૧. કાનનું કાર્ય જણાવો.
ઉત્તર : કાન સાંભળવાનું કાર્ય કરે છે.
૨. પ્રાણીઓ આપણી જેમ વાતચીત કરી શકતાં નથી તો તેમને કાનની જરૂર કેમ પડતી હશે ?
ઉત્તર : કાન અવાજ સાંભળવાનું કાર્ય કરે છે. પ્રાણીઓ આપણી જેમ વાતચીત કરતાં નથી. પરંતુ જુદી જુદી રીતે અવાજ તો કાઢે જ છે .આ અવાજને આપણે સમજી શક્તા નથી. પરંતુ પ્રાણીઓ માટે આ અવાજ સાંભળવા જરૂરી છે. વળી, હ રણ,સસલાં જેવાં પ્રાણીઓ ઘણી વખત સૂકાં પાદડા પર ચાલતાં શિકારી પ્રાણીઓના પગનો અવાજ સાંભળી તેના સ્પંદનો અનુભવી સચેત થઈ જાય છે. આમ પ્રાણીઓને પણ કાનની જરૂર પડે છે.
૩.પાઠઘપુસ્તકના પાના નં. ૮ માં આપેલા ચિત્રને આધારે માગ્યા મુજબ જવાબ આપો:
(૧) હાથીને કોના કાન લગાવેલા છે ?
(A) હરણના
(B) જિરાફના
(C) ઉદરના
(D) સસલાના
ઉત્તર : C
(૨) સલાને કૂતરાના કાન લગાવેલા છે. (√ કે ×)
ઉત્તર : ×
(૩) ઉંદરને ____ ના કાન લગાવેલા છે.
ઉત્તર : કૂતરા
(૪) હરણના કાન કોના કાન જેવા દેખાય છે ?
(A) જિરાફના
(B) સસલાના
(C) ઉંદરના
(D)ભેંસના
ઉત્તર : D
(પ) જિરાફને હાથીના કાન લગાવેલા છે. (√ કે ×)
ઉતર : √
(૬) કૂતરાને તેના કાનની જગ્યાએ કોના કાન દોરેલા છે ?
(A) સસલાના
(B) ગાયના
(C) હરણના
(D) હાથીના
ઉત્તર : A
(૭) ભેંસને કયા પ્રાણીના કાન દોરેલા છે ?
(A) હાથીના
(B) હરણના
(C) કૂતરાના
(C) સસલાના
ઉત્તર : B
૪. આપણે જીવજંતુ, પક્ષીઓ, સરિસૃપ અને પશુઓ માટે ‘પ્રાણી’ શબ્દ વાપરી શકીએ છીએ.( √ કે ×)
ઉત્તર : √
૫. નીચેનામાંથી કોના કાન સૌથી નાના હોય ?
(A) ઉંદર
(B) બિલાડી
(C) કૂતરો
(D)હાથી
ઉતર : A
૬. નીચેનામાંથી કોના કાન સૌથી મોટા હોય ?
(A) સસલું
(B) બિલાડી
(C) કૂતરો
(D)હાથી
ઉત્તર : D
૭. હાથીના કાન ____જેવા હોય છે. (સૂંપડાં, પાંદડાં, દોરડા)
ઉત્તર : સૂંપડાં
૮. કાળી ભેંસના કાનનો રંગ ___હોય છે.( કાળો, બદામી, સફેદ)
ઉત્તર : કાળો
૯. નીચે આપેલાં પ્રાણીઓનું તેમના કાન જોઈ શકાય છે અને કાન જોઈ શકાતા નથી; તેમાં વર્ગીકરણ કરો.
(હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ, જિરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી,વાંદરો)
ઉત્તર :
જેના કાન જોઈ શકાય તેવાં પ્રાણીઓ : હરણ, ભૂંડ, જિરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથી, વાંદરો.
જેના કાન જોઈ શકાતા નથી તેવાં પ્રાણીઓ : દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી, બતક,
૧૦. જેના કાન દેખાતા નથી તેઓ સાંભળી શકતાં નથી. ( √ કે X )
ઉતર : X
૧૧. જેના કાન દેખાતા નથી તેને પણ કાન હોય છે. ( √ કે X )
ઉતર : √
૧૨. નીચેનાં પ્રાણીઓને ઓળખી તેમનાં નામ લખો અને જણાવો કે તેમના કાન દેખાય છે કે નહિ ?
ઉત્તર : ઉપરના ચિત્રમાં આપેલ પ્રાણીઓના કાન દેખાતા નથી.
૧૩. પ્રશ્ન નંબર ૧૨ માં દર્શાવેલાં પ્રાણીઓ કાન ધરાવે છે ? હા કે ના ?.
ઉતર : હા
૧૪. જેના કાન આપણે જોઈ શકતા નથી તેવાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : માછલી, મગર, ગરોળી, હંસ, માખી, મચ્છર વગેરેના કાન જોઈ શકાતા નથી.
૧૫.___ના કાન પંખા જેવા છે.
ઉત્તર : હાથી
૧૬. કોના કાન પર્ણોજેવા હોય છે ?
ઉત્તર : સસલાં, કૂતરાં, હરણ વગેરેના કાન પર્ણો જેવા હોય છે.
૧૭. કાન માથાની ટોચ ઉપર હોય તેવાં પ્રાણીઓનાં નામ જણાવો.
ઉત્તર : હરણ અને સસલાના કાન માથાની ટોચ પર આવેલા હોય છે.
૧૮. કોના કાન માથાની બન્ને બાજુએ હોય છે.
ઉત્તર : ભેંસના કાન માથાની બંને બાજુએ હોય છે.
૧૯. કાન આપણને _____ માં મદદ કરે છે.
ઉતર : સાંભળવા
૨૦. આપણે ___ ના કાન જોઈ શકતા નથી.
ઉત્તર : પક્ષીઓ
૨૧. પક્ષીઓને બે કાનની જગ્યાએ બે કાણાં હોય છે. ( √ કે ×)
ઉત્તર : √
૨૨. પક્ષીઓના કાન કેમ દેખાતા નથી ?
ઉત્તર : પક્ષીઓને કાન હોતા નથી. પરંતુ કાનની જગ્યાએ માથાની બંને બાજુ નાનાં કાણાં હોય છે. જે સામાન્ય રીતે પીંછાંથી ઢંકાયેલા હોવાથી આપણને દેખાતાં નથી.
૨૩. પક્ષીઓના માથાની બંને બાજુએ આવેલાં નાનાં કાણાં___ થી ઢંકાયેલાં હોય છે.
ઉત્તર : પીંછાં
૨૪. પક્ષીઓ કેવી રીતે સાંભળી શકે છે ?
ઉત્તર : પક્ષીઓને દેખીતી રીતે કાન હોતા નથી પરંતુ કાનની જગ્યાએ માથાાની બંને બાજુ નાનાં કાણાં હોય છે.
આમ, પક્ષીઓ આ કાણાંની મદદથી સાંભળી શકે છે.
૨૫. કયાં પ્રાણીઓને કાનની જગ્યાએ કાણાં હોય છે ?
ઉત્તર : માછલી, મગર, દેડકા, ગરોળી વગેરેને કાનની જગ્યાએ કાણાં હોય છે.
૨૬. કેટલાંક પ્રાણીઓને તેમની ચામડીથી પણ ઓળખી શકાય છે ? ( √ કે ×)
ઉત્તર : √
૨૭. ચામડી કોની છે?
(A) હરણ
(B)ઝિબ્રા
(C) દીપડો
(D) ખિસકોલી
ઉત્તર : D
૨૮. નીચેનામાંથી ક્યા પ્રકારની ચામડી દીપડાની છે.
ઉત્તર : C
૨૯. આ હરણની ચામડી છે. ( √ કે ×)
ઉત્તર : √
૩૦. પ્રાણીઓના શરીરની ચામડીની ભાત તેના પર રહેલા ____ના કારણે છે.
ઉતર : વાળ
૩૧. ગાય કે ભેંસને તેની ચામડી પર વાળ હોતા નથી. (√ કે X)
ઉતર : X
૩૨. નીચે આપેલ પ્રાણીઓનાં નામની સામે તેમના દેખાવના આધારે ખાનામાં (√) કરો :
પ્રાણી | કાન દેખાતા હોય | કાન દેખાતા ન હોય | ચામડી પર વાળ હોય | ચામડી પર પીછાં હોય |
બકરી | √ | √ | ||
હાથી | √ | √ | ||
ચકલી | √ | √ | ||
કબૂતર | √ | √ | ||
ઉંદર | √ | √ | ||
બિલાડી | √ | √ | ||
ભેંસ | √ | √ | ||
બતક | √ | √ | ||
દેકડો | √ | √ | ||
કાગડો | √ | √ | ||
મોર | √ | √ | ||
ભૂંડ | √ | √ | ||
મરઘી | √ | √ | ||
ઊંટ | √ | |||
ગરોળી | √ | √ | ||
ગાય | √ |
૩૩. નીચેનામાંથી કોના કાન દેખાતા નથી ?
(A) બકરી
(B) હાથી
(C) ચકલી
(D) ભેંસ
ઉતર : C
૩૪. નીચેનામાંથી કોની ચામડી પર પીછાં નથી હોનાં ?
(A)ઉંદર
(B) બતક
(C) મોર
(C) વાધ
ઉત્તર : A
૩૫. નીચેનામાંથી કોની ચામડી પર વાળ હોય છે ?
(A) હાથી
(B) બિલાડી
(C) વાઘ
(D) આપેલા. તમામ
ઉતર : D
ઉત્તર : √
ઉત્તર : √
૩૮. નીચે આપેલાં પ્રાણીઓનું ચામડી પર વાળવાળાં અને ચામડી પર પીછાંવાળાં પ્રાણીઓમાં વર્ગીકરણ કરો :
(બકરી, હાથી, ચકલી, કબૂતર, ઉંદર, કૂતરો, બિલાડી, બતક, ભેંસ, કાગડો, મોર, ભૂંડ, મરઘી, ઊંટ, ગાય, હંસ)
ઉત્તર :
૪૦. હાથીની ચામડી પર વાળ હોય છે. ( √ કે ×)
ઉત્તર : √
ઉતર : √
૪૨. જે પ્રાણીના કાન ___છે, તે બચ્ચાંને જન્મ આપે છે.
ઉતર : દેખાય
૪૩. જે પ્રાણીના કાન ____ તે ઈંડાં મૂકે છે.
ઉતર : દેખાતા નથી
૪૪. કાનને બદલે મીડું, તે મૂકે ___
ઉતર : ઈંડું
ઉત્તર : કૂતરો, બિલાડી, ઉદર, ગાય વગેરે નાનાં બચ્ચાંવાળાં પ્રાણીઓ અમે જોયાં છે.
૪૬. ઈંડાં આપતાં કોઇ પણ બે પ્રાણીઓનાં નામ લખી તેમના પૈકી કોઈ પણ એક વિશે ચાર વાકયો લખો.
ઉત્તર : ઈંડાં આપતા બે પ્રાણીઓ (૧) કબૂતર, (૨) મગર.
મગર : મગર પાણીમાં અને જમીન પર બંને સ્થાને રહે છે. મગરને કાનની જગ્યાએ બે કાણાં હોય છે. મગર પંખી નથી છતાં ઈંડા મુકે છે. મગરને પગ છે. છતાંય પેટે સરકીને ચાલે છે. મગરના પગ અને પૂંછડી તેને તરવામાં મદદરૂપ થાય છે
૪૭. બચ્ચાંને જન્મ આપનાં કોઇ પણ બે પ્રાણીઓનાં નામ લખી તેમના પૈકી કોઈ પણ એક વિશે ચાર વાક્યો લખો.
ઉત્તર : બચ્ચાંને જન્મ આપતાં બે પ્રાણીઓ : (૧) ગાય, (૨) ચામાચીડિયું
ચામાચીડિયું : ચામાચીડિયાને પાંખો હોય છે. તે ઊડી શકે છે. છતાં પંખી નથી. તેના કાન બહારથી જોઈ શકાય છે. ચામાચીડિયા મોટે ભાગે રાત્રે ઊંડતા જેવા મળે છે. ચામાચીડિયા અવાવરુ અને બંધ મકાનોમાં વધુ જેવા મળે છે.
૪૮. તમારા ઘરમાં કે આસપાસમાં પાળવામાં આવેલા પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો. )
૪૯. ધાસ,પાંદડાં વઞેરે ખાતાં પ્રાણીઓને ____ પ્રાણીઓ કહે છે.
ઉત્તર : શાકાહારી
૫૦.____ પ્રાણીઓ ઘાસ – પાંદડાં કે રોટલી સાથે જીવ જંતુ તથા માંસ પણ ખાય છે.
ઉતર : મિશ્રાહારી
ઉત્તર : માંસાહારી
૫૨. માંગ્યા મુજબ નામ લખો :
(૧) મિશ્રાહારી પ્રાણીઓ : કૂતરો, ઉંદર, બિલાડી, બતક
(૨) શાકાહારી પ્રાણીઓ : ગાય, ભેંસ, બકરી, હાથી, ઊંટ
(૩) માંસાહારી પ્રાણીઓ : વાઘ, સિંહ, દીપડો, વરુ, શિયાળ
૫૩. બતક __ માં રહે છે
ઉતર : પાણીમા
૫૪. ઝાડ પર રહેતાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : ચક્લી, કબૂતર, કાગડો, મોર, વાંદરો વગેરે ઝાડ પર રહેતા પ્રાણીઓ છે.
૫૫. જમીન પર આપણી આસપાસ રહેનાં પ્રાણીઓ કયાં કયાં છે ?
