ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પાઠ : ૦૫ શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
1. ભારતમાં ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં કયા બે મહાન સુધારકોએ સામાજિક-ધાર્મિક સુધારણાના કાર્યો કર્યા હતાં?
ઉત્તર : બુદ્ધ અને મહાવીરે
2. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા ……………… અને ………………. વાંચવા જોઈએ.
ઉત્તર : જાતક કથાઓ, બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક
ઉત્તર : ત્રિપિટકના નામ આ પ્રમાણે છે : (1) સૂત્ત પિટ્ટક (2) વિનય પિટ્ટક (3) અભિધમ્મ પિટ્ટક
4. ગૌતમ બુદ્ધના પૂર્વ જન્મો સાથે કેટલી જાતકકથાઓ સંકળાયેલી છે?
ઉત્તર : 550
5. કપિલવસ્તુ નામનું રાજ્ય કયા ક્ષેત્રમાં આવેલું હતું?
ઉત્તર : હિમાલય
6. કપિલવસ્તુનાં ક્ષત્રિયો શું કહેવાતા?
ઉત્તર : શાક્ય
7. કપિલવસ્તુ ગણરાજ્યનાં વડા કોણ હતા?
ઉત્તર : શુદ્ધોધન
8. ગૌતમ બુદ્ધનાં માતાપિતાનાં નામ જણાવો.
ઉત્તર : ગૌતમ બુદ્રના માતાનું નામ મહાદેવી અને પિતાનું નામ શુદ્ધોધન હતું.
9. ગૌતમ બુદ્ધનું નું બાળપણનું નામ ………….. હતું.
ઉત્તર : સિદ્ધાર્થ
10. ગૌતમ બુદ્ધના પાલક માતાનું નામ જણાવો.
ઉત્તર : ગૌતમ બુદ્ધના પાલક માતાનું નામ ગૌતમી મહાપ્રજાપતિ હતું.
11. નાનપણથી જ સિદ્ધાર્થ …………. અને …………. સાથે સંકળાયેલા હતા.
ઉત્તર : શિક્ષણ, જ્ઞાન
12. બાળક સિદ્ધાર્થના ગુરુ કોણ હતા?
ઉત્તર : આલારકલામ
13. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા, કારણ કે…
ઉત્તર : સિદ્ધાર્થ યુવાવસ્થામાં જ તેમના ગુરુ આલારકલામનાં આશ્રમમાં જતા અને જ્ઞાન અને સમાધીની ચર્ચા કરતા. આથી તેમના પિતાને ચિંતા થઇ કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને? આ ચિંતાને કારણે સિદ્ધાર્થનાં યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા.
ઉત્તર : યશોધરા
15. સિદ્ધાર્થે લગભગ કેટલા વર્ષની ઉમરે સંસારત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું?
ઉત્તર : 30
16. સિદ્ધાર્થે ……………. અને ………….. ની શોધ માટે સંસારનો ત્યાગ કર્યો.
ઉત્તર : જ્ઞાનપ્રાપ્તિ, સત્ય
17. સિદ્ધાર્થના સારથીનું નામ ………………. અને ઘોડાનું નામ ………………….. હતું.
ઉત્તર : છન્ન, કંથક
18. સિદ્ધાર્થ ગૃહત્યાગ બાદ સૌપ્રથમ ક્યા બે સ્થળે ગયા હતા?
ઉત્તર : સિદ્ધાર્થ ગૃહત્યાગ બાદ સૌપ્રથમ રાજગૃહ અને પછી પુરુવેલાં નામના સ્થળે ગયા હતા.
19. ગૃહત્યાગ પછી ગૌતમ બુદ્ધે કયા સ્થળે સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના કરી હતી?
ઉત્તર : બોધિગયા
20. સિદ્ધાર્થે …………….. ના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી.
ઉત્તર : પીપળા
21. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?
ઉત્તર : ગૌતમ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી.
22. ‘બુદ્ધ’ નો અર્થ શું થાય છે ?
ઉત્તર : બુદ્ધ’નો અર્થ ‘જાગ્રત’ કે ‘જ્ઞાની’ થાય છે.
23. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કહેવાયા, કારણ કે…
ઉત્તર : સિદ્ધાર્થે એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાનાં વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી, ઘણા દિવસો પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતા તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. આમ, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કહેવાયા.
24. ગૌતમ બુદ્ધના ગૃહત્યાગ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : ગૌતમ બુદ્ધે 30 વર્ષની વયે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે સારથી છન્ન અને પ્રિય અશ્વ કંથકને લઇ ચૂપચાપ ઘર છોડી રાજ્ય બહાર નદીકિનારે ગયા. ત્યાં પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી આભૂષણો સારથી છન્નને આપી કંથકની સાથે રાજમહેલ જવા આજ્ઞા કરી પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલી નીકળ્યાં.
25. સિદ્ધાર્થ રાજકુમારમાંથી ગૌતમ બુદ્ધ કેવી બન્યા?
ઉત્તર : રાજકુમાર સિદ્ધાર્થ પોતાના ગુરુ આલારકલામના આશ્રમમાં જતાં. તેઓ ત્યાં ધ્યાન ધરતા અને જ્ઞાન તથા સમાધિની ચર્ચા કરતા હતા. યુવાવસ્થામાં જ તેમનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. તેમણે માત્ર 30 વર્ષની વયે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવા રાજ્ય અને પરિવારનો ત્યાગ કરી ભગવાં કપડાં ધારણ કરી ગૃહત્યાગ કર્યો. સિદ્ધાર્થ ગૃહત્યાગ બાદ રાજગૃહ અને પછી પુરુવેલા ગયા. ત્યાં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરી. તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાનપ્રાપ્તિ થશે નહીં. તેથી તેમણે બ્રાહ્મણોનો સાથ છોડી એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાનાં વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. આમ, જ્ઞાનપ્રાપ્તિ થતાં તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ (જ્ઞાની) થયા અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા.
26. જ્ઞાનપ્રાપ્તિ થયા પછી બુદ્ધ સૌપ્રથમ કયા સ્થળે ગયા હતા?
ઉત્તર : જ્ઞાનપ્રાપ્તિ થયા પછી બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા.
27. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?
ઉત્તર : સારનાથ
28. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?
ઉત્તર : બુદ્ધના પ્રથમ ઉપદેશને ‘ધર્મચક્રપ્રવર્તન’ કહેવામાં આવે છે.
29. ગૌતમ બુદ્ધના મતે કેટલા આર્ય સત્ય છે?
ઉત્તર : ચાર
30. ગૌતમ બુદ્ધના મતે કયા ચાર આર્ય સત્ય છે?
ઉત્તર : ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય છે :
31. ગૌતમ બુદ્ધે સમજાવેલ ચાર આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે?
ઉત્તર : બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો
32. સમ્યક્ દર્શન કોને કહે છે?
ઉત્તર : ગૌતમ બુદ્ધના મુખ્ય ઉપદેશ ચાર આર્ય સત્ય છે. જે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે અને તેને સમ્યક્ દર્શન કહે છે.
33. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી કયા વાદને મહત્ત્વ આપ્યું?
ઉત્તર : કર્મવાદ
34. ગૌતમ બુદ્ધના સમયમાં હિંદુ ધર્મ કેટલા વર્ણોમાં વહેંચાયેલો હતો? કયા કયા?
ઉત્તર : ગૌતમ બુદ્ધના સમયમાં હિંદુ ધર્મ ચાર વર્ણોમાં વહેંચાયેલો હતો. (1) બ્રાહ્મણ (2) ક્ષત્રિય (3) વૈશ્ય (4) શુદ્ર
35. મનુષ્ય કેવી રીતે મહાન બની શકે છે?
ઉત્તર : મનુષ્ય પોતાના કર્મોથી, સદ્વિચારથી, સત્ય અને અહિંસાના પાલન મહાન બની શકે છે.
- બુદ્ધે સમાજમાં વ્યાપેલા ……………. ના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો.
ઉત્તર :ઊંચ-નીચ - બુદ્ધના મત મુજબ સ્ત્રીઓ ………… અને …………. થી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે.
