ધોરણ ૫ કેકારવ – 2. બે વરસાદ ને પાંચ પીપર
એકમ નો સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો
(અ) (1) “વરસાદ બહુ લુચ્ચો છે.” – તેવું શા માટે કહ્યું હશે?
જવાબ :વરસાદ બધાને છેતરે, પજવે છે માટે “વરસાદ બહુ લુચ્ચો છે”-તેવું કહ્યું હશે.
2) બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે? કેમ?
જવાબ: બાળકને વરસાદ સાથે ઉનાળામાં રમવું છે, કેમ કે ઉનાળામાં તડકો બહુ પડે છે તેથી બાળકને ગરમી લાગે છે.
(3) વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી?
જવાબ:વરસાદના સ્વભાવ બાળક,મોર,ચકલી,કૂકડો, ગાય,બળદ અને બકરાને ગમતો નથી.
બ (1) બાળક વરસાદ સાથે નહિ રમવાનું કેમ નક્કી કરે છે?
જવાબ : વરસાદ બહુ લુચ્ચો છે ,તેથી બાળક વરસાદ સાથે નહીં રમવાનું નક્કી કરે છે.
(2) બાળકે વરસાદને ક્યારે બોલાવ્યો? વરસાદ ક્યારે આવ્યો?
જવાબ : બાળકે વરસાદને બપોરે બોલાવ્યો હતો,પણ વરસાદ સવારે આવ્યો.
(3) વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક શું કરત?
જવાબ : વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક બહાનું કાઢીને નિશાળે ન જાત.
(4 ) બાળક શાથી ધ્રૂજતો હતો?
જવાબ : બાળક નિશાળે જતા વાર થઈ તેથી મહેતાજીના માર્ગની બીકે ધ્રુજતો હતો.
(5) મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે શું લાગ્યું?
જવાબ : મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે લાગ્યું કે તે વરસાદ સાથે લડ્યો અને પલળીને ડરી ગયો છે તેથી ધ્રુજતો હશે.
(6) બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ શું કરે છે?
જવાબ : બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ બાળકનો દુઃખ જોઈ મોઢેથી હસે છે અને આંખોથી રડે છે.
(7) વરસાદ કયારે જરૂર આવતો ?
જવાબ : બાળક કોઈ દિવસ બહાર જતી વખતે છત્રી સાથે લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ જરૂર આવતો
(8) વરસાદ ક્યારે દૂરથી જ ડોકિયું કરતો…?
જવાબ:- બાળક તેની સ્વદેશી સાથે ઉપાડીને ફરે ત્યારે વરસાદ દૂરથી જ ડોકિયું કરતા.
(9) કોણ કોણ વરસાદથી ખુશ ખુશ રહે છે..?
જવાબ:– ધોળી બતક અને કાળી ભેંસ વરસાદથી બહુ ખુશ ખુશ રહે છે.
પ્રશ્ન ડ (1) વરસાદ ની મૌસમ ને ચોમાસું શા માટે કેવા આવે છે…?
જવાબ :વરસાદની મોસમ અષાઢ,શ્રાવણ,ભાદરવો અને આસો એમ ચાર માસની હોય છે ,તેથી ચાર માસનો સમૂહ એટલે કે ચોમાસુ કહે છે.
(2) ખાલી બેસી રહેવાને બદલે તમને શું કરવું ગમે…?
જવાબ: ખાલી બેસી રહેવાને બદલે ચોપડી વાંચવી,ક્રિકેટ રમવું,ચિત્ર દોરવું ,અવનવું સંશોધન કરવું ગમે છે .
પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોનો બે -ત્રણ વાક્યોમાં જવાબ આપો
(અ)બાળક વરસાદ ને ક્યારે ક્યારે બોલાવાવા ઈચ્છે છે …?
જવાબ :બાળક વરસાદને બપોરે અને ઉનાળામાં બોલાવાય છે ,પછી વરસાદ બપોરના બદલે સવારે આવે છે અને ઉનાળામાં ભાગ્યે જ આવે છે.
(બ)સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યાં હતા?
જવાબ :સામા પટેલના વાવેલા વૃક્ષોથી એ ફાયદો થયો કે ઉનાળામાં બપોરે ઘણા માણસો, પશુ-પંખીઓ વૃક્ષોના છાયામાં વિસામો ખાય છે.કેટલાક વૃક્ષોના છાયામાં નાસ્તો પણ કરે છે.
(ક) ઉપરવાસ માં ખુબ વરસાદ આવે ત્યારે શું થાય છે …?
જવાબ : ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે ત્યાંના પાણીના વહેણથી નદીનાળા બંધ છેલોછાલ થઈ જાય છે ક્યારેક નદીના પૂર પણ આવે છે.