બે ખાનાંનો પરિગ્રહ
લેખિકા- મનુબહેન ગાંધી
સાહિત્ય પ્રકાર- પ્રસંગ વર્ણન
પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો:
(1) ગાંધીજીને કયા વાઇસરૉયને મળવા દિલ્હી જવાનું હતું?
(A) લોર્ડ કલાઈવ
(B)લોર્ડ ડેલહાઉસી
(C) લોર્ડ મિન્ટી
(D)લોર્ડ માઉન્ટબેટન
=> (D) લોર્ડ માઉન્ટબેટન
(2) મનુબહેન ગાંધીજીના શું થતા હતા?
(A) પુત્રી
(D) ભત્રીજી
=> (B) પૌત્રી
(3) સ્ટેશને સ્ટેશને કોનાં દર્શન કરવા હજારોની મેદની જામતી?
(A) કસ્તુરબાનાં
(C) પરમ પિતાનાં
(D) મૃદુલાબહેનનાં
=> (C) પરમ પિતાનાં
(4) રેલવેના ડબ્બાની પસંદગી ની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી?
(A)મનુબહેનને
(C) મૃદુલાબહેનની
(D) સ્ટેશન માસ્તરની
=> (A) મનુ બહેનની
(5) ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા?
(A) 11:00વાગ્યે
(D) 1:30 વાગ્યે
=> (B) 10:00 વાગ્યે
(6) ‘જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું’ આ બાબતમાં ગાંધીજી શું જોતા હતા?
(A) હિંસા
(D)લોભ
=> (A) હિંસા
(7) ‘બે ખાનાંનો પરિગ્રહ’ પાઠથી તમે શીખશો કે…….
(A)વણખપતું ન વાપરવું
(C)સગવડોનો ઉપયોગ કરવો
(1) ઈ.સ.1947 ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને ક્યાં જવાનું થયું?
જવાબ-ઈ.સ. 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને બિહારના યજ્ઞમાં લોર્ડ માઉન્ટ બેન્ટનને મળવા જવાનું થયું.
(2) ગાંધીજીને શામાં બેસાડીને વાઇસરૉયે મળવા બોલાવ્યા હતા?
જવાબ- ગાંધીજીને વિમાનમાં બેસાડીને વાઇસરૉયે મળવા બોલાવ્યા હતા.
(3) દિલ્હી જતી વખતે ગાંધીજીની સાથે તેમની સેવા સરભરામાં કોણ હતું?
જવાબ – દિલ્હી જતી વખતે ગાંધીજીની સાથે તેમની સેવા સરભરામાં પૌત્રી મનુબહેન હતા.
(4) મનુબહેને કેટલાં ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો?
જવાબ – મનુબહેને બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.
જવાબ- નોઆખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા ગાંધીજીએ મનુબહેન ને રજા આપી.
જવાબ – સ્ટેશન માસ્તરે ગાંધીજીને રેલવેના ડબ્બા ના બંને ખાના વાપરવાનું ચાલુ રાખવા માટે આજીજી કરી.(7)લેખિકાએ હિન્દુસ્તાનનાં પિતા કોને કહ્યા છે?
જવાબ – લેખિકાએ હિન્દુસ્તાનનાં પિતા ગાંધીજીને કહ્યા છે.
જવાબ – બીજાએ કરેલી નાની ભૂલને ગાંધીજી પોતાની ભૂલ ગણી દેતા અને એક ટક ખાવાનું છોડી દેતા.પ્રશ્ન-3. નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યમાં લખો:
(1) ગાંધીજીને કઈ તકલીફ ની ખેવના ન હોતી?
જવાબ – ગાંધીજી અસહ્ય ગરમી, ચોવીસ કલાકનો રસ્તો કે દરેક સ્ટેશને હજારોની મેદનીને લીધે પડતી તકલીફની ખેવના નહોતી.
(2) મનુબહેને બે ખાનાંવાળા ડબ્બા નો શો ઉપયોગ કર્યો?
