ધોરણ ૬ વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : ૭ વનસ્પતિની જાણકારી મેળવીએ
-
નીચેનામાંથી કોની ઊંચાઈ ઓછી હોય છે ?
(A) છોડ √
(B) સુપ
(C) વૃક્ષ
(D) એક પણ નહીં2.કદમાં નાની હોય તેવી ચાર વનસ્પતિઓનાં નામ લખો.
ઉત્તર :તુલસીનો છોડ, બારમાસીનો છોડ, ટામેટી, રીંગણી, ગલગોટો વગેરે કદમાં નાની વનસ્પતિઓ છે.3.કદમાં નાની વનસ્પતિનાં પ્રકાંડ કેવાં હોય છે ?
ઉત્તર :કદમાં નાની વનસ્પતિનાં પ્રકાંડ લીલા, કુમળા અને વળી શકે તેવા હોય છે.4. કદમાં મોટી વનસ્પતિનાં પ્રકાંડ કેવાં હોય છે ? ઉદાહરણ સાથે લખો.
ઉત્તર :- કદમાં મોટી વનસ્પતિનાં પ્રકાંડ કઠણ, જાડા અને કથ્થાઈ હોય છે. ઉદા. આંબો, આસોપાલવ, લીમડો, વગેરે.5. વનસ્પતિને મુખ્યત્વે કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે ? કયા કયા?
ઉત્તર : મોટા ભાગની વનસ્પતિને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય: છોડ, ક્ષુપ અને વૃક્ષ6.વનસ્પતિને તેમના કદ અને પ્રકાંડના આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય છે, તે સમજાવો.
ઉત્તર : વનસ્પતિને કદ અને પ્રકાંડના આધારે નીચેની ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય :
છોડ
→ પ્રકાંડ લીલા, કૂમળા અને નમનીય છે.
→ વધારે શાખાઓ નથી.
→ ઊંચાઈ ઓછી અને કદ નાનું હોય છે.
ક્ષુપ
→ પ્રકાંડ મજબૂત પણ જાડું હોતું નથી.
→ આધાર પાસેથી શાખા નીકળે છે.
→ ઊંચાઈ અને કદ મધ્યમ હોય છે.
વૃક્ષ
→ પ્રકાંડ કથ્થાઇ, જાડું અને ઊંચુ હોય છે.
→ જમીનથી ઊંચે, ઉપરના ભાગમાં શાખાઓ હોય છે.
→ ઊંચાઈ, કદ વધારે હોય છે.7.વ્યાખ્યા આપો : છોડ
ઉત્તર :- જે વનસ્પતિનાં પ્રકાંડ, લીલા અને કૂમળા તથા કદમાં નાનાં અને નીચાં હોય તેને છોડ કહે છે.8. છોડ સામાન્ય રીતે નાના હોય છે. ( √ કે X)
ઉત્તર:- √ - છોડને વધારે__
(A) ફૂલ હોતાં નથી.
(B) ડાળીઓ હોતી નથી. √
(C) પાંદડાં હોતાં નથી.
(D) એક પણ નહીં - ક્ષુપનાં લક્ષણો જણાવો
ઉત્તર:- તેમની ઉંચાઇ અને કદ મધ્યમ હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે. શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે.11. વૃક્ષનાં લક્ષણો જણાવો.
ઉત્તર : વૃક્ષ ઊંચા હોય છે. પ્રકાંડ જાડા, કઠણ અને મજબૂત હોય છે. જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ હોય છે. - ટામેટાના છોડની ઊંચાઈ ઘણી જ વધારે હોય છે . (√ કે x)
ઉત્તર:- ×
13.નીચેનામાંથી ક્યું વૃક્ષ છે ?
(A) લીંબુ
(B) ટામેટાં
(C) આંબો √
(D) એક પણ નહીં
- વ્યાખ્યા આપો :
(1) ભૂપ્રસારીઃ- નબળાં પ્રકાંડવાળી વનસ્પતિ, જે ટટ્ટાર રહી શક્તી નથી, તે જમીન પર ફેલાય છે. તેને ભૂપ્રસારી કહે છે.
(2) વેલાઓ:-નબળાં પ્રકાંડવાળી કે વનસ્પતિ આસપાસના કોઇ માળખાનો આધાર લઈ ઉપર ચઢે છે, તેને વેલાઓ કહે છે.15. દ્રાક્ષના વેલાઓ છોડ, ક્ષુપ અને વૃક્ષને સમાન જ હોય છે. (√ કે X)
ઉત્તર:-×
16. દરેકનાં બે-બે નામ આપો.
