ધોરણ ૬ વિજ્ઞાન પ્રકરણ ૯ સજીવો અને તેમની આસપાસ
- સજીવો અને તેમની આસપાસ
- હિમાલયના પર્વતમાં જોવા મળતાં ત્રણ વૃક્ષોનાં નામ જણાવો.
ઉત્તર : હિમાલયના પર્વતો પર ઓક, પાઇન અને દેવદાર જેવાં વૃક્ષો જોવા મળે છે.2. જગન્નાથપુરી પાસે દરિયાકિનારે ટપકાંયુક્ત………………નાં વૃક્ષો જોવા મળે છે.
ઉત્તર : સરુ3.પૃથ્વી પરના પ્રદેશો એકબીજા કરતાં કઇ કઇ બાબતોમાં જુદા પડે છે?
ઉત્તર : પૃથ્વી પરનાં પ્રદેશો એકબીજાં કરતાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ભૂમિ–ખડકો, જલીય પ્રદેશો, હિમાચ્છાદિત પ્રદેશો, વનસ્પતિ સૃષ્ટિ, સૂક્ષ્મજીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ વગેરે જેવી બાબતોમાં જુદાં પડે છે.4. ક્યો સજીવ જંગલમાં જોવા મળે છે ?
ઉત્તર : હરણ5. પર્વતીય વિસ્તારનું પ્રાણી જણાવો.
ઉત્તર : યાક6. રણમાં વધુ જોવા મળતી વનસ્પતિ એટલે…………… .
ઉત્તર : થોર7. શંખ કઇ જગ્યાએથી મળે છે?
ઉત્તર : દરિયો8. વનસ્પતિનાં સૂકાં પાદડાં…………..માંથી વધુ માત્રામાં મળશે.
ઉત્તર : જંગલ9. દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ…………….પાણીથી ઘેરાયેલાં હોય છે.
ઉત્તર : ક્ષારવાળાં10. રણ વિસ્તારમાં રહેવા માટેનાં ઊંટના અનૂકૂલનો જણાવો.
ઉત્તર : (1) ઊંટના પગ લાંબા, તળિયાં પહોળાં અને ગાદીવાળાં હોય છે. જેથી તે રણની ગરમ રેતી પર સરળતાથી ચાલી શકે છે. પગ રેતીમાં ખૂંપી જતાં નથી.
(2) ઊંટ ખૂબ જ ઓછી માત્રામાં સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે તેનો મળ સૂકો છે. આથી, ઊંટ ખૂબ જ ઓછી માત્રામાં પાણીનો ત્યાગ કરે છે.
(3) ઊંટ પાણી અને ખોરાક વિના ઘણાં દિવસો સુધી ચલાવી શકે છે.
(4) ઊંટની જડબાની રચના તેઓ કાંટાળી વનસ્પતિ ખાઈ શકે તે મુજબની હોય છે.
(5) ખોરાક અને પાણીનો સંગ્રહ શરીરમાં કરવા અનુકૂલન ધરાવે છે.11. માછલીનાં અનુકૂલનો જણાવો.
ઉત્તર : માછલીનાં શરીરનો આકાર ધારારેખીય હોય છે. જેથી પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય. માછલીનાં શરીર પર ચીકણાં ભીંગડાં જોવા મળે છે. જેથી તેનું શરીર સતત પાણીમાં રહેવા છતાં કોહવાઇ જતું નથી. તથા પાણીનાં દબાણ સામે રક્ષણ મેળવી શકે છે. માછલી પાણીમાંનો દ્રાવ્ય ઓક્સિજન મેળવવા માટે તે ચૂઈ (ઝાલર) શ્વસન અંગ તરીકે ધરાવે છે. માછલીના મીનપક્ષો પાણીમાં તરંગગતિને ઓળખીને તરવામાં મદદ કરે છે. માછલીને તરવા માટે, દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટાં મીનપક્ષો અને પૂછંડી હોય છે.12. પાણીમાં હલનચલન કરવા (તરવા) માછલીને કોણ મદદ કરે છે ?