જવાબ – રેલવેના ડબ્બાના એક ખાનાં નો ઉપયોગ સામાન રાખવા માટે અને બીજા ખાનાંનો ઉપયોગ ગાંધીજીને સુવા બેસવા માટે કર્યો.
(3) ગાંધીજીએ એવું શું કહ્યું જેથી સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા?
જવાબ- ગાંધીજીએ કહયું, “મળતી સગવડ નો દુરુપયોગ કરાવી આ છોકરીને(મનુબહેનને) તમે બગાડવા માંગો છો?” આ સાંભળીને સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા.
(4) ‘બે ખાનાંનો પરિગ્રહ’ પ્રસંગમાંથી મનુ બહેન ને જીવનનો કયો અમૂલ્ય પાઠ શીખવા મળ્યો?
જવાબ- ‘બે ખાનાંનો પરિગ્રહ’ પ્રસંગમાંથી મનુબહેન ને જીવનનો એ અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.
પ્રશ્ન-4. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(1) ગાંધીબાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો?
જવાબ- વાઇસરૉયે બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા. બાપુએ વિમાનમાં જવાની વાઇસરૉયને ના પાડી,જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહીં એમ ગાંધીજી માનતા હતા.
(2) લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાંવાળો ડબ્બો શા માટે પસંદ કર્યો?
જવાબ – લેખિકાને થયું કે સ્ટેશને-સ્ટેશને બાપુનાં દર્શન કરવા માટે લોકોની ભીડ જામશે. ફંડ એકઠું કરતાં અવાજ થશે. તેથી બાપુને સહેજ પણ આરામ કરવા મળશે નહીં. જો એક ખાનામાં સામાન રહે અને બીજા ખાનામાં બાપુ સુઈ- બેસી શકે તો બાપુજીની સગવડ સચવાય.આથી લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાંનો ડબ્બો પસંદ કર્યો.
(3) બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો?
જવાબ – પટનાથી દિલ્હી ની મુસાફરી માટે બાપુએ લેખિકાને ઓછામાં ઓછો સામાન રહી એવો રેલવેનો નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવા કહ્યું હતું, પણ લેખિકાએ બાપુ ની સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.બાપુ પોતાના કરતાં વધારે વાપરવું તેને એક પ્રકારની હિંસા સમજતા હતા, તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો.
(3) મનુબહેને કરેલા બચાવ બાબતે ગાંધીજીએ શું સમજાવ્યું?
જવાબ- મનુબહેનનો બચાવ ગાંધીજીને લૂલો લાગ્યો. એમાં તેમને પોતાના પ્રત્યે માત્ર આંધળો પ્રેમ હોય એવું લાગ્યું. તેમણે કહ્યું, “મને ઍરોપ્લેન કે સ્પેશિયલ ટ્રેન પણ મળી શકત પણ એ સઘળું મને પોસાય એમ નથી. રેલવેના ડબ્બા ના વધારાના ખાનાને બદલે સલૂન પણ મળી શકત પણ એથી ખોટો ખર્ચ થાય એ મને કોઈ રીતે પસંદ ન પડે. મળતી સગવડ નો દુરુપયોગ કરવો એ સૂક્ષ્મ હિંસા છે.”
(4) મનુબહેનના પરાક્રમનું પ્રાયશ્ચિત કરતાં ગાંધીજીએ સ્ટેશન માસ્તરને શું જણાવ્યું?
જવાબ – મનુબહેને બે ખાનાંવાળા ડબ્બાની પસંદગી કરીને જે ભૂલ કરી હતી તેની પોતાની ભૂલ ગણી ને ગાંધીજીએ પ્રાયશ્ચિત કર્યું. ડબ્બાનું એક ખાનું ખાલી કરી નાખ્યું અને તેનો ઉપયોગ રેલવેના ડબ્બાઓની બહાર લટકતા પેસેન્જરો માટે કરવા સ્ટેશન માસ્તરની જણાવ્યું.
(5) લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવાનું સૂચવ્યું?
જવાબ- લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ લેખિકાને રેલવેના ડબ્બા નું બીજું ખાનું ખાલી કરવા કહ્યું અને તેનો ઉપયોગ વધારાના જે પેસેન્જરો લટકતા હતા તેમને માટે કરવા સ્ટેશન માસ્તરની સૂચવ્યું.