(1) છોડ : તુલસી, ગલગોટા
(2) ક્ષુપ : લીંબુડી, દાડમ
(3) વૃક્ષ : લીમડો, આંબો
(4) વેલા : દ્રાક્ષ, કારેલી17. નીચે આપેલ વનસ્પતિઓનું છોડ, ક્ષુપ, વૃક્ષ અને વેલામાં વર્ગીકરણ કરો:-
(લીમડો, દ્રાક્ષ, પીપળો, આંબો, મની પ્લાન્ટ, દૂધી, આસોપાલવ, અરડૂસી, તુલસી, જાસૂદ, કરેણ,મરચી, બારમાસી, લિંબુડી)
છોડ : અરડૂસી, તુલસી, મરચી, બારમાસી
ક્ષુપ : જાસૂદ, કરેણ, લિંબુડી
વૃક્ષ : લીમડો, પીપળો, આંબો, આસોપાલવ
વેલા : દ્રાક્ષ, મની-પ્લાન્ટ, દૂધી
18.નીચેનામાંથી કોણ છોડ નથી ?
(A) અરડૂસી
(B) લીમડો
(C) જાસુદ
(D) (B) અને (C) બંને √
19.નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે ?
(A) તુલસી
(B) કરેણ √
(C) આંબો
(D) મરચી
20.નીચેના પૈકી કયું વૃક્ષ છે ?
(A) નાળિયેર
(B) નિલગીરી
(C) ગુલમહોર
(D) આપેલ તમામ √
21.નીચેના પૈકી શામાં ડાળીઓ પ્રકાંડના આધાર પાસેથી ઊગતી હશે ?
(A) આંબો
(B) લિંબુડી √
(C) નિલગીરી
(D) નાળિયેરી
22. નાળિયેરીનું પ્રકાંડ કેવું હોય છે ?
ઉત્તર:- નાળિયેરીનું પ્રકાંડ જાડું, કઠણ, કથ્થાઈ રંગનું અને અશાખિત હોય છે.
- નીચેની પૈકી કઈ વનસ્પતિમાં ડાળીઓ પ્રકાંડ પર ઊંચાઈએ ઉદ્ભવે છે ?
(A) તુલસી
(B) આંબો √
(C) જાસૂદ
(D) (A) અને (C) બંને24. નીચેના પૈકી કોનું પ્રકાંડ લીલું અને કૂમળું હોય છે ?
(A) ટામેટાં √
(B) લીંબુ
(C) આંબો
(D) (B) અને (C) બંને - નીંદણ એટલે શું ?
ઉત્તર:- ધાન્યનાં ખેતરોમાં, ઘાસના મેદાનમાં કે કૂંડામાં ઊગતી અનિચ્છનીય વનસ્પતિને નીંદણ કહે છે.26. પ્રકાંડ___નું વહન કરે છે.
(A) પાણી √
(B) તેલ
(C) પાંદડાં
(D) એક પણ નહીં
27.પાણીમાં ઓગળેલાં___ તત્ત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે.
ઉત્તર:- ખનીજ
28.વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે ? અને તે કેવી રીતે કરે છે ?
ઉત્તર:- (1) મૂળ દ્વારા શોષાયેલું પાણી અને તેમાં દ્રાવ્ય ખનીજક્ષારોનું વહન સાથે જોડાયેલી સાંકડી નલિકાઓ દ્વારા શાખાઓ અને પર્ણો સુધી તથા અન્ય ભાગો સુધી થાય છે.
(2) પર્ણો પર્ણદંડ દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલાં રહે છે. તેથી પ્રકાશસંશ્લેષણ દ્વારા તૈયાર થતો ખોરાક પર્ણોમાંથી પ્રકાંડ દ્વારા વનસ્પતિના તમામ અંગોને પહોંચે છે.
(3) પ્રકાંડ વનસ્પતિને આધાર પણ આપે છે.
29. વનસ્પતિનું પ્રકાંડ એ દ્વિ-માર્ગીય રસ્તાની જેમ કામ કરે છે.(√ કે X)
ઉત્તર:- √
30. નીચે આપેલ વિધાનને સુધારીને ફરીથી લખો:
(A) પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે. :પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે.
