પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો.
(1) ‘હાઈસ્કૂલમાં’ ગદ્યના લેખકનું નામ જણાવો.
(A) સરદાર વલ્લભભાઈ પટેલ
(C) ગાંધીજી
જવાબ- (C) ગાંધીજી
(2) કસરત- ક્રિકેટમાં ન જવા પાછળ ગાંધીજી પોતાની કઈ પ્રકૃતિને કારણરૂપ માને છે ?
(A) મેદસ્વી શરીરની પ્રકૃતિને
(C) શરમાળ પ્રકૃતિને
જવાબ- (C) શરમાળ પ્રકૃતિને
પ્રશ્ન-2 નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં જવાબ લખો.
(1) ગાંધીજીને શાળામાંથી મળેલા પ્રમાણપત્રમાં કઈ ટીકા ક્યારેય ન હોવાનું ગાંધીજીએ લખ્યું છે?
જવાબ- ગાંધીજીને શાળામાંથી મળેલા પ્રમાણપત્રમાં કોઈ દિવસ એમનું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ન હોવાનું ગાંધીજીએ લખ્યું છે.
(2) ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી?
જવાબ- શિક્ષકને ઠપકો આપવો પડે એવું કંઈ પણ ગાંધીજીને હાથે થાય અથવા શિક્ષકને તેવું ભાસે તો તે વાત ગાંધીજીને અસહ્ય થઈ પડતી.
(3) દોરાબજી ગીમી હેડમાસ્તર વિદ્યાર્થી પ્રિય શાથી હતા?
જવાબ- દોરાબજી ગીમી નિયમ જળવાવતા , પદ્ધતિસર કામ કરતાં ને લેતા તથા શિક્ષણ સારું આપતા; માટે તે હેડમાસ્તર વિદ્યાર્થી પ્રિય હતા.
પ્રશ્ન-3 નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં જવાબ લખો.
(1) ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળવિવાહની કેવી ખરાબ અસર થઈ તે બે-ત્રણ વાક્યોમાં જણાવો.
જવાબ- બાળવિવાહને લીધે ગાંધીજી અને તેમના ભાઈનું અભ્યાસનું/ શાળાનું એક વર્ષ નકામું ગયું. ગાંધીજીના ભાઈ તો વિવાહ પછી નિશાળમાં ન જ જઈ શક્યા. આવું વિષમ પરિણામ આવ્યું.
(2) ગાંધીજીને શિષ્યવૃત્તિ મળવામાં તેમની હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ ભજવ્યો છે, એમ શા પરથી કહી શકાય?
જવાબ- શિષ્યવૃતિ બધા વિદ્યાર્થીઓ માટે નહોતી પણ જેઓ સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ હોય તેમના માટે જ હતી. ગાંધીજી સોરઠના હતા માટે તેમને શિષ્યવૃતિ મળી હતી. માટે તે બાબતમાં તેમની હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ ભજવ્યો છે તેમ કહી શકાય.
(3) ગાંધીજી પોતાના વર્તન અંગે કઈ કાળજી રાખતા?
જવાબ- ગાંધીજીને પોતાના વર્તન વિશે બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો તેમને રડવું આવતું. શિક્ષક ને ઠપકો આપવો પડે એવું એમને હાથે કંઈ પણ થાય તો તે ગાંધીજીને અસહ્ય થઈ પડતું.
(4) ગાંધીજીના મતે શારીરિક કેળવણીનું વિદ્યાભ્યાસમાં કેવું સ્થાન હોવું જોઇએ?
જવાબ- કસરતને શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી. એ વિચાર ખોટો છે તેવું ગાંધીજીને પાછળથી સમજાયું. તેમના મતે વિદ્યાભ્યાસમાં શારીરિક કેળવણીનું સ્થાન માનસિક કેળવણી જેટલું જ હોવું જોઈએ.
(5) કસરતમાં ન જવાથી ગાંધીજીને નુકસાન ન થયું – કારણ આપો.