પ્રશ્ન-5. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
(1) વાઇસરૉયે બાપુજીને જહાજમાં બેસાડી ને મળવા બોલાવેલા. ( × )
(2) ગાંધીજીના ઠપકાની મનુબહેનનાં જીવનમાં કાંઈ અસર થઈ નહીં. ( × )
(3) પટણાથી દિલ્હી જતા ટ્રેન સવારે 11.00 વાગ્યે ઉપડે. ( × )
પ્રશ્ન-6. નીચેના વિધાનો કોણ બોલે છે તે જણાવો:
(1) “ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું.”
જવાબ – આ વાક્ય ગાંધીજી બોલે છે.
જવાબ- આ વાક્ય ગાંધીજી બોલે છે.
જવાબ- આ વાક્ય ગાંધીજી બોલે છે.(4) “હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં!”
જવાબ- આ વાક્ય સ્ટેશન માસ્તર બોલે છે.
(5) “હા બાપુજી. હું અહીં જ બધું કામકાજ કરું.”
જવાબ-આ વાક્ય મનુબહેન બોલે છે.
પ્રશ્ન-7. કૌંસમાં આપેલા આ સંયોજકો ની મદદ થી ખાલી જગ્યા પૂરો: (કે ,અને, એટલે ,તો , પણ)
(1) એકમાં સામાન રખાયો _____ બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
જવાબ : એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
(2) ઈન્સ્પેક્ટરે જોયું _____ મહાદેવ ની આંખમાં આંસુ હતા.
જવાબ : ઈન્સ્પેક્ટરે જોયું તો મહાદેવ ની આંખમાં આંસુ હતા.
જવાબ : ડોક્ટરે કહ્યું કે તેણે કસરત કરવી જોઈએ.
જવાબ : મહાદેવ ગાયને હાંકવા રોકાયો એટલે એને પરીક્ષામાં મોડું થયું.
જવાબ : હાથી મોટો છે અને કાચબો નાનો છે.
જવાબ : વાંદરો નાચે છે એટલે બાળકો તાળીઓ પાડે છે.
જવાબ : મને ક્રિકેટ રમવી ગમે છે પણ કબડી ગમતી નથી.
જવાબ : મને સફરજન ભાવે છે પણ ચીકુ ભાવતા નથી.
જવાબ : બગીચામાં ફૂલો છે અને મોટા મોટા ફળ છે.
જવાબ : મમરા ખાવાથી પેટ ભરાય પણ ભૂખ ભાગે નહીં.
(2) તેનો માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ ન હતા.
(3) મેં હોટલ અને સિનેમાને આજે બીજા વગર સંભાળ્યા.
બે ખાનાંનો પરિગ્રહ
પ્રશ્ન-9. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો:
(1) ગરીબ = નિર્ધન , દરિદ્ર
(2) મુસાફરી = પ્રવાસ , સફર
(3)નિશ્ચય = નિર્ણય , સંકલ્પ
(4)કસોટી = પરીક્ષા , પરખ
(5) અવાજ = કંઠ , ધ્વનિ
(6) તકલીફ = તસ્દી , શ્રમ
(7) સગવડ = અનુકૂળતા ,જોગવાઈ
(8) મેદની = ભીડ , ગીરદી
(9) ખેવના = કાળજી , સંભાળ
(10) જીવન = આયુષ્ય , જિંદગી
(11) વસમુ = મુશ્કેલ , કપરું
(12) વશ = તાબે , શરણે
પ્રશ્ન-10.નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો:
(1) ગરીબ × તવંગર
(2) સહ્ય × અસહ્ય
(3) ઓછું × વધારે
(4) સદુપયોગ × દુરુપયોગ
(5) ઇનકાર × સ્વીકાર
(6) પ્રેમ × નફરત
(7) દુઃખ × સુખ
(8) પસંદ × નાપસંદ
(9) સગવડ × અગવડ
(10) ગરમ × ઠંડું
પ્રશ્ન-11.રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:
(1) આજીજી કરવી – વિનંતી કરવી
વાક્ય- શાળાએ પ્રવેશ મેળવવા માટે મારા પિતાએ આજીજી કરી.