(B) મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. : પ્રકાંડ પાણીનું વહન સુધી કરે છે.
31.પ્રકાંડ પાણીનું વહન કરે છે, તે સમજાવતો પ્રયોગ વર્ણવો:
હેતુ: વનસ્પતિમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે, તે દર્શાવવું.
સાધન-સામગ્રી : પારદર્શક પાત્ર, બ્લેડ, પાણી, લાલ શાહી, સફેદ પુષ્પ ધરાવતું પ્રકાંડ
આકૃતિ:-
પદ્ધતિ:- પ્યાલામાં 1/3 ભરાય તેટલું પાણી ભરી તેમાં લાલ શાહીનાં થોડા ટીપાં ઉમેરો, સફેદ પુષ્ય ધરાવતાં પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાલશાહી વાળા પાણી ભરેલા ગ્લાસમાં ગોઠવો. બે-ત્રણ દિવસ પછી વનસ્પતિના પર્ણો, પુષ્ય અને પ્રકાંડના ઉભા, આડા છેદનું અવલોકન કરો.
અવલોકનઃ પ્રકાંડના જુદા જુદા ભાગો લાલ રંગના દેખાય છે. સફેદ રંગનું પુષ્પ પણ લાલ દેખાય છે.
નિર્ણય:- જેમ પાણીમાં ઉમેરેલી લાલ શાહીમાં ડૂબાડેલાં પ્રકાંડ દ્વારા તેનું વહન થઇ દરેક ભાગમાં પહોંચ્યું તેવી જ રીતે પાણી અને દ્રાવ્ય ખનીજારોનું વહન પણ પ્રકોડ જ વનસ્પતિના વિવિધ ભાગો તરફ કરે છે.
32.વનસ્પતિનો કયો ભાગ ખોરાક બનાવે છે ? તેનું નામ આપી ખોરાક બનાવવાની પ્રક્રિયાનું નામ જણાવો.
ઉત્તર:- વનસ્પતિના લીલા ભાગો, મુખ્ય ભાગ-પર્ણ ખોરાક બનાવે છે. વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બને છે.
33. વ્યાખ્યા આપો : પર્ણદંડ
ઉત્તર : પર્ણ જે ભાગ દ્વારા પ્રકાંડ સાથે (વનસ્પતિ સાથે) જોડાયેલ હોય તે ભાગને પર્ણદંડ કહે છે.
34. વ્યાખ્યા આપો : પર્ણપત્ર
ઉત્તર : પર્ણના લીલા, પહોળા ભાગને પર્ણપત્ર કહે છે.
35. નીચેનામાંથી કઈ વનસ્પતિનાં પર્ણોમાં પર્ણદંડ હોતા નથી ?
(A) પીપળાનું પર્ણ
(B) લીમડાનું પર્ણ
(C) ઘાસ √
(D) ગુલાબ
36. નીચેનામાંથી કઈ વનસ્પતિના પર્ણમાં પર્ણદંડ હોય છે ?
(A) ગુલાબ √
(B) ક્રાઇનમ
(C) તાડ
(D) મકાઇ
- પર્ણની ઉપર રહેલી રેખાઓને___કહે છે.
(A) સમાંતર રેખા
(B) આડી રેખા
(C) શિરા √
(D) એક પણ નહીં38. પર્ણની મધ્યમાં જે જાડી શિરા દેખાય છે તેને__ કહે છે.
(A) સમાંતર શિરા
(B) મધ્યશિરા √
(C) ડાબી શિર
(D) ઊભી શિરા - વ્યાખ્યા આપો:
(1) પર્ણનો શિરાવિન્યાસ : પર્ણમાં શિરોઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહે છે.
(2) જાલાકાર શિરાવિન્યાસ : જ્યારે પર્ણમાં મધ્યશિરાની બંને બાજુ શિરાઓ જાળ સ્વરૂપે ગોઠવાયેલી હોય ત્યારે તેને જાલાકાર શિરાવિન્યાસ કહે છે.