ઉત્તર : મીનપક્ષ13. માછલીનું એક શ્વસનઅંગ એટલે……………… .
ઉત્તર : ચૂઇ14. વ્યાખ્યા આપો : અનુકૂલન
ઉત્તર : વનસ્પતિ કે પ્રાણી પોતાનાં પર્યાવરણકમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે. જેને લીધે સજીવ સફળતાપૂર્વક જીવી શકે છે. તે લક્ષણ કે આદતને અનુકૂલન કહે છે.15. નિવાસસ્થાન એટલે શું ?
ઉત્તર : વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં જીવન જીવતાં હોય તે વિસ્તારને તેનું નિવાસસ્થાન કહે છે.16. નિવાસસ્થાનના મુખ્ય પ્રકારો જણાવો.
ઉત્તર : નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકારો છે : (1) ભૂ–નિવાસ સ્થાન (2) જલીય નિવાસ સ્થાન17. સજીવો કઇ કઇ બાબતો માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે?
ઉત્તર : સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય સ્થાન, પ્રજનન અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, એટલે કે જીવન જીવવા માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે.18. જમીન પર રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ……………..કહે છે.
ઉત્તર : ભૂ–નિવાસ19. ભૂ–નિવાસસ્થાનમાં ક્યા ક્યા વિસ્તારોનો સમાવેશ થાય છે?
ઉત્તર : ભૂ–નિવાસમાં જંગલો, ઘાસના મેદાનો, રણ વિસ્તાર, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તારો, હિમ પ્રદેશો વગેરેનો સમાવેશ થાય છે.20. જલીય નિવાસસ્થામાં ક્યા ક્યા વિસ્તારોનો સમાવેશ થાય છે ?
ઉત્તર : જલીય નિવાસસ્થાનમાં તળાવ, કળણ(દલદલ), સરોવર, નદી, સમુદ્ધ, મહાનગરો વગેરેનો સમાવેશ થાય છે.21. પાણીમાં રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને……………….નિવાસસ્થાન કહે છે.
ઉત્તર : જલીય22. નિવાસસ્થાનના જૈવિક ઘટકો જણાવો.
ઉત્તર : નિવાસસ્થાનના જૈવિક ઘટકોમાં (1) ઘાસ, છોડ, વેલ, ક્ષુપ, વૃક્ષ જેવી વનસ્પતિઓ (2) જીવાણુ, ફુગ, લીલ, પ્રજીવ જેવાં સૂક્ષ્મજીવો અને (3) બહુકોષીય પ્રાણીઓ વગેરેનો સમાવેશ થાય છે.23. નિવાસસ્થાનના અજૈવિક ઘટકો જણાવો.
ઉત્તર : હવા, પાણી, ભેજ, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ ખડકો, તાપમાન, બરફ, રેતી વગેરે નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે.24. જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનનાં………………….ઘટકો છે.
ઉત્તર : અજૈવિક25. બીજના અંકુરણ માટે ક્યાં ક્યાં અજૈવિક પરિબળો જરૂરી છે?
ઉત્તર : બીજના અંકુરણ માટે જમીન, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે.26. વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ જોવા મળે છે, કારણ કે………….
ઉત્તર : વિવિધ નિવાસસ્થાનોમાં અજૈવિક ઘટકો જુદી જુદી રીતે પ્રાપ્ય હોય છે, જેમ કે હિમાચ્છાદિત વિસ્તારમાં અતિશય ઠંડક અને રણવિસ્તારમાં પાણીની અછત માટે ત્યાં રહેતાં જૈવિક ઘટકો પણ અલગ અલગ હોય છે. ખોરાક–પાણીની પ્રાપ્યતા, ઓક્સિજનની માત્રા વગેરેના કારણે પ્રાણીઓ વિવિધ અનુકૂલનો ધરાવે છે. જેના કારણે વિવિધતાસભર પ્રાણીઓ જોવા મળે છે.27. પરિસ્થિતિકીય અનુકૂલન એટલે શું ?
ઉત્તર : એવા ફેરફાર જે કોઇ ચોક્કસ સજીવનાં શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિકીય અનુકૂલન કહે છે.28. કારણ આપો : ઉંદર અને સાપ રેતીમાં ખૂબ ઉંડે દરમાં રહે છે.
ઉત્તર : રણવિસ્તારની રેતી દિવસની તીવ્ર ગરમીમાં ખૂબ જ ગરમ થાય છે. જયારે રાત્રિ દરમ્યાન અતિશય ઠંડી બને છે. ઉંદર અને સાપ આવી તીવ્ર ગરમી સહન કરી શકતાં નથી. તેથી રણની રેતીમાં ખૂબ ઊંડે બનાવેલ દરમાં રહે છે. જેથી અતિશય ઠંડી કે ગરમીથી બચી શકાય.29. રણમાં જીવન જીવવા માટે થોર કઇ રીતે અનુકૂલિત થયેલા હોય છે.
ઉત્તર : રણમાં જીવિત રહેવા માટે મેળવેલા અનુકૂલનો :
(1) વનસ્પતિમાં મૂળ પાણીનું શોષણ કરવા જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે.
(2) કેટલાક થોરમાં પાંદડા, ખૂબ નાનાં અને ઓછા પ્રમાણમાં હોય છે. જેથી બાષ્પોત્સર્જનનું પ્રમાણ ઘટે અને પાણીનો વ્યય ઘટાડી શકાય.
(3) થોરનું પ્રકાંડ જાડું અને લીલું બનીને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે.
(4) અથવા કેટલાક થોરમાં પર્ણનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે.
(5) રણમાં ઉગતી વનસ્પતિના બીજની બીજાકુંરણ ક્ષમતા ઘણી સાથી હોય છે.30. રણવિસ્તારમાં ઊગતી વનસ્પતિઓમાં નામ જણાવો.
ઉત્તર : થોર, સરૂ, આકડો, બાવળ વગેરે જેવી વનસ્પતિઓ રણવિસ્તારમાં ઊગે છે.31. રણમાં ઊગતી વનસ્પતિમાં પર્ણો કંટકમાં ફેરવાય છે. કારણ કે………………
ઉત્તર : રણપ્રદેશમાં પાણીની અછત હોય છે તેથી પાણીનો વ્યય અટકાવવો જરૂરી છે. પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્રારા પાણી મુક્ત કરે છે. પર્ણનું કંટકમાં રૂપાંતર કરવાથી વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. રણપ્રદેશમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ એક અગત્યનું અનુકૂલન છે.32. રણપ્રદેશની વનસ્પતિના મૂળ જમીનમાં ઊંડે સુધી પહોંચેલા હોય છે,કારણ કે………….
ઉત્તર : રણવિસ્તારમાં જમીનમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે. આથી જમીનમાં ઊંડે રહેલ પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવા માટે વનસ્પતિનાં જમીનમાં ઊંડે સુધી પ્રસરેલા હોય છે.33. પર્વતીય વિસ્તારોમાં નિવાસસ્થાન ખૂબ જ……………….અને ઝડપી……………….વાળા હોય છે.
ઉત્તર : ઠંડા, પવનો34. હિમાચ્છાદિત પર્વતીય વિસ્તારોનાં વૃક્ષ…………….આકારનાં હોય છે.
ઉત્તર : શંકુ35. હિમ ધરાવતા પ્રદેશોમાં ઉગતી વનસ્પતિઓની ડાળી ઢળતી અને પાદંડા સોયાકાર હોય છે, કારણકે…………..
ઉત્તર : હિમ ધરાવતા પ્રદેશોમાં વરસાદનું પાણી કે બરફ જો પાદડાં પર રહી જાય તો પ્રકાશસંશ્લેષણની ક્રિયા ધીમી પડી જાય. વળી, પર્ણ નિર્જીવ પણ બની શકે. ડાળી ઢળતી અને પાદડાં સોયાકાર હોવાથી વરસાદનું પાણી અને બરફ સરળતાથી નીચે સરકી જાય છે, જેથી વનસ્પતિને નુકશાન થતું નથી.