ઉત્તર :સાધના, કર્તવ્ય37. ટૂંકનોંધ લખો : બુદ્ધ એક મહાન સુધારક
ઉત્તર : બુદ્ધ એક મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા તેમણે આજીવન કાર્ય કર્યું હતું. તેમણે નીચે મુજબ સુધારકાર્યો કર્યા હતા.
(1) ઇશ્વર અને આત્માનો ઇન્કાર : બુદ્ધે ઇશ્વર અને આત્માનો ઈન્કાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. તેમણે લોકોને વર્તમાનકાળમાં સદ્વિચારયુક્ત જીવન જીવવા જણાવ્યું હતું.
(2) કર્મકાંડનો વિરોધ : હિંદુધર્મમાં વ્યાપેલ કર્મકાંડોનો વિરોધ કરી પશુહિંસા અટકાવવા પશુબલિનો વિરોધ કર્યો. તેમણે જણાવ્યું હતું કે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું જોઈએ.
(3) ઊંચ-નીચના ભેદભાવોનો વિરોધ : તેમણે વર્ણવ્યવસ્થાનો વિરોધ કર્યો અને તે આધારિત ઊંચ-નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો,
(4) સ્ત્રીઓને મહત્ત્વ : બુદ્ધે પોતાના માનવધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું હતું. તેમણે કહ્યું કે સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે.
- ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા?
ઉત્તર : ગૌતમ બુદ્ધનાં સમયમાં હિંદુ ધર્મમાં વિવિધ કર્મકાંડો ચાલતા હતા. યશોમાં પશુબલિ ચડાવાતી હતી. હિંદુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવી વર્ણવ્યવસ્થા ધરાવતો હતો, જેમાં ઊંચ-નીચના ભેદભાવ હતા. વળી સ્ત્રીઓને પુરુષો કરતા નિમ્ન ગણવામાં આવતી હતી.39. ગૌતમ બુદ્ધે ………… અને ………….. ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ-નીચના ભેદભાવનો વિરોધ કર્યો.
ઉત્તર : સત્ય, અહિંસાનો40. ગૌતમ બુદ્ધનું અવસાન ……………… વર્ષે થયું હતું.
ઉત્તર :8041. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
ઉત્તર :કુશીનારા42. …………. જૈન ધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ સ્રોત છે.
ઉત્તર : આગમગ્રંથો43. જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું નામ જણાવો.
ઉત્તર : જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભદેવ અથવા આદિનાથ હતા.44. પાર્શ્વનાથ કાશીના રાજા ……………… ના પુત્ર હતા.
ઉત્તર : અશ્વસેન45. પાર્શ્વનાથે કઈ બાબતનો વિરોધ કર્યો હતો?
ઉત્તર : પાર્શ્વનાથે વૈદિક ધર્મ, કર્મકાંડ અને જાતિપ્રથાનો વિરોધ કર્યો હતો.46. જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર એટલે …………….. .
ઉત્તર : મહાવીર સ્વામી47. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
ઉત્તર : કુંડગ્રામ48. મહાવીર સ્વામીનું બાળપણનું નામ ………….. હતું.
ઉત્તર : વર્ધમાન49. મહાવીર સ્વામીનાં પિતાનું નામ જણાવો.
ઉત્તર : મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું.50. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
ઉત્તર : ત્રિશલાદેવી51. વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું?
ઉત્તર : નંદિવર્ધન52. વર્ધમાનના લગ્ન રાજકુમારી ……….. સાથે થયા હતા.
ઉત્તર : યશોદા53. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?
ઉત્તર : પ્રિયદર્શિની54. પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો?
ઉત્તર : 3055. વર્ધમાન મહાવીરે ભિક્ષુકજીવન ધારણ કર્યા બાદ કેટલા વર્ષ કઠોર તપશ્ચર્યા કરી?
ઉત્તર : બાર56. મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું?