(3) સમાંતર શિરાવિન્યાસ:જ્યારે પણ એકબીજા સમાંતર ગોઠવાયેલી હોય ત્યારે તેને સમાંતર શિરાવિન્યાસ કહે છે.40.તફાવત આપો : જાલાકાર શિરાવિન્યાસ – સમાંતર શિરાવિન્યાસ
જાલાકાર શિરાવિન્યાસ | સમાંતર શિરાવિન્યાસ |
(1) મુખ્યશિરાની બંને બાજુ જાળ સ્વરૂપે શિરાઓ ગોઠવાયેલી હોય છે. | (1) શિરાઓ પરસ્પર સમાંતર ગોઠવાયેલી હોય છે. |
(2) આંબાનું પર્ણ, ગુલાબનું પર્ણ, જાસૂદનું પર્ણ વગેરે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. | (2) ઘઉં, મકાઈ અને ઘાસના પર્ણો વગેરે સમાતર શિરાવિન્યાસ ધરાવે છે. |
(3) સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. | (3) સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. |
41.નીચેની વનસ્પતિઓનું ‘જાલાકાર શિરાવિન્યાસ’ અને ‘સમાંતર શિરાવિન્યાસ’ ધરાવતી વનસ્પતિમાં વર્ગીકરણ કરો :
(ઘઉં, તુલસી, મકાઈ, ઘાસ, કોથમીર, જાસૂદ, ગુલાબ, મોગરો, બાજરી)
જાલાકાર શિરાવિન્યાસ : તુલસી, કોથમીર, જાસૂદ, ગુલાબ, મોગરો
સમાંતર શિરાવિન્યાસ :ઘઉં, મકાઈ, ઘાસ, બાજરી
42.વ્યાખ્યા આપો : બાષ્પોત્સર્જન
ઉત્તર:- લીલી વનસ્પતિ પર્ણો દ્વારા વાતાવરણમાં ભેજ સ્વરૂપે પાણી ગુમાવે છે, જેને બાષ્પોત્સર્જન કહે છે.
43.વનસ્પતિ પર્ણ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
હેતુ : વનસ્પતિ પર્ણ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રી : મોટા પર્ણવાળો છોડ, પ્લાસ્ટિકની થેલી, દોરી
આકૃતિ:-
પદ્ધતિ:- સૌ પ્રથમ સૂર્યપ્રકાશમાં ઉગેલ મોટાં-લીલા પર્ણોવાળો એક છોડ પસંદ કરો. તે છોડનું કોઇ એક પર્ણ પસંદ કરી તેને પારદર્શક પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દઈ, કોથળીનું મોઢું દોરી વડે ચુસ્ત રીતે બંધ કરી દો. હવે થોડાં કલાક આ છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દઈ અવલોકન કરો.
અવલોકન : જે પર્ણની ફરતે કોથળી બાંધી હતી તે કોથળીમાં અંદરની તરફ પાણીના ટીપાં બાજેલાં દેખાય છે. આ પાણી પર્ણ દ્વારા બાષ્પ સ્વરૂપે ગુમાવેલું છે. જે ઠંડી પડતાં ટીપાં સ્વરૂપે કોથળીની અંદર બાજે છે.
નિર્ણય : વનસ્પતિના પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ભેજ સ્વરૂપે પાણી મુક્ત કરે છે.
44. પર્ણમાં સ્ટાર્ચ હોય છે. (√ કે X)
ઉત્તર:- √
45.પર્ણને ‘વનસ્પતિનું રસોડું’ કહે છે, કારણ કે …
ઉત્તર :- પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલા પાણીની મદદથી ખોરાક બનાવે છે. તેથી તે વનસ્પતિનું રસોડું કહેવાય છે.
- પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે. (√ કે X)
ઉત્તર:-√ - પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક ક્યાં સંગ્રહ થાય છે ?
ઉત્તર :પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક પ્રકાંડ દ્વારા વહન પામી વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચી ત્યાં સંગ્રહ થાય છે. - બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો___ગુમાવે છે.
(A) સ્ટાર્ચ
(B) ખાતર
(C) પાણી √
(D) એક પણ નહીં - પર્ણમાં સ્ટાર્ચ હાજર છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો :
હેતુ :પર્ણમાં સ્ટાર્ચ હાજર છે, તેમ સાબિત કરવું.