36. સ્નો–લેપર્ડ (હિમ–ચિત્તા) નાં અનુકૂલનો જણાવો.
ઉત્તર : (1) હિમચિત્તાના શરીર પર, પગ પર અને પંજા પર ગાઢ રૂવાંટી હોય છે. જે તેને ચાલતી વખતે ઠંડીથી રક્ષણ આપે છે.
(2) તેની ચામડી જાડી અને રૂવાંટીવાળી હોય છે જે તેને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે.
(3) પહોળાં પંજાના કારણે તેનાં પગ બરફમાં ખૂંપી જતાં નથી.
- સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન
37. પર્વતીય બકરીઓ ખડકાળ ઢાળ પર ક્યા કારણથી સરળતાથી દોડી શકે છે ?
ઉત્તર : પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેના કારણે તે સરળતાથી, ઝડપથી ઇજા થયા વગર ખડકાળ ઢાળ પર સરળતાથી દોડી શકે છે.
- ઘાસનાં મેદાનમાં ટકી રહેવા માટે શિકારી પ્રાણી તરીકે સિંહનાં ચાર અનુકૂલનો જણાવો.
ઉત્તર : (1) સિંહનો ભૂખરો રંગ તેને ઘાસના મેદાનમાં છુપાવા માટે મદદરૂપ થાય છે.
(2) તેના ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્ક્સ સ્થાન વિશે ખ્યાલ આપે છે.
(3) સિંહના આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકે છે જેથી તેને દોડતી વખતે આંગળીઓમાં અંદર અને શિકાર કરતી વખતે પહોળા પંજા ઉપયોગી બને છે.
39. હરણમાં જોવા મળતાં અનુકૂલનો જણાવો.
ઉત્તર : (1) વનસ્પતિના મજબુત પ્રકાંડ ચાવવા માટે મજબુત દાંત હોય છે.
(2) શિકારી પ્રાણીની હલનચલન જાણવા માટે લાંબા કાન હોય છે જેથી બચી શકાય.
(3) માથાની બંને બાજુએ રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે.
(4) હરણના લાંબા પગ તેને ભાગવામાં મદદ કરે છે.
40. ભૂમીય નિવાસસ્થાનના પ્રકારો જણાવો.
ઉત્તર : જંગલો, રણપ્રદેશ, ઘાસનાં મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર, પર્વતીય વિસ્તાર, દર–નિવાસ વગેરે ભૂમીય નિવાસસ્થાનો છે.
41. ………….અને ………………..જળચર પ્રાણીઓ હોવા છતાં ધારારેખીય શરીર રચના ધરાવતાં નથી.
ઉત્તર : સ્કિવિડ અને ઓક્ટોપસ
42. વહેલ……………….દ્રારા હવા શરીરની અંદર લે છે.
ઉત્તર : શ્વસન છિદ્રો
43. ડોલ્ફિન અને વહેલ સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે, કારણ કે……………..
ઉત્તર : દરેક સજીવને જીવન જીવવા માટે ઓક્સિજન જરૂરી છે. જેના માટે તે કોઇને કોઇ અંગ ધરાવે છે. ડૉલ્ફિન અને વહેલ માથાના ઉપરના ભાગે ગોઠવાયેલ શ્વસન છિદ્રો દ્વારા હવા લે છે. અને લાંબા સમય સુધી પાણીમાં રહે છે. તેઓને જ્યારે ફરીથી શ્વાસ માટે હવાની જરૂર હોય ત્યારે ફરીથી પાણીની સપાટી પર આવે છે. આમ, તેઓ શ્વસન દરમિયાન હવા લેવા માટે સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે.
44. જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય જણાવો.
ઉત્તર : જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખવાનું છે.