(2) ભાન આવી જવું – સમજણ આવી જવી
વાક્ય- જીવનમાં દુઃખ આવી જતા બધાને ભાન આવી જાય છે.
(3) ઝંખવાણા પડવું – શરમીંદા થઈ જવું
વાક્ય- વૃશાંક પરીક્ષામાં ફેલ થયો આથી તે ઝંખવાણો પડી ગયો.
પ્રશ્ન-12. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક-એક શબ્દ લખો:
(1) સહન ન થઇ શકે તેવું – અસહ્ય
(2) અંગ્રેજોના સમયના ભારતના સર્વોચ્ચ અધિકારી – વાઇસરોય
(3) ભેગું કરવાનું માનસિક વલણ – પરિગ્રહ
(4) વિકાસ માટે ઉઘરાવવામાં આવેલો ફાળો – ફંડ
(5) ઘરના જેવી સગવડ વાળો રેલવેનો ખાસ ડબ્બો – સલૂન
(6) પાપના નિવારણ માટેનું તપ – પ્રાયશ્ચિત
(7) જેનું મૂલ્ય ન થઈ શકે તેવું – અમૂલ્ય
પ્રશ્ન-13. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
(1) વીમાન – વિમાન
(2) પુજય – પૂજ્ય
(3) મુશાફરી – મુસાફરી
(4) ગીરદી – ગિરદી
(5) નિશ્રય – નિશ્વય
(6) તફકલી – તકલીફ
(7) મુદુલા – મૃદુલા
(8) સટેશન – સ્ટેશન
(9) પૌતરી – પૌત્રી
(10) પ્રાયશચિત – પ્રાયશ્ચિત
(11) દુરૂપયોગ – દુરુપયોગ
(12) અમુલ્ય – અમૂલ્ય
(13) સ્પેશ્યલ – સ્પેશિયલ
(14) કેડવણી – કેળવણી
(15) જીણવટ – ઝીણવટ
પ્રશ્ન-14.નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:
(1) ગરમી અસહ્ય હતી. – ગરમી
(2) 24 કલાકનો રસ્તો હતો. – રસ્તો
(3) બાપુજી બપોરનું ભોજન 10:00 વાગે લેતાં. – ભોજન
પ્રશ્ન-15. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
(1) ઇનકાર , ઈચ્છા , અવાજ , ઉપયોગ , અમૂલ્ય
=> અમૂલ્ય , અવાજ , ઈચ્છા , ઇનકાર , ઉપયોગ
(2) પૂજ્ય , તકલીફ , યજ્ઞ , સામાન , બાપુજી
=> તકલીફ , પૂજ્ય , બાપુજી , યજ્ઞ , સામાન
પ્રશ્ન-16. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો:
(1) વાઇસરૉયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. – પૂજ્ય
(2) ગરમી અસહ્ય હતી. – અસહ્ય
(3) કેવો લુલો બચાવ છે. – લૂલો
(4) આંધળો પ્રેમ તે આનું નામ. – આંધળો
(5)બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા. – સદુપયોગ
પ્રશ્ન-17. ‘મહાત્મા ગાંધી’ વિશે સાત- આઠ વાક્યો લખો:
જવાબ- મહાત્મા ગાંધીનો જન્મ ઈ.સ ૧૮૬૯ના ઓક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે.બાળપણમાં તેમણે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું. શ્રવણ ની વાર્તા વાંચી. તેની ગાંધીજી પર ઊંડી અસર થઇ. માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બૅરિસ્ટર થયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમને રંગભેદનો કડવો અનુભવ થયો. આ અન્યાય દૂર કરવા તેમણે અહિંસક લડત ઉપાડી. તેમાં તેઓ સફળ થયા. ત્યાંથી ભારત આવ્યા.ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા બાપુએ આંદોલન ચલાવ્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતાં. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો. તેઓ સફળ થયા. ઇ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી.