રેઇલ લિપિ
(B) બ્લાઇન્ડ લિપિ
(C) બ્રેઇન લિપિ
(D) બ્રેલ લિપિ
ઉત્તર : A
(૧૦) રવિભાઈ કઈ રીતે ઘરની વ્યક્તિઓને અને તેમની લાગણીઓને ઓળખે છે ?
ઉત્તર : રવિભાઈ ઘરની વ્યક્તિઓના હલનચલનથી, તેમના અવાજથી તેમની લાગણીઓને ઓળખે છે.
(૧૧) સીમાના પિતાજી દાદી માટે મોટેથી સમાચારપત્ર વાંચે છે. તમે તમારા ઘરમાં ઘરડાં માણસોની મદદ કેવી રીતે કરો છો?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૧૨) આપણે ઘરના ઘરડા લોકો સાથે સમય વિતાવવો જોઈએ. (✓ કે X)
ઉત્તર : ✓
(૧૩) ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે ?
ઉત્તર : ધડપણમાં સાંભળવામાં અને જોવામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે. દાંત નબળા પડી જવાને કારણે કડક ખોરાક ખાઈ શકાતો નથી. હાડકાં નબળાં થઈ જવાને કારણે ચાલવામાં તકલીફ પડે છે.
(૧૪) રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે ?
(A) અનુભવ કરીને
(B) લાકડી વડે
(C) ગંધ વડે
(D) આપેલાં તમામ કાર્યોથી
ઉત્તર : D
(૧૫) તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે ? ક્યારે ? લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે ?
ઉત્તર :(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૧૬) સીમાનાં દાદી અને રવિભાઈ વચ્ચે કોઈ સમાનતા છે ? કઈ ?
ઉત્તર : હા. સીમાનો દાદી અને રવિભાઈ બંને જોઈ શકતાં નથી.
(૧૭) જે લોકો જોઈ શકતા નથી તેઓ અવાજ દ્વારા વસ્તુનો અનુભવ કરીને આળખે છે. (✓ કે X)
ઉત્તર : ✓
(૧૮) જે લોકો જોઈ શકતા નથી. તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ ?
ઉત્તર : ન જોઈ શક્તા લોકોને આપણે રોડ ક્રોસ કરાવી શકીએ . જાહેર સ્થળોએ યોગ્ય રસ્તો બનાવી શકીએ. તેમના માટે પુસ્તકો અને છાપું વાંચીને સંભળાવી શકીએ. તમને પ્રેરણાત્મક વાર્તાઓ વાંચી સંભળાવી શકીએ. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે તેમનાં પુસ્તકો રેકોર્ડ કરીને તેમને ભણવામાં મદદ કરી શકીએ. પરીક્ષામાં તેમના લેખક બની શકીએ.
ઉત્તર : આ લોકોને ન્યૂઝ વાંચી સંભળાવી શકીએ. રસ્તો ક્રોસ કરાવી શકીએ. પુસ્તકો રેકોર્ડ કરી તેમને આપી શકીએ. પરીક્ષામાં તેમના લેખક બની શકીએ. બ્રેઇલ લિપિનાં પુસ્તકો તેમને લાવી આપી શકીએ. તેમને પ્રેરણાત્મક વાર્તાઓ સંભળાવવી જોઈએ. જીવન જીવવાની પ્રેરણા આપી શકીએ.
૩. તમે તમારા કેટલા મિત્રોને માત્ર સ્પર્શ દ્વારા ઓળખી શકો છો ? કેવી રીતે ? વિચારો અને મિત્રો સાથે ચર્ચા કરો.
૪.તમે માત્ર અવાજ સાંભળીને વ્યક્તિઓને ઓળખી શકો છો ? કેવી રીતે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૫. સામેની વ્યક્તિને ઓળખવા તમને સ્પર્શ અને અવાજ આ બેમાંથી શું સરળ લાગે છે ?
ઉત્તર : (નમૂનારૂપ ઉત્તર) સામેની વ્યક્તિને ઓળખવા માટે તેમના અવાજથી ઓળખવું સરળ લાગે છે.
૬. સ્પર્શ કરીને કહો કે તમારા મોમાં કેટલા દાંત છે ?
ઉત્તર :(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)૭. આંખો બંધ રાખી તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો ? નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૮. કયા લોકોને તમે તેમના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)૯. તમે ગંધ દ્વારા કઈ વ્યક્તિ તમારી નજીક છે એ અનુમાન કરી શકો છો ? જો હા તો કોણ ?
ઉત્તર :(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૦. આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળતાં તમને કયા કયા અવાજ સંભળાય છે ?
ઉત્તર :(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)૧૧. બ્રેઇલ લિપિ એટલે શું ?
ઉત્તર : બ્રેઇલ લિપિ એ લખવાની વિશેષ રીત છે. તે જાડા પેપર પર ઉપસેલાં બિંદુઓની હારમાળાથી લખેલી હોય છે. તેની પર આંગળી ફેરવીને તેને વાંચી શકાય છે.
૧૨. શું તમે માત્ર સ્પર્શથી જાડા કાગળ ઉપર ઉપસેલા કોઈ આકારને ઓળખી શકો છો ? હા કે ના ?
ઉત્તર :(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(A) હાથની આંગળીઓ દ્વારા
(B) પગની આંગળીઓ દ્વારા
(C) પગના અંગૂઠા દ્વારા
(D) મોં દ્વારા
ઉત્તર : A૧૪. બ્રેઇલ લિપિનાં પુસ્તકો બનાવવાનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો હતો ?
(A) ટેરેન્સ
(B) રવિભાઈએ
(C) લુઈસ બ્રેઇલે
(D) ત્રણેયે સાથે મળીને
ઉત્તર : C૧૫.બોલવા ઉપરાંત આપણે કેવી રીતે સંવાદ કરી શકીએ છીએ ?
ઉત્તર : બોલવા ઉપરાંત આપણે અભિનય કે ઈશારા દ્વારા સંવાદ કરી શકીએ છીએ.૧૬. લુઇસ બ્રેઇલ વિશે નોંધ લખો.
ઉત્તર : લુઇસ બ્રેઇલ ફ્રાન્સના હતા. તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતાં કરતાં અણિદાર સાધન તેમની આંખમાં વાગ્યું. અને તેમણે તેમની આંખો ગુમાવી. તેમણે લખવા-વાંચવાની અલગ રીત વિશે વિચારતા જાણ્યું કે સ્પર્શ અને અનુભવથી પણ વાંચી શકાય છે. આમ, તેમના પ્રયત્નોને લીધે બ્રેઈલ લિપિની શોધ થઈ.
૧૭. લુઇસ બ્રેઇલે ખાસ લિપિ ક્યારે શોધી ?
ઉત્તર : લુઇસ બ્રેઇલે પોતાની આંખ ગુમાવી ત્યારપછી તેમણે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય તેવી બ્રેઇલ લિપિની શોધ કરી.
૧૮. બ્રેઇલ લિપિ કેટલાં બિંદુઓ પર આધારિત છે ?
(A) બાર
(B) બે
(C) ચાર
(D) છ
ઉત્તર : A
૧૯. અપંગ માણસો હંમેશા બીજા પર આધારિત હોય છે. (✓ કે X)
ઉત્તર : X
૨૦. જોઈ ન શકતા માણસો પણ વાંચી શકે છે. (✓ કે X)
ઉત્તર : ✓
૨૧. બ્રેઇલ લિપિ કમ્પ્યૂટરની મદદથી પણ લખી શકાય છે. (✓ કે X)
ઉત્તર : ✓
૨૨. બ્રેઇલ લિપિ અંધ લોકોને કઈ રીતે મદદરૂપ છે ? સમજાવો.
ઉત્તર : બ્રેઇલ લિપિ ઉપસેલાં બિંદુઓની હારમાળા હોય છે. અંધ લોકો આ બિંદુઓ પર આંગળી ફેરવી, સ્પર્શ કરીને વાંચે છે અને સમજી શકે છે. અંધ વિદ્યાર્થીઓ બ્રેઇલ લિપિ દ્વારા જ શિક્ષણ મળવે છે. તેઓને બીજા પર આધારિત રહેવાની જરૂર પડતી નથી. પોતાનું કાર્ય જાતે જ કરી શકે છે.