ઉત્તર : ઋજુપાલિક57. કારણ આપો : મહાવીર સ્વામી ‘જિન’ કહેવાયા, કારણ કે…
ઉત્તર : મહાવીર સ્વામીએ ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ ‘જિન’ કહેવાયા.58. મહાન વર્ધમાન ………… તરીકે જાણીતા થયા.
ઉત્તર : મહાવીર59. મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યાં હતા?
ઉત્તર : પાંચ60. મહાવીર સ્વામીએ કયા પાંચ વ્રતો આપ્યા હતા?
ઉત્તર : મહાવીર સ્વામીએ આપેલ પાંચ વ્રતો : (1) અહિંસા (2) સત્ય (3) અસ્તેય (4) અપરિગ્રહ (5) બ્રહ્મચર્ય71. મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શો હતો?
ઉત્તર : મહાવીર સ્વામીનાં મુખ્ય ઉપદેશને ત્રિરત્નનાં સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે : સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. તેમણે નીચે પ્રમાણેના પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો :
(1) કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણીમાત્રની રક્ષા કરવી.
(2) સત્યનું નિત્ય પાલન કરવું અને ક્રોધનો ત્યાગ કરવો.
(3) ચોરી કદી ન કરવી. અન્યની વસ્તુ અનુમતિ વગર ગ્રહણ કરવી નહીં.
(4) જરૂર કરતાં વધુ વસ્તુઓ, ધન-ધાન્ય, વસ્ત્રો, આભૂષણો વગેરેનો સંગ્રહ કરવો નહીં.
(5) જૈન સાધુ-સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું.
72. મહાવીર સ્વામીના મતે અહિંસાનો સિદ્ધાંત સમજાવો.
ઉત્તર : મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવસમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઇએ નહિ, નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઇએ નહિં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.
73. મહાવીર સ્વામીએ જૈન સાધુ-સાધ્વીઓને કઈ બાબતનું પાલન કરવા ખાસ જણાવ્યુ હતું?
ઉત્તર : મહાવીર સ્વામીએ જૈન સાધુ-સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું.
74. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
ઉત્તર : પ્રાકૃત અને અર્ધમાગ્ધી
75. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી?
ઉત્તર : ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બન્નેએ કર્મકાંડો અને યજ્ઞોનો વિરોધ કર્યો હતો. તેમણે ઈશ્વર કરતા કર્મને મહત્ત્વ આપ્યું. પશુહિંસાનો વિરોધ કર્યો. સ્ત્રીઓ માટે સમાન અધિકારની વાત કરી. તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગ્નીમાં ઉપદેશ આપી લોકોનું જીવન બદલી નાખ્યું. બંન્નેએ લોકોને શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. આમ, બુદ્ધ અને મહાવીર બંને સમાજમાં સદ્વિચારના પ્રવર્તક બની રહ્યાં.
76. મહાવીર સ્વામી 72 વર્ષની વયે ………… નિર્વાણ પામ્યા.
ઉત્તર : પાવાપુરીમાં
77. જોડકા જોડો :
(1)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ | (A) કુશીનારા |
(2) ગૌતમ બુદ્ધની જ્ઞાનપ્રાપ્તિનું સ્થળ | (B) રાજગૃહ |
(૩) ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ | (C) કપિલવસ્તુ |
(4) ગૌતમ બુદ્ધના ગૃહત્યાગ બાદનું સ્થળ | (D) સારનાથ |
(5) ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થળ | (E) બોધિગયા |
જવાબ |
(1) – C |
(2) – E |
(3) – D |
(4) – B |
(5) – A |
(2)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) મહાવીર સ્વામીનું જન્મસ્થળ | (A) બ્રહ્મચર્ય |
(2) મહાવીર સ્વામીનો ઉપદેશ | (B) આગ્મગ્ર્ન્થો |
(3) મહાવીર સ્વામીનું નિર્વાણ | (C) કુંડગ્રામ |
(4) જૈન સાધુ-સાધ્વીઓનું વ્રત | (D) ત્રિરત્ન સિધ્ધાંત |
(5) જૈન ધર્મના ગ્રંથો | (E) પાવાપુરી |
જવાબ |
(1) – C |
(2) – D |
(3) – E |
(4) – A |
(5) – B |