ઉત્તર : હાથી, બકરી, ઉંદર, બિલાડી, ભેંસ, ઊંટ,ગાય વગેરે. આપણી આસપાસ રહેતાં પ્રાણીઓ છે.
૫૬. પક્ષીઓ શું ખાય છે ?
ઉત્તર : પક્ષીઓ દાણા અને નાનાં જીવ-જંતુઓ ખાય છે.
ઉત્તર : પ્રાણીઓને જ્યારે કોઈ હેરાન કરે ત્યારે તે ગુસ્સે થાય છે.
૫૮. પાલતુ પ્રાણીઓની કઈ રીતે સારસંભાળ રાખવી જોઈએ ?
ઉત્તર : પાલતુપ્રાણીઓને રોજ યોગ્ય રીતે નવડાવીને સાફ રાખવા જોઈએ. તેમને પૌષ્ટિક આહાર આાપવી જોઈએ. તેઓ માંદા પડે ત્યારે તેમની પશુઓના દવાખાનામાં લઈ જઈને યોગ્ય સારવાર કરાવવી જોઈએ.
ઉત્તર : √
૬૦. પાલતુ પ્રાણીઓ પાસે વધુ પડતું કામ કરાવવું જોઈએ( √ કે ×)
ઉત્તર : ×
૬૧. આપણે પ્રાણીઓનું રક્ષણ કરવું એઇએ. ( √ કે ×)
ઉત્તર : √
ઉત્તર : વાઘ
૬૩. પ્રાણીઓ આપણા____ છે.
૬૪.____ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
ઉત્તર : મોર
૬૫. દરેક પ્રાણીને ___ , ____ અને ____ ની જરૂર પડે છે.
ઉત્તર : ખોરાક, પાણી, રહેઠાણ.
૬૬. મોર ક્યાં રહે છે ?
ઉત્તર : મોર ખેતરમાં, ઝાડ પર અને જંગલમાં રહે છે.
૬૭. મોરનાં પીછાં _____ હોય છે.
ઉત્તર : રંગબેરંગી
૬૮. મોર પહેલા ઘરઆંગણે જોવા મળતો હતો. (√ કે ×)
ઉત્તર : √
ઉત્તર : મોર શાંતિ પ્રિય પક્ષી છે. આજના ઘોંઘાટવાળા વાતાવરણમાં તે શહેરથી અને ગામથી દૂર ખેતર અને જયાં લીલી વનરાજી અને શાંત વાતાવરણ છે ત્યાં જઈને વસવા લાગ્યા છે. ઉપરાંત માનવીની શિકારી પ્રવૃત્તિને લીધે પણ તેઓ માનવવસવાટથી દૂર જવા લાગ્યા છે. આથી મોર ઘરઆંગણે જોવા મળતો નથી.
૭૦. વાઘ ____ માં રહે છે.
ઉત્તર : જંગલ
૭૧. દુનિયામાં અને ભારતમાં વાઘની સંખ્યા શા માટે ઓછી થવા માંડી છે ?
ઉત્તર : વાધ ગાઢ જંગલમાં રહે છે. વૃક્ષો આડેધડ કપાવાને કારણે અત્યારે પૃથ્વી પર ગાઢ જંગલોની સંખ્યા ઓછી થવા માંડી છે. ઉપરાંત માણસો દ્વારા સતત શિકારની પ્રવૃત્તિને કારણે વાધની સંખ્યા ઘટવા માંડી છે.
૭૨. પ્રાણીઓના ૨ક્ષણ માટે આપણે શું કરી શકીએ છીએ ?
ઉત્તર : પ્રાણીઓના રક્ષણ માટે આપણે નીચે મુજબના પગલાં લઈ શકીએ :
(૧) પાળેલાં પ્રાણીઓને નિયમિત ખોરાક-પાણી આપીએ.
(૨) પાળેલાં પ્રાણીઓનું ઠંડી, ગરમી અને વરસાદમાં રક્ષણ થાય તે પ્રમાણે રહેવા માટેની વ્યવસ્થા કરવી.
(૩) પાળેલું પ્રાણી બીમાર પડે તો તેની સારવાર કરાવવી
(૪) પોતાના શોખ કે સ્વાર્થ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરવો નહીં – એવો સંદેશ ફેલાવીએ.
(૫) પ્રાણીઓના રક્ષણ માટે સરકાર દ્વારા પણ અનેક પગલા લેવામાં આવે છે, તેમાં સહકાર આપીએ.
(1) હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું.
(૨) હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
(૩) હું પાલતુ પ્રાણી છું અને હું ઘરની ચોકી પણ કરું છું.
ઉત્તર : કૂતરો