ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ૧૪ વિવિધતામાં એકતા
પાઠ ૧૪ વિવિધતામાં એકતા
૧.ભારત વિવિધતાઓ ના કારણે એક શું બની ગયો ?
ઉત્તર : ભારત વિવિધતાઓ ના કારણે એક ઉપખંડ બની ગયો છે.
૨.આપણા દેશમાં લોકો કયા કયા ધર્મ પાળે છે ?
ઉત્તર : આપણા દેશમાં લોકો હિન્દુ ઈસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ પારસી વગેરે ધર્મ પાળે છે.
૩.પંજાબ માં કયો ધર્મ પાળનારા લોકો વધારે છે ?
ઉત્તર : પંજાબમાં શીખ ધર્મ પાળનારા લોકો વધારે છે.
૪.ભારત બિનસાંપ્રદાયિક દેશ છે : વિધાન સમજાવો.
ઉત્તર : વિવિધ જાતિઓ ધર્મો રીતરિવાજો સંસ્કૃતિ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિ નું સર્જન કરી શક્યો છે.
ભારતે વસુધૈવ કુટુંબકમ્ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે તેથી ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
- આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે ?
ઉત્તર : આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે જેવી ભાષાઓ બોલાય છે.૬.મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે ?
ઉત્તર : મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે મરાઠી ભાષા બોલે છે.૭.ભારતમાં કયા રાજ્ય ના રાસ ગરબા જાણીતા છે ?
ઉત્તર : ભારતમાં ગુજરાત રાજ્ય ના રાસ ગરબા જાણીતા છે.૮.પંજાબના લોકો કયા નૃત્ય માટે જાણીતા છે ?
ઉત્તર : પંજાબના લોકો ભાંગડા નૃત્ય માટે જાણીતા છે.૯.અસમ નું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તર : અસમ નું જાણીતું નૃત્ય બિહુ છે.૧૦.રાજસ્થાન નું પ્રસિદ્ધ નૃત્ય કયું છે ?
ઉત્તર : રાજસ્થાન નું પ્રસિદ્ધ નૃત્ય ઘુમ્મર છે.૧૧.આપણા દેશમાં કયા કયા નૃત્ય જાણીતા છે ?
ઉત્તર : આપણા દેશમાં રાસ ગરબા (ગુજરાત),ભાંગડા (પંજાબ), કથક (ઉત્તરપ્રદેશ), કુચીપુડી (આંધ્રપ્રદેશ) ,કથકલી (કેરલ) , ભરતનાટ્યમ (તમિલનાડુ), બિહુ (અસમ) , ઓડિસી (ઓડીશા) અને ઘુમ્મર (રાજસ્થાન) વગેરે અનેક પ્રકારના નૃત્યો રસપૂર્વક કરે છે.૧૨. ટૂંકનોંધ લખો – ભારતમાં વિવિધતા
ઉત્તર : ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે, આપણા દેશની પ્રજા પોશાક , ખોરાક ,રહેઠાણ , ધર્મ , ભાષા રીતરિવાજ , તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે.છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા જોવા મળે છે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મ, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્ય ની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે અને આ પ્રમાણેની ભારતની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે.૧૩. આપણો દેશ કયા કારણે વિવિધતા વાળો દેશ બન્યો છે ?
ઉત્તર : આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે.૧૪.આપણા દેશમાં લોકો કયા કયા તહેવારો ઉજવે છે ?
ઉત્તર : આપણા દેશના લોકો દિવાળી , મકરસંક્રાંતિ, હોળી, દશેરા ,શિવરાત્રી ,ગણેશ ચતુર્થી ,ઈદ, નાતાલ ,અષાઢી બીજ, મહોરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતી ,પતેતી ,વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો એકસાથે મળીને ઉજવે છે.૧૫. કયા રાજ્યના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે?
ઉત્તર : પંજાબ રાજ્યના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે.૧૬.મહાવીર જયંતી નો ઉત્સવ કયા ધર્મના લોકો ઊજવે છે ?
ઉત્તર : મહાવીર જયંતી નો ઉત્સવ જૈન ધર્મના લોકો ઊજવે છે.૧૭.ભારતની સંસ્કૃતિ ની આગવી વિશેષતા કઈ છે ?
ઉત્તર : ભારતની સંસ્કૃતિ ની આગવી વિશેષતા વિવિધતામાં એકતા છે.૧૮.રાષ્ટ્રીય એકતા કોને કહેવાય?
ઉત્તર : જુદા જુદા ધર્મ ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્ય ની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે.૧૯.રાષ્ટ્રીય એકતા થી કયા ક્ષેત્રોમાં વિકાસ થાય છે ?
ઉત્તર : રાષ્ટ્રીય એકતા થી રાષ્ટ્રનો આર્થિક-સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે.૨૦.ડોક્ટર રાધાકૃષ્ણને કઈ આવશ્યકતા સ્વીકારવા પર ભાર મૂક્યો હતો ?
ઉત્તર : ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા ની આવશ્યકતા સ્વીકારવા પર ભાર મૂક્યો હતો.
પાઠ ૧૪ વિવિધતામાં એકતા
૨૧.ડોક્ટર રાધાકૃષ્ણ ને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે?
ઉત્તર : જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતા ની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.
૨૨.આપણું રાષ્ટ્ર ગીત કોણે લખ્યું છે?
ઉત્તર : આપણું રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટાગોર જી એ લખેલું છે.
૨૩.વસુધૈવ કુટુમ્બકમ્ એટલે શું થાય ?
ઉત્તર : વસુધૈવ કુટુમ્બકમ્ એટલે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવો અર્થ થાય છે.
