ઉત્તર:- સાબુના ફીણવાળું , તેલી કણોવાળું , ખાળકૂવા , બાથરૂમ , સંડાસ , ધોબીઘાટ વગેરેમાંથી નીકળતું પાણી તેમજ કથ્થાઈથી કાળા રંગનું પાણી , ગંદું પાણી છે . જેને” અશુદ્ધ પાણી” કહે છે.
2. શુદ્ધ પાણીના ઉપયોગોની યાદી બનાવો.
3. વિશ્વના તમામ માનવીને સ્વચ્છ પાણી . સરળતાથી પ્રાપ્ય છે .(√ કે X )
ઉત્તર:- X
4. આશરે___મનુષ્યોને પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી .
(A) 110અબજ
(B) 1 અબજ √
(C) 10 લાખ
(D) 0
ઉત્તર:- √
6. પાણીના ગુઢીકરણની પ્રક્રિયા એ ___દૂર કરવાની પ્રક્રિયા છે.
ઉત્તર:- પાણીમાંથી પ્રદૂષકો
ઉત્તર:- પ્રદુષકો પાણીના સ્ત્રોતમાં પહોંચે તે પહેલા તેને દૂર કરવાની પ્રક્રિયાને પાણીનું શુદ્ધિકરણ કહે છે. જેને “સિવેઝ ટ્રીટમેન્ટ’’ કહે છે.
ઉત્તર:- સિવેઝ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી છે. સિવેઝના પાણીમાં દ્રાવ્ય પદાર્થો અને નિલંબીત દ્રવ્યો રહેલા હોય છે. જેને પ્રદૂષકો કહે છે, સિવેઝ કાર્બનિક ઘટકો તરીકે માનવમળ, પ્રાણીઓનો કચરો, તેલ, યુરિયા(મૂત્ર), જંતુનાશકો વગેરે, અકાર્બનિક અશુદ્ધિઓ તરીકે નાઇટ્રેટ, ફોસ્ફેટ, ધાતુઓ વગેરે, તેમજ કોલેરા, ટાઇફોઇડ રોગો માટે જવાબદાર સૂક્ષ્મજીવો ધરાવે છે. આથી, જો આવું પાણી નદી કે દરિયામાં છોડવામાં આવે તો તે સજીવ સૃષ્ટિ માટે હાનીકારક છે.
9. ઘર દ્વારા મુક્ત થતું ગંદું પાણી એ ___ કહેવાય છે.
ઉત્તર:- સિવેઝ
10. સિવેઝમાનું મોટા ભાગનું પાણી દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે , જેને ___ કહે છે.
ઉત્તર:- પ્રદુષકો
ઉત્તર:- સિવેઝમાં કાર્બનિક ઘટકો તરીકે માનવમળ, પ્રાણીઓનો કચરો, તેલ, યૂરિયા(મૂત્ર), જંતુનાશક, વનસ્પતિનાશકો, ફળો અને શાકભાજીનો કચરો વગેરેનો સમાવેશ થાય છે .
ઉત્તર:- સિવેઝમાં અકાર્બનિક અશુદ્ધિઓ તરીકે, નાઇટ્રેટ, ફોસ્ફટ, ધાતુઓ વગેરેનો સમાવેશ થાય છે.
13. સિવેઝમાં રહેલાં બે પોષક તત્ત્વો જણાવો.
ઉત્તર:- કોલેરા , ટાઇફોઇડ
15. મરડા માટે જવાબદાર સૂક્ષ્મ જીવ અશુદ્ધ પાણીમાં હોય છે. (√ કે X )
ઉત્તર:- √
16. ગટર વ્યવસ્થા એટલે શું ?
ઉત્તર:- પાઇપોના એક સમૂહ દ્વારા શુદ્ધ પાણી ઘરમાં આવે છે અને પાઇપોના બીજા સમૂહ દ્વારા ગંદુ પાણી બહાર જાય છે . જમીનમાં રહેલ આ ગંદા પાણીના નિકાલ માટે રહેલ પાઇપોના નાના મોટા જાળાને ગટર કહે છે. જેના દ્વારા ગટર વ્યવસ્થા રચાય છે.
17. મૅનહોલ્સ કેટલા અંતરે હોય છે ? શા માટે ?
18. વાયુમિશ્રણ યંત્ર ( Aerator ) નો ઉપયોગ જણાવો.
ઉત્તર:- વાયુમિશ્રણ યંત્ર દ્વારા સતત હવા ઉમેરાતા , સ્વચ્છ પાણીમાં રહેલ જા૨ક બૅક્ટરીયા વૃદ્ધિ પામે છે જે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે છે.
19. પ્રદૂષિત પાણીના શુદ્ધીકરણ માટે કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે ? શા માટે ?
20. પ્રદૂષિત પાણીને બારસ્ક્રીનમાંથી પસાર કરવાથી તેમાંથી કયા કયા પદાર્થો દૂર થાય છે ?
21. બારસ્ક્રીન દ્વારા કયો પદાર્થ દૂર થાય છે ?
(B) ચીંથરાં
(C) પ્લાસ્ટિકનાં પેકેટ
(D) B અને C √
ઉત્તર:- અવસાદન ટાંકીમાં પાણીમાંથી રેતી, કાંકરી, પથ્થર વગેરે પદાર્થો અવસાદિત થાય છે.
23. અવસાદન દરમિયાન શું દૂર થાય છે ?
(B) પથ્થર √
(C) તેલ
(D)ચરબી
24. પાણીના શુદ્ધીકરણમાં સ્ક્રેપર અને સ્ટીમર દ્વારા કઈ ક્રિયા કરવામાં આવે છે ?
ઉત્તર:- પાણીના શુદ્ધિકરણમાં પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ક્રેમર દ્વારા દૂર કરવામાં આવે છે.
સ્ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે . આ ટાંકામાં અજારક બેક્ટરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે.
25. મધ્યભાગ તરફ ઢળેલા ટાંકામાં સ્ક્રેપર દ્વારા શું દુર કરવામાં આવે છે ?
(A) હાથરૂમાલ
(B) કાંકરી
(C) ક્લોરિન
(D) મળ √
(B) કાદવ
(C) મળ
(D) કાંકરી
27. WWTP કાદવ શું છે ? તે કયા ઉપયોગમાં આવે છે ?
ઉત્તર:- WWTP માં અવસાદિત પાણીને મધ્ય ભાગ તરફ ઢળેલો હોય તેવા મોટા ટાંકામાં લાવવામાં આવે છે. જેના લીધે મૂળ જેવી નકામાં પદાર્થો તળિયે બેસી જાય છે. જેને કાદવ કહે છે. કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે છે . જેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. જેનો ઉપયોગ ઇંધણ અને વીજળી ઉત્પાદન માટે થાય છે.
ઉત્તર:- વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટરિયા દ્વારા કોહવાટ માટે લાવવામાં આવે છે. જેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે.
(A) ખાતર
(B) બાયોગેસ
(C) રસાયણ
(D) A અને B બંને √
30. શુદ્રીકરણ કરેલ પાણીમાં હવા શા માટે ઉમેરાય છે ?
ઉત્તર : સ્વચ્છ પાણીમાં હવા ઉમેરતા, તેમાં જારક બેક્ટરિયા વૃદ્ધિ પામે છે. આ બેક્ટરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે.
31. જા૨ક બેક્ટરિયાની વૃદ્ધિ માટે હવાની હાજરી જરૂરી છે. (√કે X )
ઉત્તર:- √
ઉત્તર:- જારક બેક્ટરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો અને બીજા અનિચ્છનિય પદાર્થોનું વિઘટન થાય છે. જે થોડાક સમય બાદ નિલંબિત બેક્ટરિયા ટાંકાના તળિયે એકઠા થાય, જેને ક્રિયાશીલ કાદવ કહે છે.
33. ક્રિયાશીલ કાદવમાં___ % પાણી હોય છે.
(A) 90
(B) 92
(C) 97 √
(D) 99
34.ક્રિયાશીલ કાદવવાળા પાણીમાંથી પાણીને કેવી રીતે અલગ કરવામાં આવે છે ?
ઉત્તર:- જારક બેક્ટરિયા ટાંકાના તળિયે એકઠા થાય છે . તેને ક્રિયાશીલ કાદવ કહે છે . ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે.
ઉત્તર:- ખાતર
ઉત્તર:-ક્રિયાશીલ કાદવમાંથી મળેલ સુકાયેલ કાદવનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. જે જમીનમાં પોષકદ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે.
ઉત્તર:– ક્રિયાશીલ કાદવમાંથી અલગ કરેલ પાણીને સમુદ્ર , નદી કે જમીન પર છોડવામાં આવે છે.
38.પાણીને બિનચેપી કરવા કયાં બે રસાયણો વપરાય છે ?
ઉત્તર:- પાણીને બિનચેપી કરવા માટે ક્લોરિન અને ઓઝોન જેવા રસાયણો વપરાય છે.
39. ઓઝોન વિશેના આપેલાં વિધાનોનો અભ્યાસ કરો : (1) તે સજીવોની શ્વાસોચ્છવાસની ક્રિયા માટે જરૂરી છે.(2) તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે. (3) તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. (4) તેનું હવામાં પ્રમાણ 3 % જેટલું છે . આ પૈકી કયાં વિધાન સાચાં છે ?
(A) (1) અને (2)
(B) (1) અને (3)
(C) (2) અને (3) √
(D) (3) અને (4)
40. ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી શકાય છે . (√કે X )
ઉત્તર:- √
41. નદીનું પાણી ___ પ્રક્રિયા દ્વારા શુદ્ધ થાય છે.
ઉત્તર:- કુદરતી
42. કારણ આપો : સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક નીલગીરીના વૃક્ષો વાવવાં જોઈએ.
ઉત્તર:- સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં નીલગીરીના વૃક્ષો વાવવાથી, આ વૃક્ષો વધારાનું નકામું પાણી શોષી લે છે અને આ પાણીને શુદ્ધ રીતે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે. આથી,સિવેઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટની નજીક નીલગીરીના વૃક્ષો વાવવા જોઈએ.
ઉત્તર:- ગટર ઉભરાવવાથી સર્જાતી મુશ્કેલીઓ : (1) કાદવથી ભરેલા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડે. (2) બિન આરોગ્યપ્રદ અને અસ્વસ્થ કરનારી પરિસ્થિતિઓ હાવી થાય. (3) માખીઓ, મચ્છરો અને અન્ય કિટકો પ્રજનન દ્વારા વિકાસ પામે છે.
(A) માખી
(B) મચ્છર
(C) અન્ય કીટક
(D) આપેલ તમામ √
45. સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો.
ઉત્તર : કચરાનો ઉદ્ભવ એ માનવ પ્રવૃત્તિઓનો એક ભાગ છે. આપણે ઉત્પન્ન થતાં કચરાને મર્યાદિત રાખી તેનો જથ્થો ઘટાડી શકીએ છીએ ખુલ્લી ગટરોમાંથી નીકળતા પાણીની દુર્ગધ, કાદવથી ભરેલા રસ્તા તેમજ માખીઓ, મચ્છરો અને અન્ય કીટકો પ્રજનન પામવાથી બિન આરોગ્યપ્રદ અને અસ્વસ્થ કરનારી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે. એક જાગૃત નાગરિક તરીકે આવી પરિસ્થિતિઓની જાણ મ્યુનિસીપાલિટી અથવા ગ્રામ પંચાયતને કરી તેમને યોગ્ય પગલાં લેવા દબાણ કરવું જોઈએ.
46. ઘરના કચરાની માત્રા ઘટાડવા માટે તે ક્યાં મુક્ત કરવામાં આવી રહ્યો છે , તેનું ધ્યાન રાખવું જોઈએ.(√ કે X )
ઉત્તર:- √
47. ગટરોની પાઇપલાઇન એ__ અને ___ દ્વારા બંધ થઈ શકે છે.
ઉત્તર:- ખાધતેલ,ચરબી
48. કારણ આપો : તેલ અને ચરબીયુક્ત પદાર્થો કચરાપેટીમાં નાખવા જોઈએ , પાણી કે ગટરમાં નહીં.
ઉત્તર:- ખાદ્યતેલ અને ચરબી ગટરોની પાઇપમાં જામી તેને બંધ કરે છે .આ પ્રકારનો કચરો જો સીધો ગટરમાં નાખવામાં આવે તો , ગટરોને બંધ કરી દે છે અને મુક્ત O2 , ના પ્રવાહને અટકાવી વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે . જો ખુલ્લી જમીનમાં આવા પદાર્થો નાખવામાં આવે તો તે જમીનના છિદ્રોને બંધ કરે છે અને પાણીના ગાળણની ક્રિયાને ઘટાડે છે . આથી , તેલ અને ચરબીયુક્ત પદાર્થો કચરાપેટીમાં નાખવા જોઈએ .
49. કયા કયા પદાર્થો પાણીના શુદ્ધીકરણમાં મદદ કરતા સૂથમ જીવોને મારી નાંખે છે ?
50. કયા કયા પ્રકારનો કચરો મુક્ત ઑક્સિજનના પ્રવાહને અટકાવે છે ?
ઉત્તર:- વપરાયેલી ચાની પત્તીઓ , વધેલી ખાદ્યસામગ્રી , નરમ રમકડાં , કપાસ અને સ્વચ્છતા માટેનો ટુવાલ વગેરે પ્રકારનો કચરો જો સીધો ગટરમાં નાખવામાં આવે તો ગટરોને બંધ કરી દે છે અને મુક્ત ઑક્સિજનો પ્રવાહ અટકે છે.
51. ગટરમાં ઓક્સિજનના અભાવે__ ની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે.
ઉત્તર:- વિઘટન
ઉત્તર : ×
ઉતર:- સારવાર ન પામેલ મળના કારણે સપાટીય જળ અને ભૂગર્ભીય જળ બંને પ્રદૂષિત થાય છે. ભૂગર્ભીય જળ એ કૂવા, ટ્યૂબવેલ, ઝરણા અને નદીઓ માટે મહત્ત્વનો સ્રોત છે. આથી, ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે. જેવા કે કોલેરા, ટાઇફોઇડ, મગજનો તાવ વગેરે. રેખાથી, કહી શકાય કે, સારવાર ન પામેલ મળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
54.સારવાર ન પામેલ મળ કયા પ્રકારનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે ?
(A) વાયુ પ્રદૂષણ
(B) જળ પ્રદૂષણ
(C) ભૂમિ પ્રદૂષણ
(D) B અને C બંને √
55. કારણ આપો : ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે.
ઉત્તર:- નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી વિવિધ પ્રકારના રોગો થવા માટે જવાબદાર છે. આપણા દેશમાં ઘણા લોકો ગટર સુવિધાથી વંચિત છે. વળી ખુબ જ વધુ પ્રમાણમાં લોકો ખુલ્લામાં, નદી કિનારે, રેલવે ટ્રેક પર, ખેતરોમાં અને ઘણીવાર સીધા પાણીમાં મળ ત્યાગ કરે છે. આવો સારવાર ન પામેલો મળ જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે .આ ઉપરાંત આ મળ સપાટીય જળ અને ભૂગર્ભીય જળ બંનેને પ્રદૂષિત કરે છે. આમ, ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે.
ઉત્તર:- પ્રદૂષિત થયેલ ભૂગર્ભીય જળ દ્વારા કોલેરા , ટાઇફોઇડ , પોલિયો , મગજનો તાવ , કમળો અને ઝાડા જેવા રોગો ફેલાઈ શકે છે.
ઉત્તર:- સ્વછતા વધારવા માટે સ્થળ પર નિકાલ પ્રણાલીઓ તરીકે મળ ટાંકા, રસાયણીક શૌચાલયો અને ખાતરે, માટેના ખાડાઓનો સમાવેશ થાય છે.
58. મળ – ટાંકા ક્યાં ક્યાં બનાવી શકાય ?
59. ઑનસાઇટ માનવમળ – નિકાલ ટેકનોલોજી શું છે ? તે કઈ કઈ રીતે ઉપયોગી છે ?
ઉત્તર:- ઑનસાઈટ માનવમળ નિકાલ એક સ્વાથ્યપ્રદ ટેકનોલોજી પ્રદાન કરે છે. આ શૌચાલયોને સફાઈની જરૂરિયાત રહેતી નથી. શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે.આ રીતે ઉત્પન્ન થયેલો બાયોગેસ એ ઊર્જાના સ્રોત તરીકે વપરાય છે.
60. કારણ આપો : જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે.
ઉત્તર:- લોક મેળાઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઇ મથકો, હોસ્પિટલો વગેરે જગ્યાઓ પર ખૂબ મોટી સંખ્યામાં માણસો ભેગા થતાં હોય છે. તેથી અહીં વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. જેનો નિકાલ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો રોગચાળો ફેલાઈ શકે છે. સરકાર દ્વારા પણ કેટલાક ધોરણો નિર્ધારિત કરાયેલા છે પરંતુ તેનું કડકપણે અમલીકરણ થતું નથી. આથી, જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવી જરૂરી છે.
61. જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવા શું શું કરવું જોઈએ ?
ઉત્ત૨:- દરેક વ્યક્તિ જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે પોતપોતાનો ફાળો આપી શકે છે. જેમ કે, કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ, જો આજુબાજુ કચરાપેટી ન હોય તો કચરો ઘરે લઈ જઈને ત્યાં કચરાપેટીમાં નાખવો જોઈએ. શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ . જ્યાં ત્યાં થુંકવું જોઈએ નહીં. દરેક વ્યક્તિની પહેલ કે પ્રતિનિધિત્વ વિશાળ ફેરફાર સર્જી શકે છે . લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે.
ઉત્તર:- સિવેઝ એ ઘરો , ઉઘોગો , હોસ્પિટલો , કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી છે.તેમાં કાર્બનિક ઘટકો અને અકાર્બનિક અશુદ્ધિઓનો સમાવેશ થાય છે.
63. વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતાં બારસ્ક્રીનનાં કાર્યો સમજાવો .
ઉત્તર:- પ્રદૂષિત પાણીને બારસ્ક્રીનમાંથી પસાર કરતાં પ્રદૂષિત પાણીમાંથી મોટી વસ્તુઓ જેવી કે , ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, કપડાના ટુકડા વગેરે દૂર કરી શકાય છે.
ઉત્તર:- ખુલ્લી ગટરોમાંથી નીકળતા પાણીની દુર્ગંધ, કાદવથી ભરેલા રસ્તા તેમજ માખીઓ , મચ્છરો અને અન્ય કીટકો પ્રજનને પામવાથી બિનઆરોગ્યપ્રદ અને અસ્વસ્થ કરનારી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. એક જાગૃત નાગરિક તરીકે આવી પરિસ્થિતિઓની જાણ મ્યુનિસીપાલિટી અથવા ગ્રામ પંચાયતને કરી તેમને યોગ્ય પગલાં લેવા દબાણ ક૨વું જોઈએ.
66. સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો .
ઉત્તર:- કચરાનો યોગ્ય નિકાલ, સ્વાસ્થ્ય પ્રદ ટેવો , પીવાનું શુદ્ધ પાણી વગેરે રોગોને ફેલાવવાની શક્યતાને ઘટાડે છે, પરંતુ નબળી સફાઈ અને દૂષિત પીવાનાં પાણી દ્વારા વિવિધ પ્રકારના રોગો થવાની શક્યતા વધે છે. જેમ કે, ગટરના ગંદા પાણી બહાર આવે તો મચ્છર, માખીઓ, કીટકો વગેરેનો ઉપદ્રવ વધે છે, ગટરના ગંદા પાણી પીવાના પાણી સાથે ભળે તો કોલેરા, ટાઇફોઇડ, કમળો વગેરે જેવા રોગો ફેલાય છે. આમ, સ્વચ્છતા અને રોગો વચ્ચે સીધો સંબંધ છે.