1. સાયકલ ને જરૂર પડે ત્યારે બ્રેક મારતાં તે ધીમી પડે છે.
ઉત્તર : ખરું
2. ગતિ કરતી સાઇકલને બ્રેક મારતાં સાઇકલ શા માટે અટકી જાય છે?
ઉત્તર : સાઇક્લને બ્રેક મારતાં બેક – પેડ પૈડાંની સાથે ભૌતિક સંપર્કમાં આવે છે. જેના કારણે બેક – પેડ અને સાઇકલના પૈડાં વચ્ચે ઘર્ષણબળ ઉત્પન્ન થાય છે જેથી સાઇકલની ગતિ ધીમી પડે છે અને સાઇકલ અટકી જાય છે.
3. વ્યાખ્યા આપો : ઘર્ષણ બળ
ઉત્તર : કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતાં પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે.
4. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે____નો વિરોધ કરે છે.
ઉત્તર : સાપેક્ષગતિ
5.____ એ ગબડતા બોલની ગતિનો વિરોધ કરે છે.
ઉત્તર : ઘર્ષણ બળ
6. ઘર્ષણ ગતિમાન પદાર્થની ગતિની___ દિશામાં લાગે છે.
ઉત્તર : વિરુદ્ધ
7. કોઈ પુસ્તકની ડાબી બાજુએથી બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ____ બાજુએ લાગે છે.
ઉત્તર : જમણી
8. પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે ઘર્ષણ બળ કાર્ય કરે છે.
ઉત્તર : ખરુ
9. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરે છે.
ઉત્તર : ખરું
10. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું _____ છે.
ઉત્તર : ખરબચડાપણું
11. જો બે સપાટી અનિયમિત આકારની હોય તો ઘર્ષણ …
ઉત્તર : વધારે
12. ઘર્ષણ સપાટીઓના____પર આધાર રાખે છે.
ઉત્તર : પ્રકાર
13. ઘર્ષણ બળ બધી સપાટી માટે સમાન છે.
ઉત્તર : ખોટું
14. ઘર્ષણ બળ સપાટીઓની જાત પર આધાર રાખે છે, તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
સાધન – સામગ્રી : ઈટ, સ્પ્રિંગકાંટો,પોલિથીન,શણનો ટૂકડો,દોરી.
નિર્ણય : પોલીસની વીંટળાયેલી ઇટ ને સહેલાઈથી ખેંચી શકાય છે. જેમ સપાટી વધુ લીસી તેમ ઘર્ષણ બળ ઓછું અને સપાટી વધુ ખરબચડી તો ઘર્ષણ બળ વધુ.
15. ભોંયતળિયા પર મૂકેલ ચટાઈને ગતિ કરાવવી સહેલી છે,પણ તે ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો ગતિ કરાવવી અઘરી છે શા માટે?
ઉત્તર : બે સપાટીઓ વચ્ચેના જોડાણને લીધે ઘર્ષણ બળ ઉદ્ભવે છે. બે સપાટીઓ વચ્ચેનું જોડાણ જેટલું વધું તેટલું ઘર્ષણ બળ વધુ ભોંયતળિયા પર મૂકેલી ચટાઈ અને ભોંયતળિયાની સપાટી વચ્ચેનું જોડાણ નબળું હોવાથી તેમની વચ્ચે ઘર્ષણ ઓછું લાગે છે. જેથી તેને સરળતાથી ગતિ કરાવી શકાય છે. જયારે ચટાઈ પર કોઈ વ્યક્તિ બેસે તો તેના વજનને લીધે બંને સપાટી એકબીજા સાથે વધુ સખત રીતે જોડાય છે જેથી તેમનું જોડાણ મજબૂત થતાં ઘર્ષણ બળ વધે છે. જેના કારણે ચટાઈને સહેલાઈથી ખસેડી શકાતી નથી.
16. આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર, ભોંયતળિયા પર બિછાવેલા સમાચાર પત્ર પર અને ટુવાલ પર ચલાવે છે, તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે?
(A) આરસનું ભીનું ભોંયતળિયું,આરસનું સૂકું ભોંયતળિયું, સમાચાર પત્ર, ટુવાલ
(B) સમાચાર પત્ર, ટુવાલ, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું સમાચાર પત્ર,
(C)આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું
(D) આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, ટુવાલ, સમાચાર પત્ર
ઉત્તર : A
17. આકસ્મિક રીતે આરસપહાણવાળા ભોંયતળિયા પર સાબુવાળું પાણી ઢોળાયેલું હોય તો તમારા માટે ભોંયતળિયા પર ચાલવું સરળ બનશે કે વધુ મુશ્કેલ બનશે? શા માટે?
ઉત્તર : સાબુવાળું પાણી ઢોળાયેલું હોય તેવા આરસપહાણના ભોંયતળિયા પર ચાલવું વધુ મુશ્કેલ બને છે. સાબુના પાણીને કારણે આરસનું ભોંયતળિયું વધુ લીસું બને છે. લીસી સપાટી વડે ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય છે. આથી, જયારે આપણે ચાલીએ ત્યારે પગ અને ભોંયતળિયાની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થાય છે પરિણામે યોગ્ય પકડ જાળવી શકાતી નથી અને લપસી પડાય છે.
18. ધારો કે તમે લખવાના ડેસ્ક (desk) ને થોડું નમાવો છો, તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો.
ઉત્તર : પુસ્તક નમેલા ડેક્સ પર નીચેની તરફ સરકે છે. આથી ઉત્પન્ન થતું ઘર્ષણ બળ તેની ગતિનો વિરોધ કરે તે રીતે ડેસ્કની સપાટી પર બનેલ ઢાળની ઉપર તરફ લાગે છે.
19. સ્થિત ઘર્ષણ બળ કોને કહે છે?
ઉત્તર : કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે.
20. સરકતું ઘર્ષણ બળ એટલે શું?
ઉત્તર : કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે.
21. સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે?
ઉત્તર : પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. જયારે પદાર્થને તેની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. ઘર્ષણ એ બે સપાટીઓના જોડાણ (Interlocking) ને કારણે લાગે છે. સ્થિત ઘર્ષણના કિસ્સામાં સપાટીઓ વચ્ચેનું જોડાણ મજબૂત હોય છે. જયારે સરકતા ઘર્ષણના કિસ્સામાં સરકતા પદાર્થની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. પરિણામે તેમની વચ્ચેનું જોડાણ નબળું હોય છે. આમ, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ ઓછું હોય છે.
22. સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં___હોય છે.
ઉત્તર : વધારે
23. ઘર્ષણ ઉદ્દભવવાનાં મુખ્ય બે કારણો જણાવો.
ઉત્તર : (1) ભૌતિક સંપર્કમાં રહેલી સપાટી પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતાઓ
(2) સપાટીઓ પર લાગતું દબાણ. સરળ છે.
24. કારણ આપો : પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે.
ઉત્તર : સ્થિર પદાર્થ અને તેની નીચેની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણ લાગે છે જયારે ગતિમાન પદાર્થ અને તેની નીચેની સપાટી વચ્ચે સરતું ઘર્ષણ લાગે છે. સરકતા ઘર્ષણ કરતાં સ્થિત ઘર્ષણનું મૂલ્ય વધુ હોય છે. પરિણામે, પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે.
25. જો કોઈ ઘર્ષણ ન હોય તો કાચને પકડી રાખવો શક્ય છે.
ઉત્તર : ખોટુ
26. જો ઘર્ષણ ન હોય તો શું થાય?