45. જલીય વનસ્પતિના પ્રકાંડની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તર : જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલાં અને હલકાં હોય છે. પ્રકાંડ પોલા હોવાથી તેમાં હવા રહી શકે છે. જે વનસ્પતિને પાણીમાં ડૂબી જતી અટકાવે છે. આ ઉપરાંત પ્રકાંડ લાંબા અને હલકાં હોવાથી પાણીનાં વહેણની સાથે વળી શકે છે જેથી તૂટી જતાં નથી.
46. કમળમાં પર્ણો અને પુષ્પની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તર : કમળ જલીય વનસ્પતિ છે. કમળના પર્ણો ઉપરથી અને નીચેની બંને સપાટી પર પર્ણરંઘ્રો ધરાવે છે. જેથી પાણી ગુમાવે છે. પર્ણો મોટા અને પહોળા હોવાથી પાણીની સપાટી પર તરતાં રહે છે. જેથી પ્રકાશસંશ્લેષણ થઇ શકે. પર્ણ અને પુષ્પોની પાંખડીઓ પર ચીકણું શ્લેષ્મ દ્વવ્ય હોય છે. જે તેમને પાણીથી ભીંજાવા દેતું નથી. પાણી સરકીને જતું રહે છે. જેથી વનસ્પતિ અને પુષ્પ કોહવાઈ જતા નથી.
47. પાણીમાં સંપુર્ણ ડૂબેલી જલીય વનસ્પતિનાં અનુકુલનો જણાવો.
ઉત્તર : (1) જલીય વનસ્પતિનાં પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવાં હોય છે જેથી વહેતા પાણીમાં વળી શકે છે અને તૂટી જતાં નથી.
(2) જલીય વનસ્પતિનાં મૂળ વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખે છે.
(3) પ્રકાંડ પોલાં, હલકાં અને વળી શકે તેવાં હોય છે.
(4) કેટલીક વનસ્પતિના પર્ણો અતિશય વિભાજીત હોય છે.
48. વૈજ્ઞાનિક રીતે સમજાવો : દેડકો જમીન અને પાણી, એમ બંને જગ્યાએ રહી શકે છે.
ઉત્તર : દેડકો શ્વસનઅંગ તરીકે ફેફસાં અને ચામડી ધરાવે છે. જ્યારે તે જમીન પર રહે છે. ત્યારે ફેફસાં શ્વાસોચ્છવાસ દ્રારા શ્વસનક્રિયામાં મદદ કરે છે. જ્યારે તે પાણીમાં હોય છે ત્યારે ચામડી દ્રારા શ્વસન કરે છે. દેડકાંની ચામડી પરનું ચીકણું દ્રવ્ય તેને પાણી સામે સક્ષણ આપે છે. તેનાં આગળના પગ ટૂંકા અને પાછળનાં પગ લાંબા હોવાથી તે જમીન પર કૂદી શકે છે. પાછળના પગની આંગળીઓ ત્વાચાથી જોડાયેલી હોવાથી પગનો હલેસાં તરીકે ઉપયોગ કરી પાણીમાં તરી શકે છે. આમ દેડકા જમીન અને પાણી અમે બંને જગ્યાએ રહેવા માટેનાં અનુકૂલનો ધરાવતાં હોવાથી બંને જગ્યાએ રહી શકે છે.
49. તફાવત આપો.
(1) જલીય વનસ્પતિ અને રણમાં ઊગતી વનસ્પતિ
ઉત્તર :
જલીય વનસ્પતિ | રણમાં ઊગતી વનસ્પતિ |
1. તેનાં પર્ણો મોટાં અને ચીકણાં હોય છે. જેથી પ્રકાશસંશ્લેષણ કરી શકે .
2. તેનાં પર્ણદંડ પોલાં, હલકાં અને વળી શકે તેવા હોય છે. 3. મૂળ પાણીમાં પળિયે સ્થાપિત અથવા તરતાં હોય છે. 4. ઉદાહરણ તરીકે કમળ, શિંગોડા |
1. તેનાં પર્ણો નાંના અને ઓછાં હોય છે. જેથી બાષ્પોત્સર્જન દ્રારા પાણી ઓછું ગુમાવે છે.
2. પર્ણ કે પ્રકાંડ લીલાં, જાડાં હોય છે. 3. મૂળ વિકસિત અને ઊંડે સુધી વિસ્તરેલાં હોય છે. 4. ઉદાહરણ તરીકે થોર, બાવળ |
(2) ઊંટનાં અનુકૂલનો અને પર્વતીય બકરીઓનાં અનુકૂલનો
ઉત્તર :
ઊંટનાં અનુકૂલનો | પર્વતીય બકરીઓનાં અનુકૂલનો |
1. તે રણવાસી પ્રાણી છે.
2. તેનાં પગ લાંબા, તળિયા પહોળાં અને ગાદીવાળા હોય છે. 3. તેની ચામડી જાડી અને વધુ રૂંવાટી વગરની હોય છે. 4. તેનામાં પાણી અને ખોરાકનો સંગ્રહ કરવાનું અનુકલન છે. |
1. તે પર્વતવાસી પ્રાણી છે.
2. તેનાં પગ પાતળાં અને મજબૂત ખરીવાળા હોય છે. 3. તેની ચામડી જાડી અને રૂંવાટીવાળી હોય છે. 4. તેનામાં પાણી અને ખોરાકનો સંગ્રહ કરવાનું અનુકૂલન નથી. |
50. સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો : ( હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી, અળસિયુંમ વાદળ, વંદો)
ઉત્તર : સજીવ : મશરૂમ, જળકુંભી, અળસિયું, વંદો
નિર્જીવ : હળ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, વાદળ
51. પ્રાણીઓ ખોરાક માટે……………….અને………………પર નિર્ભર હોય છે.
ઉત્તર : વનસ્પતિ, પ્રાણીઓ
52. શ્વાસોચ્છવાસ એ ……………..ક્રિયાનો એક ભાગ છે.
ઉત્તર : શ્વસન
53. નીચેન સજીવોના વાત–વિનિમય માટેનાં અંગો જણાવો.
(1) માનવી : ………………..
ઉત્તર : ફેફસાં
(2) વહેલ : ………………….
ઉત્તર : શ્વસનછિદ્રો (ફેફસાં)
(3) અળસિયાં : ………………
ઉત્તર : ચામડી
(4) માછલી : ………………..
ઉત્તર : ચૂઇ (ઝાલર)
(5) દેડકો : …………………..
ઉત્તર : ફેફસાં, ચામડી
(6) વનસ્પતિ : …………………
ઉત્તર : પર્ણ
54. રાત્રે ઘટાદાર વૃક્ષ નીચે સૂવું ન જોઇએ, કારણ કે……….
ઉત્તર : વનસ્પતિ પર્ણોમાં રહેલાં સૂક્ષ્મછિદ્રો દ્રારા હવા લઈ ઓક્સિજનનો ઉપયોગ કરી બહાર કાઢે છે. આ ઉપરાંત સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન નો ઉપયોગ કરી ઓક્સિજન મુક્ત કરે છે. રાત્રિ દરમ્યાન પ્રકાશસંશ્લેષણ થતું નથી. તેથી વનસ્પતિ માત્ર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. જેથી રાત્રે ઘટાદાર વૃક્ષ નીચે સૂવું ન જોઇએ.
55. વ્યાખ્યા લખો : ઉત્તેજના
ઉત્તર : સજીવની આસપાસના એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે. તેને ઉત્તેજના કહે છે.
56. આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે, તેને……………..કહે છે.
ઉત્તર : ઉત્તેજના
57. માનવીની આંખો………………પ્રત્યે સંવેદનશીલ છે.
ઉત્તર : પ્રકાશ
58. સૂર્યમુખીનું ફુલ ………………પ્રત્યે સંવેદનશીલ છે.
ઉત્તર : સુર્યપ્રકાશ
59. લજામણીમાં પર્ણ………………પ્રત્યે સંવેદનશીલ છે.
ઉત્તર : સ્પર્શ
60. પાણી મેળવતો કૂંડામાંનો છોડ………………….પ્રત્યે સંવેદનશીલ છે.
ઉત્તર : સૂર્યપ્રકાશ
61. વ્યાખ્યા આપો : ઉત્સર્જન
ઉત્તર : સજીવો દ્રારા શરીરમાં ઉત્પન્ન થતા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે.
62. વ્યાખ્યા આપો : પ્રજનન
ઉત્તર : દરેક સજીવ દ્રારા પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે.
63. વનસ્પતિ ઉત્તેજનાની સામે પ્રતિચાર આપે છે. તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર : હેતુ : વનસ્પતિ ઉત્તેજનાની સામે પ્રતિચાર આપે છે તે સાબિત કરવું.
સાધન–સામ્રગી : કૂંડામાં ઉગાડેલો છોડ
આકૃતિ :
પધ્ધતિ : કૂંડામાં ઊગેલો એક ટટ્ટાર છોડ લો. ઘરનાં રૂમમાં એવી બારી પસંદ કરો. જેમાંથી થોડા સમય માટે સૂર્યપ્રકાશ અંદર આવી શકે. બારીથી થોડે દૂર કૂંડમામાં ઉગાડેલો છોડ મૂકો. આ છોડને નિયમિત રીતે પાણી આપો. હવે એક–બે દિવસ પછી છોડ ટટ્ટાઠ છે કે વળેલો તેનું અવલોકન કરો.
અવલોકન : વનસ્પતિનો છોડ બારી તરફ સૂર્યપ્રકાશની દિશામાં વળીને વિકાસ પામતો હોય છે.
નિર્ણય : વનસ્પતિ સૂર્યપ્રકાશની ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે.
64. બચ્ચાંને જન્મ આપનાર કોઇ પણ ચાર સજીવોનાં નામ જણાવો.
ઉત્તર : માનવી, ગાય, હાથી, વાંદરો
65. ઇંડા મૂકતાં કોઇપણ ચાર સજીવોનાં નામ જણાવો.
ઉત્તર : કીડી, પતંગિયું, ચકલી, કાગડો.
66. બીજાંકુરણ દ્રારા નવો છોડ ઉગતો હોય તેવી ચાર વનસ્પતિઓનાં નામ આપો.
ઉત્તર : ઘઉં, બાજરી. મગ, ચણા
65. ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઇ વનસ્પતિ કે પ્રાણી કોઇ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે, તેને …………………….કહે છે.
ઉત્તર : અનુકૂલન
66. બટાટાનાં…………..માંથી નવો છોડ વિકસી શકે છે.
ઉત્તર : પ્રાંકુર
65. ગુલાબ, મેંદી જેવી વનસ્પતિની ……………….કરીને નવો છોડ ઉગાડી શકાય છે.
ઉત્તર : કલમ
66. વનસ્પતિ પણ હલનચલન કરે છે – ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર : સૂર્યમુખીનાં ફૂલ પ્રકાશની દિશા પ્રમાણે પોતાની દિશા બદલે છે. કેટલીક વનસ્પતિનાં ફુલ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં રાત્રે જ ખીલે છે, ઉદાહરણ તરીકે રાતરાણી. કેટલીક વનસ્પતિનાં ફુલ સવારે ખીલે છે અને સૂર્યાસ્ત થતા પુષ્પ બંધ થઇ જાય છે. લજામણી જેવી વનસ્પતિનાં પર્ણને કોઈ અડકે ત્યારે પર્ણ બંધ થઇ જાય છે. આમ, વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપતાં હલનચલન કરે છે.
65. સજીવો પ્રજનન શા માટે કરે છે ?
ઉત્તર : દરેક સજીવ એકબીજાથી ભિન્ન અને કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. પરંતુ દરેક સજીવ મૃત્યુ પામે છે તેથી પોતાના જેવા જ બીજા સજીવોની ઉત્પત્તિ દ્રાર પોતાની જેવી જ જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખવા માટે પ્રજનન કહે છે.