જવાબ- ગાંધીજીને વાંચનનો શોખ હતો. ખુલ્લી હવા માટે ફરવા જવાની ભલામણ તેમણે પુસ્તકોમાં વાંચી હતી. તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા-ચાલવા જવાની ગાંધીજીને ટેવ હતી. માટે કસરતમાં ન જવાથી ગાંધીજીને નુકસાન ન થયું.
(6) ગાંધીજીના કસરત ન કરવા પાછળ બીજું કયું કારણ જવાબદાર હતું?
જવાબ- નિશાળ બંધ થાય કે તરત ગાંધીજી ઘેર પહોંચી પિતાજીની સેવામાં લાગી જતા. આમ, પિતાજીની સેવા કરવાની તીવ્ર ઇચ્છા ગાંધીજીના કસરત ન કરવા પાછળનું બીજું કારણ રહ્યું.
(7) ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો?
જવાબ- ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહિ, કારણ કે , શિક્ષકે ગાંધીજીની ખંત પર વિશ્વાસ રાખી તેમને ઉપર ચડાવવાનો નિર્ણય કર્યો હતો તે શિક્ષકની લાજ જાય.
(8) ગાંધીજી કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે – કારણ આપો.
જવાબ- ગાંધીજી કૃષ્ણશંકર માસ્તરનો આભાર માને છે. કારણ કે કૃષ્ણશંકર માસ્તરે પ્રેમથી ગાંધીજીને સંસ્કૃત શીખવા તરફ વાળ્યા. નહિ તો ગાંધીજી એ સમય જેટલું સંસ્કૃત શીખ્યા એટલું પણ ના શીખી શક્યા હોત અને એમનાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ પણ ન લઈ શકાયો હોત.
(9) ગાંધીજીને કઈ બાબતનો પશ્ચાતાપ થાય છે ? કેમ ?
જવાબ- સંસ્કૃત ભાષા વધારે ન શીખી શક્યાનો ગાંધીજીને પશ્ચાતાપ થાય છે ; કેમ કે , ગાંધીજી પાછળથી સમજ્યા કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઇએ. કારણ કે હિંદુ ધર્મના બધા જ ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા સંસ્કૃત જરૂરી છે.
(10) ફારસી અને અરબી એક ગણાય એવું ગાંધીજી શા માટે કહે છે?
જવાબ- ફારસી સંસ્કૃત ને લગતી ભાષા છે અને અરબી હિબ્રુને લગતી ભાષા છે; છતાં બંને ભાષાઓ ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે.તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે.એમ ફારસી અને અરબી એક ગણાય એવું ગાંધીજી કહે છે.
પ્રશ્ન-4 નીચેના પ્રશ્નોના ચાર-પાંચ વાક્યમાં જવાબ લખો.
(1) સાચું બોલનારે અને સાચુ કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ- એમ ગાંધીજી કયા અનુભવને આધારે કહે છે?
જવાબ- ચાર વાગ્યે ગાંધીજીને શાળાએ કસરતમાં જવાનું હતું. એ દિવસે આકાશમાં વાદળાં હતાં ને તેમની પાસે ઘડિયાળ નહોતી. તેથી તેમને સમયનો ખ્યાલ રહ્યો નહિ. તેથી તેઓ સમયસર પહોંચી શક્યા નહિ. તેમણે હેડમાસ્તર ગીમી સાહેબને સાચું કારણ જણાવ્યું પણ સાહેબ માન્યા નહિ. આમ, ગાંધીજી ખોટા ઠર્યા અને તેમને દંડ થયો. આથી ગાંધીજીને સમજાયું કે સાચું બોલનારે અને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ.
(2) ‘નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે’- એવું ગાંધીજીએ શા માટે કહ્યું છે?
જવાબ- દક્ષિણ આફ્રિકામાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોઈને ગાંધીજી લજવાયા પછતાયા. પાછળથી ગાંધીજીએ અક્ષર સુધારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ રહ્યા નથી. પોતાના અક્ષરો ખરાબ છે એ માટે ગાંધીજીને હંમેશાં પસ્તાવો રહ્યો. આથી ગાંધીજી કહે છે કે , નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.’