સાધન-સામગ્રી :બે જુદાજુદા કદનાં બીકર, બર્નર, પ્લેટ, સ્પિરીટ લેમ્પ, આયોડિનનું દ્રાવણ, પાણી, ત્રિપાઈ, જાળી, ચિપીયો
આકૃતિ:-
પદ્ધતિ :- એક નાના બીકરમાં એક લીલું પર્ણ મૂકી, તે પૂરેપૂરું ડૂબે એ રીતે સ્પિરીટ રેડો. હવે મોટા બીકરને ત્રિપાઇ પર રાખેલી જાળી પર ગોઠવો. નાનું પર્ણવાળું બીકર તેમાં ગોઠવી, એટલું પાણી ભરી કે નાના બીકરમાં પાણી જાય નહીં. હવે બર્નર ચાલુ કરી પાણી ગરમ કરો. પર્ણનો બધો જ લીલો રંગ સ્પિરીટમાં ભળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું ચાલુ રાખો. હવે ચિપીયા વડે પર્ણને ઊંચકી એક પ્લેટમાં મૂકો. પર્ણને સાદાં પાણી વડે સાફ કરો. પ્લેટનું પાણી બહાર ફેંકી દો. પર્ણ પર આયોડિનના ત્રણ-ચાર ટીપાં નાખી અવલોકન કરો.
અવલોકન :- પર્ણ પર આયોડિનના ટીપા નાખતા પર્ણ ઘેરા કાળા /ભૂરા રંગનું બને છે.
નિર્ણય:- જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. - પર્ણને ખોરાક બનાવવા શેની જરૂર પડે છે ?
ઉત્તર :પર્ણને ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે.51. પ્રકાશસંશ્લેષણમાં__વાયુનો ઉપયોગ થાય છે, જ્યારે__ વાયુ ઉત્સર્જિત થાય છે.
(A) ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ
(B) ઑક્સિજન, નાઇટ્રોજન
(C) કાર્બન ડાયૉક્સાઇડ, ઑક્સિજન. √
(D) નાઇટ્રોજન, ઑક્સિજન52. વ્યાખ્યા આપો : પ્રકાશસંશ્લેષણ
ઉત્તર :લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલનો ઉપયોગ કરી મુળ દ્વારા શોધાયેલ પાળી અને વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે. - વનસ્પતિનું___જમીનમાં હોય છે.
(A) મૂળ
(B) પ્રકાંડ
(C) પર્ણ
(D) પુષ્પ
54.___વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે.
(A) પ્રકાંડ
(B) પર્ણો
(C) મૂળ √
(D) ડાળીઓ
55.મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે, તે ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તરઃ- બે વાટકી લઈ, તેમાં ભીનું રૂ મૂકો અને એક વાટકીમાં ચણાના 3-4 દાણા અને બીજી વાટકીમાં મકાઈના 3-4 દાણા મૂકો. બીજને ફણગો ફૂટી તેનો વિકાસ થઇ બાળ છોડ બને ત્યાં સુધી રોજ પાણી આપો. 5-6 દિવસમાં બાળછોડ તૈયાર થતાં તેના મૂળને રૂ થી અલગ કરવા પ્રયત્ન કરો. છોડના મૂળને રૂ થી અલગ કરી શકાતો નથી. આમ મૂળ જમીનમાં સ્થાપિત થઈ જાય છે અને વનસ્પતિને તેની સાથે જકડી રાખવાનું કામ કરે છે.
-
આકૃતિ દોરી સોટીમૂળ, પાર્શ્વમૂળ અને તંતુમૂળની વ્યાખ્યા આપો:
આકૃતિ:-
ઉત્તર:- તંતુમૂળ :- કેટલીક વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતું નથી, પરંતુ બધાં જ મૂળ સમાન હોય છે. તેનાથી બનતા મૂળતંત્રને તંતુમૂળ કહે છે.
સોટીમૂળ :- કેટલીક વનસ્પતિમાં એક લાંબુ, મજબૂત મુખ્યમૂળ સર્જાય છે, જેની આજુબાજુ નાનાં મૂળ હોય છે. આવા મૂળને સોટીમૂળ કહે છે.
પાર્શ્વમૂળ :- સોટીમૂળમાંથી આ
જુબાજુ નીકળતાં નાના-નાના મૂળને પાર્શ્વમૂળ કહે છે.
57. મૂળનાં કાર્યો જણાવો.
ઉત્તર : મૂળના કાર્યો આ મુજબ છે :
(1) તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે.
(2) જમીનમાંથી પાણી અને ખનીજક્ષારોનું શોષણ કરે છે.
58. ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતા મૂળના નામ આપો.
ઉત્તર:- ખોરાક તરીકે લેવાતા મૂળમાં ગાજર, બીટ, સલગમ, મૂળા, શક્કરિયા, સાબુદાણા વગેરેનો સમાવેશ થાય છે.
59. મૂળ જમીનમાંથી પાણી અને ખનીજનું શોષણ કરે છે. (√ કે X)
ઉત્તર:- √
60.તફાવત આપો : તંતુમૂળ – સોટીમૂળ
તંતુમૂળ | સોટીમૂળ |
(1) કેટલીક વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતું નથી. પરંતુ તેમાંથી સર્જાતા બધા જ મૂળ સમાન હોય છે. આવા મૂળને તંતુમૂળ કહે છે. | (1) કેટલીક વનસ્પતિમાં એક લાંબું, મજબૂત મુખ્ય મૂળ હોય છે. જેને સોટીમૂળ કહે છે. |
(2) ઉદા. મકાઈ, જુવાર, ચોખા વગેરેના મૂળ | (2) ઉદા. વાલ, વટાણા, સૂર્યમુખી વગેરેના મૂળ |
61.નીચેનામાંથી કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે ?
(A) મકાઈ
(B) શેરડી
(C) વાંસ
(D) આપેલ તમામ √
62.નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમૂળ ધરાવે છે ?
(A) જુવાર
(B) મગ √
(C) મકાઈ
(D) વાંસ
- મૂળના પ્રકારને કોની સાથે સીધો સંબંધ છે ?
(A) પર્ણવિન્યાસ
(B) પુષ્પ
(C) શિરાવિન્યાસ √
(D) પ્રકાંડના પ્રકાર
64.અસંગત જોડ જણાવો:
(A) શેરડી – તંતુમૂળ
(B) વાલ – તંતુમૂળ √
(C) આંબો – સોટીમૂળ
(D) મકાઈ – તંતુમૂળ
65. જો કોઈ વનસ્પતિનાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો, તેનાં મૂળ કયા પ્રકારનાં હશે ?
ઉત્તર : જો કોઈ વનસ્પતિનાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવતાં હોય તો તેનાં મૂળ સોટીમૂળ પ્રકારના હોય.
66. જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય, તો તેનાં પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે ?
ઉત્તર : વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેનાં પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.
67.છોડના કયા ભાગને લીધે વનસ્પતિઓને ઝડપથી ઓળખવી સરળ બને છે ?
(A) પ્રકાંડ
(B) પર્ણ
(C) પુષ્પ √
(D) મૂળ
68.દલપત્ર એટલે શુ?
ઉત્તર : પુષ્પના સહુથી બહારના ભાગમાં આવેલ રંગીન, સુગંધીદાર, ચમકતા ભાગને દલપત્ર કહે છે.
- વ્રજપત્ર એટલે શું ?
ઉત્તર :દલપત્રની બહાર તરફ આવેલ નાનાં નાનાં પર્ણો જેવી રચના જે લીલા રંગની હોય છે, તેને વ્રજપત્ર કહે છે.70. વ્રજ ચક્ર એટલે શું ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર :વ્રજપત્રના સમૂહને વ્રજ ચક્ર કહે છે. જે કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે.71. જોડાયેલાં તથા છૂટાં વ્રજપત્ર હોય, તેવાં બે પુષ્પોનાં નામ આપો.
ઉત્તર : જોડાયેલાં વ્રજપત્રો ધતૂરો, જાસૂદ, બારમાસીમાં જ્યારે છૂટાં વજ્રપત્રો ગુલાબ, સૂર્યમુખીમાં જોવા મળે છે.72. દલચક્ર એટલે શું ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર : દલપત્રો ભેગા મળી દલચક્ર બનાવે છે. તે તેની અંદર આવેલા પુંકેસર અને સ્રીકેસર ચક્રનું રક્ષણ કરે છે. -
જો પુષ્પનાં વજ્રપત્રો જોડાયેલાં હોય, તો તેનાં દલપત્રો પણ જોડાયેલાં જ હોય છે. (√ કે ×)
ઉત્તર:-×74. પુષ્પમાં રહેલું માદા પ્રજનન અંગ જણાવો.
ઉત્તર :પુષ્પમાં આવેલું માદા પ્રજનન અંગ સ્રીકેસરચક્ર છે.75. પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશાં સમાન હોય છે. (√ કે ×)
ઉત્તર:- ×76. પુષ્પમાં રહેલું નર પ્રજનન અંગ જણાવો.
ઉત્તર : પુંકેસરચક્ર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે.77. પુંકેસર તંતુમય રચના છે. (√ કે X)
ઉત્તર:- √78. પુંકેસરની આકૃતિ દોરી તેની રચના સમજાવો.
આકૃતિ:-પુંકેસરમાં મુખ્ય બે ભાગ જોવા મળે છે : (1) તંતુ (2) પરાગાશય
(1) પુંકેસરો ભેગા મળીને પુંકેસર ચક્ર બનાવે છે.
(2) તંતુ પુંકેસરને પુષ્ય સાથે જોડે છે.
(3) પરાગાશયમાં પરાગરજ (નર-પ્રજનન કોષ) સર્જાય છે.
(4) પુંકેસરમાં પરાગરજનું સર્જન થતું હોવાથી તેને પુષ્પનું નર-પ્રજનન અંગ કહે છે.
79. ટૂંકનોંધ લખો: સ્ત્રીકેસર
આકૃતિ:-→ સ્ત્રીકેસરો ભેગા મળી સ્ત્રીકેસર ચક્ર બનાવે છે. દરેક સ્ત્રીકેસર ત્રણ ભાગોનું બનેલ છે: (1) પરાગાસન, (2) પરાગવાહિની,(3) બીજાશય
→ સ્ત્રીકેસરના ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે.
→ સ્ત્રીકેસરના નીચેના સહેજ ફુલેલા ભાગને બીજાશય કહે છે. બીજાશયમાં અંડકો ઉત્પન્ન થાય છે. અંડકમાં માદા-પ્રજનન કોપ સર્જાય છે.
→ આમ, સ્ત્રીકેસરમાં માદા-પ્રજનન કોષ સર્જાતો હોવાથી તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે.80. વ્યાખ્યા આપો : સ્ત્રીકેસર
ઉત્તર : પુષ્પની સૌથી અંદર આવેલા માદા પ્રજનન અંગને સ્ત્રીકેસર કહે છે.81. બીજાશય એટલે શું ?
ઉત્તર : સ્ત્રીકેસરના નીચેના ફુલેલા ભાગને બીજાશય કહે છે. બીજાશયમાં અંડક આવેલા હોય છે.82. પુષ્પના બીજાશયમાં મણકા જેવી રચના હોય છે, તેને___ કહે છે.
(A) બીજ
(B) સ્ત્રીકેસર
(C) અંડક √
(D) વ્રજપત્ર83. પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે ?
ઉત્તર : પુષ્પમાં સ્ત્રીકેસરના નીચેના ફુલેલા ભાગને બીજાશય કહે છે. તેમાં અંડક આવેલા હોય છે.84. પુષ્પના ભાગોનાં નામ લખો.
ઉત્તર : પુષ્પના ભાગો : (1) વજ્રચક્ર (2) દલચક્ર (3) પુંકેસરચક્ર (4) સ્ત્રીકેસર ચક્ર છે.85. નીચેનામાંથી કયું ગળણી આકારનું પુષ્પ છે ?
(A) ગુલાબ
(B) ગુલમહોર
(C) ધતૂરો √
(D) જાસૂદ86. એકલિંગી પુષ્પએટલે શું ? બે ઉદાહરણ આપો.
ઉત્તર : જે પુષ્પમાં ફક્ત એક જ પ્રજનનચક્ર આવેલું હોય, એટલે કે પુંકેસર ચક્ર અથવા સ્ત્રીકેસર ચક્ર, તેવા પુષ્પન એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે પપૈયાનું પુષ્પ, મકાઈના પુષ્પ વગેરે.87. દ્વિલિંગી પુષ્પ એટલે શું ? બે ઉદાહરણ આપો.
ઉત્તર :- જે પુષ્પમાં બંને પ્રજનનચક્ર આવેલાં હોય, એટલે કે પુંકેચર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને હોય તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે જાસૂદ, ધતૂરો88. નીચેનામાંથી કયા પુષ્પાં વજ્રપત્રોની સંખ્યા અને દલપત્રોની સંખ્યા જુદી-જુદી હોય.