૨૪.ટૂંકનોંધ લખો- ભારતના લોકોમાં જોવા મળતી વિવિધતા માં એકતા.
ઉત્તર : રાષ્ટ્રીય એકતા થી રાષ્ટ્રનો આર્થિક-સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે વિવિધતાઓ ની વચ્ચે પણ લોકો શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તેથી જ ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતા ની આવશ્યકતા સ્વીકારવી જ પડશે આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા વિવિધતામાં એકતા આપણા દેશની આગવી વિશેષતા છે.
૨૫. સ્વતંત્રતાની ની લડાઈમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા ?
ઉત્તર : સ્વતંત્રતાની લડાઈમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા.
૨૬.ભારત ભાતીગળ સંસ્કૃતિ નું સર્જન સાથે કરી શક્યું છે ?
ઉત્તર : ભારત વિવિધતા ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે.
૨૭. ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે ?
ઉત્તર : ભારતે વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
૨૮.આપણા દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે ?
ઉત્તર : આપણા દેશમાં આપણા દેશમાં ધર્મ સંપ્રદાયો જ્ઞાતિઓ ભાષાઓ અને ઉત્સવોનું ભેદભાવ જોવા મળે છે.
૨૯.પ્રારંભિક સમાજરચનામાં શાના આધારિત વર્ણ વ્યવસ્થા હતી?
ઉત્તર : પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી.
૩૦.આપણા દેશમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ શાથી ઉદ્ભવ્યા હતા ?
ઉત્તર : પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજીક રીતે પછાત રહી જવા પામ્યા હતા આથી આપણા દેશમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદભવ્યા હતા.
૩૧. ભારતમાંથી અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થઈ છે ?
ઉત્તર : દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકાર અધિકારને સ્થાન મળતા ભારત દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે.
૩૨. ટૂંકનોંધ લખો : વિવિધતા માં જોવા મળતા ભેદભાવ.
ઉત્તર : વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે દેશમાં અમીર- ગરીબ છોકરા- છોકરી સાક્ષર- નિરક્ષર શહેરી-ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે.
પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા હતી કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજીક રીતે પછાત રહી જવા પામ્યા હતા.આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદભવ્યા હતા ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે જેથી ભણેલા લોકોનું જીવનધોરણ ઊંચું જોવા મળે છે સમાજમાં તેઓ મોભાનું સ્થાન મેળવે છે સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા છે.
૩૩.સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા કયા હક વડે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?
ઉત્તર : સ્વતંત્ર ભારતના બંધારણના સમાનતાના હક વડે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
૩૪.મફત અને ફરજિયાત શિક્ષણ ના કાયદા થી કયા શિક્ષણની તકો મળવા લાગી છે ?
ઉત્તર : મફત અને ફરજિયાત શિક્ષણ અને કાયદાથી માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી છે.
૩૫.કયા કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઇ રહ્યા છે ?
ઉત્તર : લોકો પોતાના ધર્મનું પાલન કરે,પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઊજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઇ રહ્યા છે.
૩૬.છાત્રાલય અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ કોના માટે છે ?
ઉત્તર : છાત્રાલય અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ વિદ્યાર્થીઓ માટે છે.
૩૭.ટૂંકનોંધ લખો : વિવિધતા અને સમાનતાના પ્રયાસો.
ઉત્તર : લોકો પોતાના ધર્મનું પાલન કરે પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઊજવી શકે તે પ્રકારની સ્વતંત્રતા મેળવવા ના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઇ રહ્યા છે ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી છે જેથી સામાજિક આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઇ રહી છે.
૩૮.રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માં કોની ભૂમિકા મહત્વની છે?
ઉત્તર : રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માં સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે.
૩૯.દેશ માં છોકરીઓમાં શાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ કુરિવાજો નો ભોગ બને છે ?
ઉત્તર : દેશમાં છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ કુરિવાજો નો ભોગ બને છે.
૪૦.સ્ત્રીઓ કેવા કુરિવાજો નો ભોગ બને છે ?
ઉત્તર : સ્ત્રીઓમાં સાક્ષરતા નું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળલગ્ન પડદા પ્રથા દહેજપ્રથા તથા અન્ય કુરિવાજો નો ભોગ બને છે.
૪૧.ભારતીય સમાજમાં શાને પ્રાધાન્ય આપવામાં આવે છે ?
ઉત્તર : ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે.
૪૨.ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ કઈ હત્યાનો ભોગ બને છે ?
ઉત્તર : ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ સ્ત્રીભ્રુણ હત્યાનો ભોગ બને છે.
૪૩.છોકરાઓ છોકરીઓ ના ભેદભાવ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર : ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે સ્ત્રી-પુરુષની જૈવિક વિવિધતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટીકોણ થી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે આજે પણ મોટા ભાગનાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે રસોડામાં રસોઈ બનાવે અને બાળઉછેર નું કામ કરે છે આમ છોકરા છોકરીઓના ભેદભાવ જોવા મળે છે.
૪૪.ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ ની સ્થાપના ક્યારે થઈ હતી ?
ઉત્તર : ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ ની સ્થાપના 1992 માં થઈ હતી.
૪૫.કઈ મિલકત ની અંદર સ્ત્રીઓને સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે ?
ઉત્તર : કુટુંબની માલમિલકત સ્ત્રીઓને સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે.
૪૬.કયા કુરિવાજ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે ?
ઉત્તર : બાળલગ્નો દહેજપ્રથા સ્ત્રીભૃણ હત્યા વગેરે કુરિવાજ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે.