ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૨ વનપરી
૧. આ એકમમાં વનપરી આપણને શાનો અભ્યાસ કરાવે છે ?
(A) જુદીજુદી વનસ્પતિઓનો
(B) પંખીઓનો
(C) પશુઓનો
(D) માનવશરીરનો
ઉત્તર : A
૨. અમુએ ગલગોટો પકડ્યો. (√ કે X)
ઉત્તર : √
૩. શબનમે બેસીને કયા છોડને સ્પર્શ કર્યો ?
ઉત્તર : શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો.
૪.દયારામ………….ના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો.
ઉત્તર : લીમડા
૫.માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો ?
(A) મહેંદી
(B) ગલગોટો
(C) જાસ્મીન
(D) મોગરો
ઉત્તર : A
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૭.તમે જોયેલા વિવિધ આઠ છોડનાં નામ લખો :
ઉત્તર : (વિદ્યાર્થીઓ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૮. છોડ માત્ર બગીચામાં જ હોય. (√કે X)
ઉત્તર : x
૯. બધા છોડ એકસરખા હોતા નથી. (√કે X)
ઉત્તર : √
૧૦. નીચેનામાંથી તમે કઈ વનસ્પતિ પર બેસી પણ શકો છો ?
(A) બારમાસી
(B) ઘાસ
(C)ગલગોટો
(D) મહેંદી
ઉત્તર : B
૧૧. કયો છોડ લગભગ બધાંના ઘરઆંગણે જોવા મળે છે ?
(A) જાસૂદ
(B) કુંવરપાઠુ
(C) કરેણ
(D) તુલસી
ઉત્તર : D
૧૨. તમે નામ સાંભળ્યાં હોય પણ જોયા ન હોય તેવા છોડનાં નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૩. રંગબેરંગી અને સુગંધી ફૂલોનાં નામ લખો.
ઉત્તર : ગુલાબ, કમળ, પારિજાત, સૂર્યમુખી, ઓર્કિડ, મોગરો, રાતરાણી, લીલી, કેતકી, કરેણ, ચંપો, ગલગોટો, જાસૂદ, બારમાસી જેવાં ફૂલો રંગબેરંગી હોય છે અને સુગંધ પણ આપે છે.
૧૪. તમે જોયેલાં કે નામ સાંભળ્યાં હોય તેવાં વૃક્ષોનાં નામ લખો :
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૫. વૃક્ષના થડ કેટલા પ્રકારનાં હોય છે ? ક્યાં ક્યાં?
ઉત્તર : વૃક્ષના થડ બે પ્રકારનો હોય છે : (૧) જાડું થડ, (૨) પાતળું થડ.
૧૬.જાડા થડવાળાં બે વૃક્ષોનાં નામ લખો.
ઉત્તર : જાડા થડવાળાં વૃક્ષોનાં નામ આ પ્રમાણે છે (૧) વડ, (૨) આંબો.
૧૭. પાતળા થડવાળાં બે વૃક્ષોનાં નામ લખો.
ઉત્તર : પાતળા થડવાળાં વૃક્ષોનાં નામ આ પ્રમાણે છે (૧) તાડ, (૨) ખજૂરી.
૧૮. ગુલાબનું મોટું વૃક્ષ હોય છે. (✓કે X)
ઉત્તર : X
૧૯. મીઠા લીમડાનો છોડ હોય છે. (✓ કે X)
ઉત્તર : X
૨૦. વૃક્ષો છોડ કરતાં મોટાં હોય છે. (✓ કે X)
ઉત્તર : ✓
૨૧. વૃક્ષો ઘરની અંદર ઉગાડી શકાય છે. (✓કે X)
ઉત્તર : X
૨૨. મને ઓળખો.
(૧) હું એક મોટી વનસ્પતિ છું, પણ મારાં પર્ણો નાનાં છે.(બોરડી, બાવળ, નારિયેળી)
ઉત્તર :બાવળ
(૨) હું એક મોટું વૃક્ષ છું, પણ મારાં પર્ણો નાનો છે. (આંબો,આંબલી, પીપળો)
ઉત્તર : આંબલી
ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૨ વનપરી
૨૩. કયાં ક્યાં પ્રાણીઓ વૃક્ષ પર રહે છે ?
ઉત્તર : ખિસકોલી, વાંદરો, ચકલી, કાબર, કાગડો, પોપટ વગેરે પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે.
૨૪. વૃક્ષો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે ?
ઉત્તર : વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તે લાકડું,પર્ણ, ફૂલ, ફળ, શાકભાજી આપે છે. વૃક્ષો ઔષધી તરીકે ઉપયોગી છે. તે જમીનનું ધોવાણ અટકાવે છે. તે રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો છાંયડો આપે છે. તે ઑક્સિજન આપે છે. વૃક્ષો પર નાનાં પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. તે પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. તે પ્રદૂષણ ઓછું કરે છે.
૨૫. જો વૃક્ષો ન હોય તો શું થાય ?
ઉત્તર : જો વૃક્ષો ન હોય તો પ્રદૂષણ વધી જાય, વરસાદ ઓછો પડે, મનુષ્ય અને પ્રાણીઓને ખોરાક ન મળે, પક્ષીઓનાં રહેઠાણ છીનવાઈ જાય, રણપ્રદેશમાં વધારો થાય, ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય, લાકડામાંથી બનતું ફર્નિચર ન બની શકે અને આપણને છાંયો ન મળે.
૨૬. બધી જ વનસ્પતિનાં પર્ણો લીલા રંગના હોય છે. ( ✓કે X)
ઉત્તર : x
૨૭. પીપળાનાં પર્ણો અને આસોપાલવનાં પર્ણોનો આકાર સરખો જ હોય છે. (✓ કે X)
ઉત્તર : X
૨૮. કયા કયા રંગનાં પર્ણો જોવા મળે છે ?
ઉત્તર : ઘેરાં લીલાં, આછાં લીલાં, પીળાં, લાલ, જાંબલી રંગનાં પર્ણો જોવા મળે છે.
૨૯. પર્ણોની કિનારી એકસરખી હોતી નથી. (✓ કે X)
ઉત્તર : ✓
૩૦. કયાં પર્ણો આકારમાં મોટાં હોય છે ?
ઉત્તર : મનીવેલ, કેળ, કમળ, ખજૂરી, નારિયેળી વગેરેનાં પર્ણો આકારમાં મોટાં હોય છે.
૩૧. કયા પર્ણની કિનારી કરવત જેવી હોય છે ?
ઉત્તર : કડવા લીમડાના પર્ણની કિનારી કરવત જેવી હોય છે.
૩૨. પર્ણોને કઈ કઈ રીતે જુદાં પાડી શકાય છે ?
(A) તેના રંગના આધારે
(B) તેના આકારને આધારે
(C) તેની કિનારીને આધારે
(B) આપેલા ત્રણેયને આધારે
ઉત્તર : D
૩૩. પર્ણોને તેની ગંધથી ઓળખી શકાય છે. (✓ કે X)
ઉત્તર : ✓
૩૪. કયાં કયાં પર્ણોને તેમની ગંધથી ઓળખી શકાય છે ?
ઉત્તર : કોથમીર, આંબો, લીંબુ, તુલસી, ફુદીનો, લીમડો વગેરે પર્ણોને તેમની ગંધથી ઓળખી શકાય છે.
૩૫. કેળના પર્ણને તેની ગંધથી ઓળખી શકાય છે. (✓ કે X)
ઉત્તર : X
૩૬. બધાં પર્ણોની ગંધ સમાન હોય છે. (✓ કે X)
ઉત્તર : X
૩૭. બધા જ વૃક્ષના થડની છાલ એકસરખી હોય છે. (✓ કે X)
ઉત્તર : X
૩૮. પર્ણો શું કાર્ય કરે છે ?
ઉત્તર : પર્ણો વૃક્ષનું રસોડું છે. પર્ણો વનસ્પતિ માટે સૂર્યની હાજરીમાં ખોરાક બનાવે છે, જેનાથી વનસ્પતિનો વિકાસ થાય છે.
૩૯. પર્ણો ન હોય તો શું થાય ?
ઉત્તર : પર્ણો ન હોય તો વૃક્ષોનો વિકાસ થઈ શકે નહિ, કેમ કે પર્ણો વૃક્ષો માટે ખોરાક તૈયાર કરે છે. જો પર્ણો ન હોય તો વનસ્પતિનો ખોરાક તૈયાર ન થાય અને વૃક્ષોનો વિકાસ થાય નહિ.
૪૦. નીચે આપેલાં પર્ણોનો એક-એક ઉપયોગ લખો :
(૧) આસોપાલવ
ઉત્તર : તોરણ બનાવવા, ઘરની સજાવટમાં
(૨) આંબો
ઉત્તર : તોરણ બનાવવા, ઘરની સજાવટમાં
(૩) બીલીપત્ર
ઉત્તર : મહાદેવજીના પૂજન માટે
(૪) તુલસી
ઉત્તર : પૂજન માટે, દવા માટે
(૫) અરડૂસી
ઉત્તર : દવા માટે
(૬) કેળ
ઉત્તર : પૂજન માટે
(૭) લીમડો
ઉત્તર : ખોરાકમાં, દવા માટે
૪૧. નીચેનામાંથી કયા પાનનો ઉપયોગ આપણે ખોરાક્માં કરીએ છીએ?
(A) મેથીનાં પાન
(B) ગુલાબના છોડનાં પાન
(C) પીપળાનાં પાન
(D) વડનાં પાન
ઉત્તર : A
૪૨. તમે કયાં કયાં પર્ણોનો ખોરાકમાં ઉપયોગ કરો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૩. જોડકાં જોડો :
વિભાગ – અ | વિભાગ – બ |
(૧) ગુલાબનું પર્ણ | (A) વળાંકોવાળી કિનારી |
(૨) આસોપાલવનું પર્ણ | (B) કરવત જેવી કિનારી |
(૩) વડનું પર્ણ | (C) ધારદાર કિનારી |
(૪) મીઠા લીમડાનું પર્ણ | (D) સીધી કિનારી |
જવાબ |
(1) – B |
(2) – A |
(3) – D |
(4) – C |
૪૪. વૃક્ષ અને છોડમાં વર્ગીકરણ કરો.
(પીપળો, સૂર્યમુખી, જૂઇ, જાસૂદ, લીમડો, ચંપો, આંબો, આસોપાલવ, મહેંદી, બીલીપત્ર, બારમાસી, ગલગોટો, ખજૂરી)
ઉત્તર :
વૃક્ષ : પીપળો, જૂઈ, લીમડો, ચંપો, આંબો, આસોપાલવ, બીલીપત્ર, ખજૂરી.
છોડ : સૂર્યમુખી, જાસૂદ, મહેંદી, બારમાસી, ગલગોટો.