(3) સારા અક્ષર બાબતે ગાંધીજી કેવા વિચારો ધરાવતા હતા?
જવાબ- નઠારા અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે એમ ગાંધીજી માનતા હતા. તેમના મતે સારા અક્ષરો એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર કાઢવા માટે ચિત્રકળા આવશ્યક છે. ચિત્રકળા પ્રથમ શીખવાથી બાળક સારાં ચિત્રો દોરતાં શીખે છે. જે જ્યારે સારાં ચિત્રો દોરતાં શીખે ત્યારે બાળકના અક્ષર પણ છાપેલા જેવા અને મોતીના દાણા જેવા થઈ શકે છે એમ ગાંધીજી માનતા હતા.
(4) ભૂમિતિનો વિષય ગાંધીજી માટે સહેલો કેમ થઇ પડ્યો?
જવાબ- ભૂમિતિ ગાંધીજી માટે અઘરો વિષય હતો. પરંતુ પ્રયત્ન કરતાં કરતાં જયારે તેઓ યુક્લિડના તેરમા પ્રમેય પર આવ્યા ત્યારે તેમને લાગ્યું કે ભૂમિતિ તો સહેલો વિષય છે. જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનો છે. વળી, શાળાના ભૂમિતિશિક્ષક પણ સમજાવવામાં સારા હતા. આમ, આ બધી બાબતોને લીધે ભૂમિતિનો વિષય ગાંધીજી માટે સરળ થઈ ગયો.
(5) ગાંધીજી કઈ વાતથી લોભાઈને ફારસીના વર્ગમાં જઈને બેઠા?
જવાબ- શાળામાં સંસ્કૃતના શિક્ષક કડક હતા. સંસ્કૃત ગાંધીજીને ભૂમિતિ કરતાં પણ અઘરું લાગતું.વળી સંસ્કૃતમાં બધું ગોખવાનું જ રહેતું. જ્યારે ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ વાતો કરતા કે ફારસી બહુ સહેલું છે અને ફારસી શિક્ષણ વિદ્યાર્થી જેટલું કરે તેનાથી નિભાવી લે છે. આ સાંભળી ગાંધીજી લોભાયા અને ફારસીના વર્ગમાં જઈ બેઠા.
(6) સંસ્કૃત શિક્ષકને ક્યાં બનાવથી દુઃખ થયું ? તેમણે ગાંધીજીને શું કહ્યું ?
જવાબ- ફારસી સંસ્કૃત કરતાં સહેલું છે – એમ માનીને ગાંધીજી ફારસીના વનમાં જઈ બેઠા જેથી સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે ગાંધીજીને સમજાવ્યું , ‘તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહિ શીખે ? તને જે મુશ્કેલી હોય એ મને બતાવ. સંસ્કૃતમાં આગળ જતાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ.’
(7) જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો.
જવાબ- ગાંધીજી માનતા હતા કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા (માતૃભાષા) હિંદી , સંસ્કૃત , ફારસી , અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઇએ. ભાષા જો પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો બોજો આપણી ઉપર ન હોય તો ભાષાઓ બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે છે તો પછી બીજીનું જ્ઞાન સુલભ થઈ પડે છે.
પ્રશ્ન-5 નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો.
(1) ગાંધીજી………..અને……………. તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. ( રાષ્ટ્રપિતા , મહાત્મા ગાંધી , ગરીબોના બેલી ; મુછાળી મા )
જવાબ- રાષ્ટ્રપિતા , મહાત્મા ગાંધી
(2) ………….. ને…………… બેઉ એક્સાથે તો હિંદુસંસારમાં જ હોય. (વિદ્યાભ્યાસ , વિવાહ , રૂઢિચુસ્તતા , સંસ્કાર)
જવાબ- વિદ્યાભ્યાસ , વિવાહ
(3) દોરાબજી ગીમી હેડમાસ્તરે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને માટે…………….. ફરજિયાત કર્યાં હતાં. (બાગકામ-ચોખ્ખાઈ, કસરત-ક્રિકેટ)
જવાબ- કસરત-ક્રિકેટ
(4) સારા અક્ષર એ………….. નું આવશ્યક અંગ છે. ( વિદ્યા , નૈતિકતા )
જવાબ- વિદ્યા
(5) ……………. મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ( સંસ્કૃતે , સંસ્કૃતિએ )
જવાબ- સંસ્કૃતે
(6) ઊંચા પ્રકારનું ગુજરાતી , હિન્દી , બંગાળી , મરાઠી જાણનારને………… ભાષા જાણવી આવશ્યક છે.