(A) ગુલાબ
(B) ગલગોટો
(C) સૂર્યમુખી
(D) આપેલ તમામ √89. નીચેનામાંથી કયા પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રો જોડાયેલાં હોય છે ? (C) મકાઈ
(A) પીળી કરેણ √
(B) જાસુદ
(C) મકાઈ
(D) ગુલાબ
91. જો પુષ્પનાં દલપત્રો જોડાયેલાં હોય, તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે. (√ કે X)
ઉત્તર:- ×92. વનસ્પતિનું પ્રકાંડ દ્વિ- માર્ગીય રસ્તાની જેમ કામ કરે છે. – સમજાવો.
ઉત્તર :- પ્રકાંડ જલવાહિની અને અન્નવાહના ધરાવે છે. પ્રકાંડ મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનીજક્ષારોનું વહન જલવાહિની દ્વારા વનસ્પતિના જુદા જુદા અંગો સુધી કરે છે. જ્યારે પર્ણમાં પ્રકાશસંશ્લેષણ દ્વારા તૈયાર કરેલો ખોરાક પ્રકાંડમાં રહેલ અન્નવાહક દ્વારા વનસ્પતિનાં જુદાં જુદા અંગો સુધી પહાચે છે. આમ, પ્રકાંડ દ્વિ- માર્ગી રસ્તા જેવું છે.93. એક ડાળીને કે કુમળા પ્રકાંડને વચ્ચેથી આડા ચીરીને લાલ શાહીના પાણીમાં બે-ત્રણ દિવસ મૂકી રાખવામાં આવે છે અને આવી જ બીજી એક વનસ્પતિની ડાળી કે કૂમળા પ્રકાંડને વચ્ચેથી ઊભાં ચીરીને એક ભાગ લાલ શાહીના પાણીમાં અને બીજો ભાગ વાદળી સાહીના પાણીમાં બે-ત્રણ દિવસ મૂકી રાખવામાં આવે તો શું થશે ?
ઉત્તરઃ ડાળી કે પ્રકાંડને વચ્ચેથી આડા ચીરીને લાલ શાહીવાળા પાણીમાં બે-ત્રણ દિવસ મૂકી રાખવાથી વનસ્પતિનાં ફૂલ લાલ રંગના દેખાય છે. અને આડછેદમાં ગોળાકાર રચના લાલ બને છે. ડાળી કે કુમળા પ્રકાંડને વચ્ચેથી ઊભા ચીરીને વાદળી શાહીવાળા પાણીમાં અને બીજા ભાગ લાલશાહીવાળા પાણીમાં બે-ત્રણ દિવસ રાખવાથી વનસ્પતિ સુકાઈ જાય છે. કારણ કે પાણી અને ખનીજ ક્ષારનું વહન કરતી નલિકાઓ કપાઇ જતાં પાણીનું વહન થતું નથી.94. વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી જરૂરી એવાં ખનીજક્ષાર અને પાણીનું શોષણ કરે છે. – આ ક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો.
ઉત્તર : ખુલ્લા મેદાનમાંથી એક સરખાં બે છોડને પસંદ કરો. બંનેના મૂળ તૂટી ન જાય તે રીતે બંનેને ખોદીને બહાર કાઢો.
હવે એક છોડને મૂળ સાથે કૂંડા A ની માટીમાં અને બીજા છોડનું મૂળ કાપીને તેને કૂંડા B ની માટીમાં વાવો. રોજ બંને કૂંડામાં નિયમિત રીતે એક સરખું પાણી આપો.
3-4 દિવસમાં/ એકાદ અઠવાડિયામાં કૂંડા-B નો છોડ કરમાઈને નાશ પામે છે. જ્યારે કૂંડા A નો છોડ વિકાસ પામે છે.
જે છોડ પાસે મૂળ હતાં તેણે પાણી, ખનીજક્ષારોનુ શોષણ કર્યું અને વનસ્પતિના પર્ણ અને પ્રકાંડને પૂરું પાડ્યું. તેથી તે વિકાસ પામ્યો. મૂળ વગર તે શક્ય બન્યું નહીં.95. જમીનમાંથી કાઢ્યા વગર વનસ્પતિમાં કયા પ્રકારનું મૂળ છે, તે કેવી રીતે જાણી શકાય ?
ઉત્તર:- જો પર્ણોનો શિરાવિન્યાસ સમાંતર પ્રકારનો હોય તો એ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી હોય. એ પર્ણોનો શિરાવિન્યાસ જાલાકાર હોય તો તે વનસ્પતિ સોટીમૂળ ધરાવતી હોય.