66. સજીવોનાં સામાન્ય લક્ષણો જણાવો.
ઉત્તર : (1) સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે.
(2) તે ખોરાક લે છે.
(3) તે સંવેદના અનુભવે છે.
(4) એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પોતાની જાતે કરી શકે છે.
(5) તે શ્વસન કરે છે.
(6) તે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરી અસ્તિત્વ ટકાવી રાખે છે.
67. તફાવત આપો :
(1) શ્વસન અને પ્રકાશસંશ્લેષણ
શ્વસન | પ્રકાશસંશ્લેષણ |
1. આ ક્રિયા વનસ્પતિ અને પ્રાણી બંનેમાં થાય છે.
2. આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. |
1. આ ક્રિયા ફકત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે.
2. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. |
(2) સજીવ અને નિર્જીવ
સજીવ | નિર્જીવ |
1. તે ખોરાક લે છે.
2. તે વૃદ્ધિ અને વિકાસ પામે છે. 3. તે શ્વસન કરે છે, ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. 4. તે પ્રજનન કરે છે. 5. તે હલન–ચલન કે પ્રચલન કરે છે. |
1. તે ખોરાક લેતાં નથી.
2. તે વૃદ્ધિ અને વિકાસ પામતાં નથી. 3. તે શ્વસન કરતાં નથી, ઉત્તેજનાને પ્રતિચાર આપતાં નથી. 4. તે પ્રજનન કરતાં નથી. 5. તે પ્રચલન કરતાં નથી. |
68. નિર્જીવનાં સામાન્ય લક્ષણો જણાવો.
ઉત્તર : (1) તે ખોરાક લેતાં નથી.
(2) તે વૃદ્ધિ અને વિકાસ પામતાં નથી.
(3) તે શ્વસન કરતાં નથી, ઉત્તેજનાને પ્રતિચાર આપતાં નથી.
(4) તે પ્રજનન કરતાં નથી.
(5) તે પ્રચલન કરતાં નથી.
(6) તેઓ સંવેદના ધરાવતાં નથી.
69. નીચેનાં વાક્યો પૂર્ણ કરો.
(1) રણના ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે………….
ઉત્તર : તેઓ રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે. રાત્રિ દરમ્યાન બહાર આવે છે.
(2) હિમ–ચિત્તાને ઠંડીથી બચવા માટે…………..
ઉત્તર : જાડી ચામડી હોય છે, તેના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે.
(3) જલીય વનસ્પતિનાં પ્રકાંડ……………..
ઉત્તર : લાંબા, પોલાં અને હલકાં, નમનીય હોય છે.
(4) વનસ્પતિ શ્વસનક્રિયા દરમિયાન…………….
ઉત્તર : પર્ણના સૂક્ષ્મછિદ્રો દ્રારા હવા અંદર લે છે, ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.
(5) દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની આંગળીઓ………….
ઉત્તર : ચામડી દ્રારા જોડાયેલી હોય છે.
- પૃથ્વી પર સજીવો ન હોય તેવા વિશાળ વિસ્તાર ઘણા છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
71.રણમાં ઊગતી વનસ્પતિમાં પર્ણો મોટાં હોય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
- થોરમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા પ્રકાંડમાં થાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
- પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
- સ્કિવિડ ધારારેખીય આકારનું શરીર ધરાવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
- ડૉલ્ફિન ચૂઇ ધરાવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
- જૈવિક ક્રિયાઓ માટે જરૂરી ઊર્જા ખોરાકમાંથી મળે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
- દરેક સજીવ વિકાસ પામતો નથી. (✔ કે ✖)
ઉત્તર : ✖
- ખોરાકમાંથી ઊર્જા મુક્ત થવા માટે શ્વસનક્રિયા પણ જરૂરી છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
- વનસ્પતિમાં શ્વસનક્રિયા માત્ર દિવસે જ થાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
- માત્ર પ્રાણીઓ જ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
- સજીવો પ્રચલન દ્વારા તેમના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