ધોરણ – 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર
2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર
પ્રશ્ન-1 નીચેની ખાલી જગ્યાઓ પૂરો.
1. રેલ્વે ભારતમાં આશરે ________સુધીથી ચાલે છે.
જવાબ. દોઢસો વર્ષ
2. આદિમાનવો એટલે ખૂબ જ _______ સમયના માનવો.
જવાબ. જૂના
૩. શિકારી અને ભટકતુ જીવન જીવતા માનવો પથ્થરની ટેક્નોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને _______ યુગ કહેવામાં આવે છે.
જવાબ. પાષાણ
4. ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા લગભગ ________ ચિત્રો મળી આવ્યા છે.
જવાબ. 500
5. દક્ષિણ ભારતના ________ માં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે.
જવાબ. કુર્નલ
6. આજથી લગભગ_________ વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો.
જવાબ. 11,000
7. મધ્ય ભારતની __________પર્વતમાળામાં આદિમાનવના વસવાટવાળી અનેક ગુફાઓ મળી આવી છે.
જવાબ. વિંધ્ય
8. અગ્નિની જેમ પરિવર્તન લાવનાર બીજું માટે એટલે કે ________ .
જવાબ. ચક્ર(પૈડું)
9. આદિમાનવો ________ આસપાસ ધાન્ય ઉગાડતા હતા.
જવાબ. નદીની
10. લોકો ધાન્ય ઉગાડવા ________ ઉપયોગ કરતા હતા.
જવાબ. પથ્થરોનો
11. અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે ________ માટલા-ઘડા બનાવવાની શરૂઆત કરી.
જવાબ. માટીના
12. આદિમાનવના વસવાટનું સ્થળ કોલ્ડીહવા________ રાજ્યમાં આવેલું છે.
જવાબ. ઉત્તર પ્રદેશ
13. પુરાવા અનુસાર, આદિમાનવ મૃત્યુ પામનારને _________ થી દફનાવતા હતા.
જવાબ. માન-સન્માન
પ્રશ્ન-2 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
1. આદિમાનવ નું જીવન કેવું હતું?
(A)ભટકતું જીવન (B)સ્થાયી જીવન
(C)નગર વસાહતનું જીવન (D)ગ્રામીણ વસાહતનું જીવન
(C)નગર વસાહતનું જીવન (D)ગ્રામીણ વસાહતનું જીવન
જવાબ. (A)ભટકતું જીવન
2. આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા?
(A)વાઘ અને સિંહ (B)હાથી અને ગેંડા
(C)હરણ અને ઘેટાં-બકરા (D)ડાયનાસોર અને ગેંડા
(C)હરણ અને ઘેટાં-બકરા (D)ડાયનાસોર અને ગેંડા
જવાબ. (C)હરણ અને ઘેટાં-બકરા
૩. આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતો?
(A)બંદુક (B)પથ્થરનાં હથિયારો
(C)હાડકાનાં હથિયારો (D)લાકડાંનો હથિયારો
(C)હાડકાનાં હથિયારો (D)લાકડાંનો હથિયારો
જવાબ. (A)બંદુક
4. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો.
(A)ઈલેક્ટ્રીક (B)યાંત્રિક
(C)લોખંડની (D)પથ્થરની
(C)લોખંડની (D)પથ્થરની
જવાબ. (D)પથ્થરની
5. મેહરગઢ ક્યાં આવેલું છે.
(A)ભારતમાં (B)અફઘાનિસ્તાનમાં
(C)શ્રીલંકામાં (D)પાકિસ્તાનમાં
(C)શ્રીલંકામાં (D)પાકિસ્તાનમાં
જવાબ. (D)પાકિસ્તાનમાં
6. કાશ્મીરનું કયું સ્થળ પાષાણકાલીન અવશેષો ધરાવે છે?
(A)અનંતનાગ (B)બુર્જ્હોમ
(C)કુલુ (D)દહેરાદુન
(C)કુલુ (D)દહેરાદુન
જવાબ. (B)બુર્જ્હોમ
7. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
(A)મધ્યપ્રદેશ (B)ગુજરાત
(C)બિહાર (D)ઉત્તરપ્રદેશ
(C)બિહાર (D)ઉત્તરપ્રદેશ
જવાબ. (A)મધ્યપ્રદેશ
8. શેના ઉપયોગથી સ્ત્રીઓ-પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા?
(A)અગ્નિના (B)પથ્થરના
(C)લાકડાના (D)આપેલ તમામ
(C)લાકડાના (D)આપેલ તમામ
જવાબ. (B)પથ્થરના
9. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો.
(A)બળદ (B)હાથી
(C)કુતરો (D)સાપ
(C)કુતરો (D)સાપ
જવાબ. (C)કુતરો
10. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?
(A)કૃષિ (B)પશુપાલન
(C)અનાજ-સંગ્રહ (D)ઉદ્યોગ
(C)અનાજ-સંગ્રહ (D)ઉદ્યોગ
જવાબ. (D)ઉદ્યોગ
11. કઈ બે પ્રવૃત્તિઓને આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા?
(A)ખેતી અને પશુપાલન (B)શિકારી અને ચોકીદારી
(C)વળાવીયા અને રખેવાળી (D)સવારી અને ખલાસી
(C)વળાવીયા અને રખેવાળી (D)સવારી અને ખલાસી
જવાબ. (A)ખેતી અને પશુપાલન
12. મહેરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?
(A)માનવ-વસાહત અને ગેંડાના (B)ભેંસ, બ્લડ અને ઓજારોના
(C)ઘઉં, જવ,ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના (D)ચોખા અને પ્રાણીઓનાં હાડકાના
જવાબ. (C)ઘઉં, જવ,ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના
13. લાંઘણજ – ગુજરાતમાંથી કયા પ્રાણીના અવશેષ મળ્યા છે?
(A)હાથી (B)ગાય
(C)સિંહ (D)ગેંડો
(C)સિંહ (D)ગેંડો
જવાબ. (D)ગેંડો
14. મહારાષ્ટ્રના કયા સ્થળેથી આદિમાનવ વસવાટના અવશેષો મળેલ છે?
(A)ઇનામગાંવ (B)પહેલગાંવ
(C)ગોરેગાંવ (D)ભીમબેટકા
(C)ગોરેગાંવ (D)ભીમબેટકા
જવાબ. (A)ઇનામગાંવ
15. મહેરગઢમાં આદિમાનવોના ઘરનો આકાર કેવો રહેતો?
(A)ચોરસ (B)ગોળ
(C)લંબચોરસ (D)ત્રિકોણ
(C)લંબચોરસ (D)ત્રિકોણ
જવાબ. (C)લંબચોરસ
પ્રશ્ન-૩ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.
1. બળદગાડું એ સૌથી જુનું વાહન છે.
જવાબ. ખરું
2. પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
જવાબ. ખરું
૩. આદિમાનવની ભટકતી અવસ્થા એટલે Hunter and Gatherers.
જવાબ. ખરું
4. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા.
જવાબ. ખરું
5. ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલા છે.
જવાબ. ખોટું
6. ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્ર દોરેલા છે.
જવાબ. ખરું
7. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું.
જવાબ. ખરું
8. સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
જવાબ. ખોટું
9. આદિમાનવો ગારા-માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા.
જવાબ. ખરું
10. બુર્જહોમ અને ગુફક્રામ કાશ્મીરમાં આવેલા છે.
જવાબ. ખરું
11. ઇનામગામમાં આદિમાનવોના ઘરનો આકાર ગોળ હતો.
જવાબ. ખોટું
12. મહારાષ્ટ્રના ઇનામગામમાં બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે.
જવાબ. ખરું
એકમ ૨ આદિમાનવથી સ્થાયી જીવનની સફર
પ્રશ્ન-4 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
1. આદિમાનવોનો ખોરાક શું હતો?
જવાબ. આદિમાનવોનો ખોરાક હરણ જેવા જંગલી પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરીને પોતાને જીવંત રાખતા તેમજ કંદમૂળ અને ફળોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા.
2. આદિમાનવો પથ્થરોનો ઉપયોગ ક્યાં કાર્યો માટે કરતા હતા?
જવાબ. આદિમાનવો પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરવા તેમજ તેમની ચામડી કાઢવા તેમનો ઉપયોગ કરતા હતા.
૩. આદિમાનવ પોતાનું શરીર શાના વડે ઢાંકતા હતા?
જવાબ. આદિમાનવો પોતાનું શરીર વૃક્ષોની છાલ અને વનસ્પતિઓના ચામડામાંથી ઢાંકતા હતા.
4. ગુજરાતમાં પાષાણકાલીન માનવ વસાહત કયાં જોવા મળે છે?
જવાબ. ગુજરાતમાં પાષાણયુગના માનવ વસાહત લાંઘણજમાં મળી આવ્યું છે.
5. પાષાણ યુગના આદિમાનવો કેવા સ્થળે રહેવાનું પસંદ કરતા?
જવાબ. પાષાણ યુગના આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે ત્યાં વસાહત કરતા હતા.
6. ભીમબેટકાની ગુફાઓમાંથી કયા કયા ચિત્રો મળી આવ્યા છે?
જવાબ. ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવો દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાંના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલાં ચિત્રો મળી આવ્યા છે.
7. અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું?
જવાબ. અગ્નિના મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતાં તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા.
8. આદિમાનવ શામાંથી ચક્ર(પૈડું) બનાવતા શીખ્યો?
જવાબ. આદિમાનવો ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા.
9. કારણ આપો. પર્યાવરણ બદલાતા હરણ-બકરા જેવા તૃણાહારીઓની સંખ્યા વધી ગઈ.
જવાબ. કારણ કે દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેને પરિણામે ઘાસ ખાનારા પ્રાણીઓ હરણ, ઘેટાં, બકરાં, જેવા તૃણાહારી. પ્રાણીઓની સંખ્યા વધી ગઈ.
10. આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા?
જવાબ. આદિમાનવો ઘઉં, જવ જેવા પાકો ઉગાડતા હતા.
11. આદિમાનવો કેવા પશુઓ પાડતા હતા?
જવાબ. આદિમાનવો ઘેટા બકરા પાડતા હતા.
12. આદિમાનવે ખેતી માટે કયા ઓજારોનો ઉપયોગ કર્યો હતો?
જવાબ. આદિમાનવો ખેતી માટે ખુરશી, ઝીણી, દાતરડાંનો સમાવેશ ખેતીના ઓજારો તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.
13. કૃષિ અને પશુપાલન અપનાવ્યા બાદ આદિમાનવનો ખોરાક શો હતો?
જવાબ. કૃષિ અને પશુપાલન આપનાવ્યા બાદ આદિમાનવોનો ખોરાક ઘઉં, જવ અને પશુઓનો માંસ. ઉપરાંત, માછલી તેમજ તેમની વસાહતની આસપાસના ફળો ખાતા હતા.
14. મેહરગઢ – પાકિસ્તાનમાંથી કયા કયા અવશેષો મળી આવ્યા છે?
જવાબ. પાકિસ્તાન મહેરગઢમાંથી ઘઉં, જવ, ઘેટાં-બકરા, પથ્થરના ઓજારો મળી આવ્યા છે.
15. બિહારમાં કયા સ્થળે આદિમાનવના અવશેષ મળી આવ્યા છે?
જવાબ. બિહારમાં ચિરાંદ સ્થળે આદિમાનવના અવશેષ મળી આવ્યા છે.
16. પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા કયા સ્થળોમાંથી માનવ-વસાહત અને પશુપાલનની માહિતી મળી આવે છે?
જવાબ. પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગુફક્રાલ, હુરંગી, મેહરગઢ, લાંઘણજ, ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે.
17. આદિમાનવ વસવાટના કયા સ્થળેથી કૃષિ અને તીક્ષ્ણ ઓજારના અવશેષો મળી આવ્યા છે?
જવાબ. મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે, જે તેમના કૃષિકાર્યમાં વપરાતા હશે.
એકમ ૨ આદિમાનવથી સ્થાયી જીવનની સફર
પ્રશ્ન-5 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
1. આદિમાનવને ભટકતા જીવન દરમિયાન કેવી મુશ્કેલીઓ પડી હશે?
જવાબ. આદિમાનવને ભટકતું જીવન જીવતા ઘણી મુશ્કેલીઓ પડતી હતી, ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરે. વળી, દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળથી બીજા સ્થળે ભટકતા હતા. માનવીને આ સમયે શું ખાવું? શું ન ખાવું? તે સમજ ન હતી, કેટલીક વનસ્પતિઓ ઝેરી હોવાના કારણે તેમનું મૃત્યુ પણ થતું હતું.
2. ટૂંકનોંધ લખો: અગ્નિની શોધ અને ઉપયોગ
જવાબ. દક્ષિણ ભારતના કુર્નલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. જે દર્શાવે છે કે તે અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11 હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિને ઉપયોગમાં લેતો હશે, તેમ ઇતિહાસકારો જણાવે છે. અગ્નિનાં ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા હશે, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શક્તા અને અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતાં, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓ સામે પોતાનું રક્ષણ કરતા હતા.
3. સ્થાયી જીવન માટેની જરૂરીયાત શા માટે ઊભી થઈ?
જવાબ. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિઓ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાઈ જીવન તરફ પરિવર્તિત કર્યો. કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડોક સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે, અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે. આ પ્રક્રિયાથી સ્થાયી જીવનની શરૂઆત થઈ, સંગ્રહ કરવા તેમણે માટીના ગોળા, માટલા બનાવવાની શરૂઆત કરી.
4. કઈ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી?
જવાબ. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી આગળ વધારી સ્થાયી જીવન તરફ લઈ ગયા. કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નહીં. કારણ કે, પાકને ઉગતા થોડો સમય લાગે, તેને પાણીની જરૂર પડે, અને પાક તૈયાર થયા પછી પાકના છોડમાંથી અનાજને દૂર કરવું પડે, જેમાં સામે લાગે છે. તેથી ભટકતા જીવનમાંથી લોકો સ્થાયી જીવન તરફ સ્થિર થયા.
5. મેહરગઢમાં આદિમાનવ વસવાટ વિશે લખો.
જવાબ. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. અહીંયાં જવ અને ઘઉંની ખેતીની શરૂઆતમાં ખેતી થતી હતી. તેઓ ઘેટાં બકરા પાળતા, ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા, અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. તેઓ અનાજ સંગ્રહ કરવા માટે નાના-નાના કોઠારો પણ મળી આવ્યા છે.