ઉત્તર : ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. આથી, જો ઘર્ષણ ન હોય તો રસ્તા પર સરળતાથી ચાલી ન શકાય, વારેવારે લપસી પડાય, પેન કે પેન્સિલથી નોટમાં કે ચોક્ થી બ્લેકબોર્ડ પર લખી ન શકાય. ઘર્ષણના અભાવે દીવાલમાં ખીલી પણ ન ઠોકી શકાય. ઘર્ષણ ન હોય તો ગતિમાન વસ્તુની ગતિ અટકે નહીં તેમજ ગતિ કરતાં વાહનોને રોકી ન શકાય. ઘર્ષણ વગર ઇમારત નું બાંધી શકાય.
27. ઘર્ષણ ન હોય તો પણ પેન દ્વારા લખી શકાય છે.
ઉત્તર : ખોટુ
28. જો ઘર્ષણ ન હોય તો કોઈ વાહન ગતિમાં હોય તો તેને રોકી શકાય કે ના રોકી શકાય? કેમ?
ઉત્તર : ઘર્ષણ ન હોય તો ગતિમાં રહેલા વાહનોને રોકી ના શકાય. બ્રેક મારતા પૈડાં અને બ્રેક સિસ્ટમ વચ્ચે ઘર્ષણ બળના કારણે વાહનની ગતિ ધીમી પડે છે. આથી જે ઘર્ષણ ન હોય તો વાહનની ગતિ ધીમી ન પડે પરિણામે તેને રોકી ન શકાય.
29. ઘર્ષણ વિના કોઈ ઇમારત બાંધી શકાતી નથી.
ઉત્તર : ખરું
30. ઘર્ષણ કેવી રીતે હાનિકારક છે, જણાવો.
ઉત્તર : ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. ઘર્ષણને લીધે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા વધુ બળ લગાડવું પડે છે. યંત્રોમાં ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જેનાથી થોડી ઊર્જા વેડફાય છે. વળી આ કારણે યંત્રોના ભાગને ઘસારો લાગે છે. ઘર્ષણને લીધે પદાર્થની ગતિ ધીમી પડે છે. આમ, ઘર્ષણ ઘણી બધી રીતે હાનિકારક છે.
31. ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તે દર્શાવતાં ત્રણ ઉદાહરણો આપો.
ઉત્તર :
(3) મિક્સરને ચલાવવાથી તેનું જાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે ગરમ થાય છે.
32. મિક્સરને વધુ સમય ચાલુ રાખતાં ____તે થાય છે.
ઉત્તર : ગરમ
33. ઘર્ષણ____ ઉત્પન્ન કરે છે.
ઉત્તર : ઉષ્મા
34. દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે.
ઉત્તર : ઘર્ષણ તેના ફાયદાના કારણે આપણો મિત્ર કહેવાય છે. જેમ કે, ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. ઘર્ષણને લીધે પેન પેન્સિલ વડે નોટમાં લખી શકાય છે. ઘર્ષણને લીધે દીવાલમાં ખીલી ઠોકી શકાય છે. તેમજ ઇમારત પણ બાંધી શકાય છે. ઘર્ષણ દ્વારા થતા ગેરફાયદાને લીધે ઘર્ષણને આપણો શત્રુ કહે છે. જેમ કે, ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. યંત્રોમાં ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જેના કારણે યંત્રોના ભાગમાં ઘસારો થાય છે. ઘર્ષણને કારણે ગતિમાન પદાર્થની ગતિ ધીમી પડે છે. આમ, ઘર્ષણના ફાયદા અને ગેરફાયદાને લીધે તે આપણો મિત્ર અને શત્રુ બંને છે.
35. કારણ આપો : લાંબો સમય વાપર્યા બાદ બૂટ – ચંપલનાં તળિયાં લપસણાં બને છે.
ઉત્તર : ચાલતી વખતે બૂટ-ચંપલનાં તળિયા અને જમીન વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. લાંબા સમયના વપરાશ બાદ આ ધર્ષણ કારણે બૂટ – ચંપલના તળિયા ઘસાઈ જાય છે અને લીસા બને છે. લીસા તળિયા અને જમીન વચ્ચેનું ઘર્ષણબળ ઓછું હોય છે. જેથી બૂટ – ચંપલના તળિયા લપસણા બની જાય છે.
36. ઘર્ષણ વધારવા બૂટ – ચંપલનાં તળિયાં ખાંચાવાળાં હોય છે.
ઉત્તર : ખરું
ઉત્તર : ટાયરોમાં ખાંચ વધવાથી તેનું રસ્તા સાથેનું જોડાણ વધુ મજબૂત બને છે. રસ્તા સાથેનું ઘર્ષણ વધે છે. પરિણામે, વાહન રસ્તા પર સ્લિપ થતાં નથી અને સારી રીતે ચાલે છે. આથી જ, કાર, ટ્રક અને બુલડોઝરનાં ટાયરો ખાંચાવાળાં હોય છે.
38. બ્રેક સિસ્ટમમાં બ્રેક-પેડનો ઉપયોગ શા માટે થાય છે? તે કેવી રીતે કામ કરે છે?
ઉત્તર : બ્રેક સિસ્ટમમાં બેક – પેડનો ઉપયોગ વાહનની ગતિ ધીમી કરવા માટે થાય છે. બેક – પેડ સામાન્ય સ્થિતિમાં ટાયરને સ્પર્શતા નથી પરંતુ બ્રેક લીવર દબાવતાં બેક – પેડ પૈડાંની કોરના સંપર્કમાં આવે છે જેથી ઉત્પન્ન થતાં ઘર્ષણને લીધે તે વાહનની ગતિને ધીમી કરે છે અને અંતે ગતિ કરવાનું બંધ કરે છે, વાહન સરળતાથી ઊભું રહે છે.
39. બેક – પેડ પૈડાંની કોરને અડતાં ઘર્ષણ ઓછું થાય છે.
ઉત્તર : ખોટુ
40. કબડ્ડીના ખેલાડીઓ તેમના વિરોધી ખેલાડીઓને પકડવા માટે અને પકડ વધારવા શું કરે છે?
ઉત્તર : માટીવાળા હાથ
41. કારણ આપો : કસરતબાજ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે.
ઉત્તર : કસરતબાજ કસરત કરતી વખતે કોઈ વસ્તુને પકડીને કસરત કરતો હોય છે. હાથ પર બરછટ પદાર્થ લગાડવાથી ખરબચડાપણું વધે છે. જેથી ઘર્ષણ વધે છે આથી વસ્તુ સાથેની પકડ મજબૂત બને છે જેથી તે લપસી પડતો નથી. આથી, કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ પર બરછટ પદાર્થ લગાવે છે.
42. રમતવીરો ખીલીઓવાળા (સ્પાઇક) બૂટ કેમ પહેરે છે? સમજાવો.
ઉત્તર : રમતવીરોના બૂટ ખીલીઓવાળા હોવાથી તેના તળિયાની સપાટી ખરબચડી બને છે. ખરબચડી સપાટીના કારણે ઘર્ષણ વધુ ઉત્પન્ન થાય છે, તેથી ખેલાડી દોડતી કે રમતી વખતે લપસી જતો નથી. માટે રમતવીરો ખીલીઓવાળા (સ્પાઇક) બૂટ પહેરે છે.
43. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.
ઉત્તર : જુદી – જુદી જગ્યાએ ઘર્ષણ ઘટાડવા જુદા – જુદા ઉપાયો કરવામાં આવે છે. દા.ત. કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું કરી શકાય છે. દરવાજા કે બારીના મિજાગરામાં તેલનાં થોડાં ટીપાં નાખવાથી મિજાગરામાં થતું ઘર્ષણ ઘટે છે. સાઇકલ તથા મોટર રીપેર કરનારા કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે. જેથી ઘર્ષણ ઓછું થાય છે અને તેમની ક્રિયાશીલતા વધે છે. યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાવીને ઘર્ષણ ઘટાડવામાં આવે છે. જયાં તેલ કે ગ્રીસનો ઉપયોગ કરી શકાય તેમ ન હોય તેવા ભાગોમાં ઘર્ષણ ઘટાડવા હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે.
44. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ___થઈ જાય છે.
ઉત્તર : ઓછું
45. ઊંજણ એટલે શું?
ઉત્તર : ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. દા.ત. તેલ, ગ્રીસ, ગ્રેફાઈટ, હવા.
46. સાઇક્લ કે યંત્રોના ફરતા ભાગોમાં કિચૂડ-કિચૂડ અવાજ બંધ કરવા ઊંજણ કરવું જોઈએ.
ઉત્તર : ખરુ
47. સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? કેમ?
ઉત્તર : સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ તેલનો ઉપયોગ થાય છે. કારણકે સિલાઈ મશીનમાં તેલ નાખવાથી મશીનના ગતિશીલ ભાગોમાં તેલ પહોંચવાથી ત્યાં તેલનું સ્તર બને છે, જેનાથી સંપર્ક સપાટીમાં ઘટાડો થાય છે. પરિણામે, ઘર્ષણ ઘટે છે.
48. ગ્રીસને વાહનોના ગતિશીલ ભાગ વચ્ચે લગાવવાથી શું થશે અને તે કેવી રીતે કાર્ય કરશે?
ઉત્તર : વાહનોના ગતિશીલ ભાગ વચ્ચે ગ્રીસ લગાવવાથી ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસનું એક પાતળું સ્તર બને છે, જેથી ગતિશીલ ભાગોની સપાટીઓ એકબીજા સાથે સીધા સંપર્કમાં આવતી નથી પરિણામે તેમને ઘસારો ઓછો લાગે છે તેમજ વાહન પણ સરળતાથી ચાલે છે.
49. મશીનોમાં વધારે ઊંજણ ઉપયોગ કરતાં ઘર્ષણ શૂન્ય થાય છે કે નહીં? સમજાવો.
ઉત્તર : મશીનોમાં વધારે ઊંજણનો ઉપયોગ કરવા છતાં ઘર્ષણ શૂન્ય થતું નથી. કારણકે, કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી, તેમાં થોડી અનિયમિતતાઓ તો હંમેશાં હોય છે. આથી ઘર્ષણને કદાપિ શૂન્ય કરી શકાતું નથી.
50. ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો.
ઉત્તર : ઘણી વખત ઘર્ષણ વધારવું પણ જરૂરી હોય છે. આ માટે જુદી – જુદી પરિસ્થિતિમાં જુદી – જુદી રીતે ઘર્ષણ વધારવામાં આવે છે. દા.ત. બૂટ – ચંપલના તળિયાં ખાંચાવાળા બનાવવામાં આવે છે. જેથી જમીન સાથેની તેની પકડ મજબૂત બને. આ જ કારણથી વાહનોના પૈડાં અને જમીન વચ્ચે ઘર્ષણ વધારવા વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. વાહનોની એક પ્રણાલીમાં બેક – પેડનો ઉપયોગ કરીને ઘર્ષણ વધારવામાં આવે છે. કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી લગાવે છે. કસરતબાજ કસરત કરતી વખતે વસ્તુ પરની પોતાની પકડ મજબૂત બનાવવા ઘર્ષણ વધારવા હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે.
51. કારણ આપો : ઘર્ષણ પૂરેપૂરું દૂર કરી શકાતું નથી.
ઉત્તર : ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંજણને કારણે જે – તે સપાટી થોડી વધુ લીસી બને છે. પરંતુ હકીકતમાં કોઈ જ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી. તેમાં થોડી અનિયમિતતાઓ રહેલી જ હોય છે. આથી આ અનિયમિતતાઓને લીધે ઘર્ષણ કદાપી પૂરેપૂરું દૂર થતું નથી.
52. સંપૂર્ણ લીસી સપાટી બનાવી શકાય.
ઉત્તર : ખોટું
53. બૅગની નીચે રોલર લગાવવાથી શું થાય છે?
ઉત્તર : ઘર્ષણ ઘટી જાય
54. રોલિંગવાળી બૅગને ખેંચવી બહુ જ મુશ્કેલ છે.
ઉત્તર : ખોટું
55. ભારે મશીનોને લાકડાના નળાકાર ભાગો પર કેમ રાખવામાં આવે છે?
ઉત્તર : ભારે મશીનોને લાકડાના નળાકાર ભાગો પર રાખવાથી મશીનને તેના પર ગબડાવવુ સરળ બને છે. લાકડાનાં નળાકાર ભાગો રોલર તરીકેનું કાર્ય કરી લોટણ ઘર્ષણ ઉત્પન્ન કરે છે જેનું પ્રમાણ ઓછું હોવાથી ભારે મશીનોને ખસેડવામાં સરળતા રહે છે.
56. વ્યાખ્યા આપો : લોટણ ઘર્ષણ
ઉત્તર : જયારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે. ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે.
57. સ્લાઇડિંગ ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં____ હોય છે.
ઉત્તર : વધારે
58. ____ના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધોમાં ગણવામાં આવે છે.
ઉત્તર : પૈડું
59. જુદાં જુદાં ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સ્પષ્ટ કરો.
ઉત્તર : સરકતા ઘર્ષણ કરતાં લોટણ ઘર્ષણનું મૂલ્ય ઓછું હોય છે. આથી, વસ્તુને સરકાવવા કરતાં ગબડાવવી વધુ સરળ રહે છે. જુદી જુદી વસ્તુઓમાં જુદી – જુદી રીતે લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડાય છે. દા.ત. સૂટકેશ અને ભારે સામાન સાથે પૈડાં લગાવવામાં આવે છે. મશીનોમાં સરકતાં ઘર્ષણના સ્થાને બોલ – બેરિંગનો ઉપયોગ કરી લોટણ ઘર્ષણ ઉત્પન્ન કરવામાં આવે છે. પંખા અને સાઇકલમાં ધરી અને કેન્દ્ર વચ્ચે બૉલ – બેરિંગ વાપરવામાં આવે છે.
60. બૉલ – બેરિંગનો ઉપયોગ જણાવો.
ઉત્તર : બૉલ – બેરિંગ દ્વારા સરકતાં ઘર્ષણને લોટણ ઘર્ષણમાં બદલવામાં આવે છે. પંખા અને સાઇકલમાં ધરી અને કેન્દ્ર વચ્ચે બોલ – બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
61. હવા, પાણી અને બીજું પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લગાડે છે.
(A) બળ
ઉત્તર : B
62. તરલ એટલે શું?
ઉત્તર : જે વહી શકે તેને તરલ કહે છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે.
63. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે?
ઉત્તર : તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણ બળનો આધાર વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર છે.
64. વ્યાખ્યા આપો : ઘસડાવું
ઉત્તર : તરલો દ્વારા લગાડવામાં આવતાં ઘર્ષણબળને ઘસડવું કહે છે.
65. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણબળ એ વસ્તુની તરલની સાપેક્ષ પર આધાર રાખે છે.
ઉત્તર : ઝડપ
66. પદાર્થનો આકાર બદલવાથી પ્રવાહી કે વાયુમાં તેનું ઘર્ષણ ઘટાડી શકાય.
ઉત્તર : ખરું
67. તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો.
ઉત્તર : વાયુ અને પ્રવાહી વહી શકે છે, આથી તે તરલ છે. વાયુઓ કે પ્રવાહીમાં એટલે કે તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર તરલ દ્વારા લાગતાં ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણબળને ઘસડાવું કહે છે. તરલ ઘર્ષણનો આધાર ત્રણ બાબતો પર રહેલો છે.