જવાબ- સંસ્કૃત
પ્રશ્ન-6 નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) ગાંધીજીની આત્મકથાનું નામ ‘સત્યના પ્રયોગો’ છે.
(5) ઉર્દૂનાવ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે.
(1) મનમાં સમસમી રહેવું
વાક્ય- ડરથી બાળકો મનમાં સમસમી રહ્યાં.
(2) ગેડ બેસવી
વાક્ય – શિક્ષકે એવું સરસ ભણાવ્યું કે વિદ્યાર્થીઓના મનમાં ગેડ બેસી ગઈ.
(3) નિભાવી લેવું
વાક્ય- સાઠ વર્ષની ઉંમર પછી દરેક માણસે નિભાવી લેવાનો સ્વભાવ કેળવવો જોઈએ.
(4) લાજ જવી
વાક્ય – હું મહેનત કરીને સારા ટકા ન લાવું તો મારા મા-બાપની લાજ જાય.
(5) રસના ઘૂંટડા પીવા
વાક્ય – શાસ્ત્રીય સંગીતમાં નિપુણ દીકરાને ગાતો સાંભળી પિતા રસના ઘૂંટડા પીવા લાગ્યા.
(6) દૈવ જાણે
વાક્ય- દૈવ જાણે વરસાદનું આગમન ક્યારે થશે.
પ્રશ્ન-8 નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
(2) વ્યાયામ = …………….
(3) વિઘ્ન = …………….
(4) પ્રીતિ = …………….
(5) તીવ્ર = …………….
(6) કેળવણી = …………….
(7) ઇનામ = …………….
(8) સજા = …………….
(9) મુક્તિ = …………….
(10) શિક્ષણ = …………….
(11) વિલાયત = …………….
(12) નિકટ = …………….
(13) પ્રકૃતિ = …………….
(14) આવશ્યક = …………….
(15) ઉપકાર = …………….
પ્રશ્ન-9 નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(1) કામનું × …………….
(2) ગણના × …………….
(3) ઇષ્ટ × …………….
(4) સુધારવું × …………….
(5) સહ્ય × …………….
(6) આવશ્યક ×…………….
જવાબ- અનાવશ્યક
(7) સ્મરણ × …………….
(8) ઉચ્ચ × …………….
(9) ગમો × …………….
(10) સુલભ × …………….
(11) વિઘ્ન × …………….
(12) આશા × …………….
પ્રશ્ન-10 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
માહિતી, સંસ્કૃત, સમિતિ, ફારસી, જ્ઞાન, ખેડૂત, ઇસ્લામ, મજબૂત, અરબી, ઋષિ
જવાબ- અરબી , ઇસ્લામ , ઋષિ , ખેડૂત , ફારસી , મજબૂત , માહિતી , સમિતિ , સંસ્કૃત , જ્ઞાન
પ્રશ્ન-11 નીચેના શબ્દોની જોડણી સુધારો:
(1) વીવાહ – …………….
(3) પરીણામ – …………….
(4) કેળવણિ – …………….
(5) નીશાળિયો – …………….
(6) ભૂમીતી – …………….
(7) પ્રિતિ – …………….
(8) સંસ્ક્રુત- …………….
(9) વિદ્યાર્થિ – …………….
(10) નીકટ – …………….
પ્રશ્ન-12 નીચેના દરેક શબ્દસમુહ માટે એક શબ્દ આપો:
(1) વિદ્યાર્થીને ભણતરના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ
(2) ભૂમિતિના સિદ્ધાંતને સાબિત કરવા માટેની એક તાર્કિક પદ્ધતિ
જવાબ- પ્રમેય
(3) યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા
(5) સહન ન થાય તેવું
પ્રશ્ન-13 ‘પાકા ઘડે કાંઠા ન ચડે’- કહેવત સમજાવો.
જવાબ- યોગ્ય સમયે જ અને યોગ્ય ઉંમરે જ યોગ્ય કામ કે સમજણ આવે. ઘડો પાકો થઈ જાય પછી તેના પર કાંઠલો બેસાડી ન શકાય.
પ્રશ્ન-14 નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો:
(1) હું આવતીકાલે નડિયાદ પહોંચવાનો છું.
(2) હું ખોટો નથી એમ સિદ્ધ કેમ કરું?
(3) ઉધરસ થાય ત્યારે મમ્મી જલેબી ખાવા દે ખરી !
(4) મારો અભ્યાસ ચાલુ રહ્યો.
(5) આપણે જરા ઊંચે ઊડીએ !
(6) ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી ?
(7) તારા ધર્મની ભાષા તું નહીં શીખે ?
પ્રશ્ન-15 નીચેના વાક્યોમાંથી કર્તા,કર્મ, ક્રિયાપદ શોધીને લખો:
(1) હું રાજકોટ ગયો હતો.
જવાબ- હું – કર્તા , રાજકોટ – કર્મ , ગયો હતો – ક્રિયાપદ
(2) તેઓ હંમેશા પીન્ટુને ચીડવતા.
જવાબ- તેઓ – કર્તા , પીન્ટુને – કર્મ , ચીડવતા – ક્રિયાપદ
(3) શિક્ષક બહુ કડક હતા.
જવાબ- શિક્ષક – કર્તા , બહુ – કર્મ , કડક હતા – ક્રિયાપદ
(4) મેં બીજા ધોરણ પછી ઇનામો લીધાં.
જવાબ- મેં – કર્તા , ઇનામો – કર્મ , લીધાં – ક્રિયાપદ
(5) ગાંધીજી ત્યારે સંસ્કૃત ભણતા.
જવાબ- ગાંધીજી – કર્તા , સંસ્કૃત – કર્મ , ભણતા – ક્રિયાપદ
(6) હેડમાસ્તર પદ્ધતિસર કામ કરતા.
જવાબ- હેડમાસ્તર – કર્તા , કામ કરતા – ક્રિયાપદ
(7) ગાંધીજી ઉર્દૂને અલગ ભાષા ગણતા નહીં.
જવાબ- ગાંધીજી – કર્તા , ઉર્દૂ – કર્મ , ગણતા નહીં – ક્રિયાપદ
પ્રશ્ન-16. નીચેના વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને લખો:
(1) મને સખત ઠંડી લાગતી હતી.
(2) બાએ શીલાને પ્રેમપૂર્વક શીરો ખવડાવ્યો.
(4) નેહા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી.
પ્રશ્ન-17 નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો:
(1) મને અતિશય દુઃખ થયું.
(2) અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી.
(4) શિક્ષક વિદ્યાર્થીઓને જરાય મારતા નહિ.
(5) મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો.
પ્રશ્ન-18 યોગ્ય વિરામચિન્હો મૂકી નીચેના વાક્યો ફરીથી લખો:
(1) વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું
જવાબ- વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું.
(2) હું ખોટો ઠર્યો મને અતિશય દુઃખ થયું
જવાબ- હું ખોટો ઠર્યો ! મને અતિશય દુઃખ થયું.
જવાબ- ‘હું ખોટો નથી’ એ કેમ સિદ્ધ કરું?
(4) મેં અક્ષર સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે
જવાબ- મેં અક્ષર સુધારવા પ્રયત્ન કર્યો , પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે?
પ્રશ્ન-19 નીચેની સંજ્ઞાઓના પ્રકાર લખો:
(1) ગાંધીજી
(2) હાઇસ્કુલ
(3) પ્રીતિ
(4) પરિણામ
(5) શિક્ષક
(6) ક્રિકેટ
(7) ટુકડી
(8) સૈન્ય