૧. વનનાબૂદી એટલે શું?
ઉત્તરઃ વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે તેને વનનાબૂદી કહે છે .
૨.વનનાબૂદીનાં કારણો જણાવો.
ઉત્તરઃ વનનાબૂદીનાં કારણોમાં ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી,ઘર તેમજ કારખાનાંઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા બળતણ માટે લાકડાંનો ઉપયોગ કરવો વગેરેનો સમાવેશ થાય છે.
૩.________તેમજ _______કુદરતી વનનાબૂદીનાં કારણો છે.
ઉત્તર: કુદરતી આગ, દુષ્કાળ
૪. વનનાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે થાય છે? તે સમજાવો.
ઉત્તર : વનનાબૂદીના કારણે વૃક્ષોની સંખ્યા ઘટે છે. ઓછાં વૃક્ષોનો અર્થ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તાપમાનમા. વાતાવરણમાં રહેલ Co,પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે.આથી,પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે કે ગ્લોબલ વૉર્મિંગ સર્જાય છે.તેના કારણે પૃથ્વીના જલચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે.
૫. દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ શાના કારણે થાય છે?
ઉત્તર : વનનાબૂદીથી ઓછાં વૃક્ષોને કારણે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થાય,જેથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે.કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે.એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિગ થાય છે.પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે,જેના કારણે દુષ્કાળની પરિસ્થિતિ આવે છે.
૬. ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો શું થાય?
ઉત્તર : વનસ્પતિ ભૂમિનું રક્ષણ કરતું આવરણ છે.વૃક્ષોની માત્રા ઘટવાથી વરસાદ અને પવનના કારણે સેન્દ્રિય પદાર્થો અને હળવા કણો ઉપરના આવરણમાંથી દૂર થાય છે.જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જમીન પડતર બને છે.
૭. રણનિર્માણ એટલે શું?
ઉત્તર: ભૂમિ પર વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી પવન,વરસાદ અને બરફના કારણે થતું ધોવાણ વધે છે.સખત પથ્થર ધરાવતાં સ્તરો ખુલ્લા થવાથી જમીનના નિર્માણ સમયે રેતીના કણોનું પ્રમાણ ક્રમશ : વધે છે તથા માટી અને સેન્દ્રિયપદાર્થોનું પ્રમાણ ઘટે છે. આમ, રણનું નિર્માણ શરૂ થાય છે.
8. વનનાબૂદીના કારણે ભૂમિ પર થતી અસરો જણાવો.
ઉત્તર : ભૂમિના ગુણધર્મો જેવા કે,પોષક તત્ત્વો,બંધારણ વગેરે પર વનનાબૂદીની અસર થાય છે.ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે.ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ દૂર થતાં ભૂમિમાં રહેલા સેન્દ્રિય પદાર્થો તેની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે.જેથી દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. રણવિસ્તારમાં વધારો થાય છે.
9 . આપણે વૃક્ષો કાપતાં રહીશું તો શું થશે?
ઉત્તર : આપણે વૃક્ષો કાપતા રહીશું તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે.વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે.ઓછાં વૃક્ષોને કારણે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થશે. જેથી વાતાવરણમાં તેની માત્રા વધી જશે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. એટલે તેની માત્રા માં વધારે પરિણામે ગ્લોબલ વોર્મિંગ થશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. વૃક્ષોના અભાવમાં વાતાવરણીય પ્રદૂષણમાં વધારો થશે.
10. નીચે આપેલા મુદ્દા પર વનનાબૂદીની અસરો જણાવો :
(1) વન્ય પ્રાણીઓ:
(2) પર્યાવરણ :
(3) ગામડાંઓ :
(4) શહેર :
(5) પૃથ્વી :
(6) આવનારી પેઢી :
11. જીવાવરણ એટલે શું?
ઉત્તરઃ જીવાવરણ એટલે પૃથ્વીનો એવો ભાગ કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે.
12. જૈવવિવિધતા એટલે શું?
ઉત્તર : જૈવવિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ,પ્રાણીઓ અને જીવોની વિભિન્ન પ્રજાતિઓનો સમૂહ.
13. આપણે જેવવિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
ઉત્તર : જૈવવિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ,પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓનો સમૂહ.જે બધું જ એકબીજા સાથે જોડાયેલું હોય છે.તેમાંથી કોઈ પણનો નાશ સમગ્ર જૈવ વિવિધતા માટે નકારાત્મક બને છે.જો વનસ્પતિનું પ્રમાણ ઘટે તો વાતાવરણમાં 02,Co2,તાપમાન,ભેજનું પ્રમાણ જળવાઈ રહે નહીં. જમીનની ફળદ્રુપતા જાળવવા તથા ભૂ–જૈવ રાસાયણિક ચક્ર ચલાવવા સૂક્ષ્મ જીવો જરૂરી છે.નિવસનતંત્રમાં ગોઠવાયેલી આહારજાળમાં તમામ સજીવ ઘટકો જરૂરી છે.
14. સુરક્ષિત ક્ષેત્ર એટલે શું?ટૂંકમાં સમજાવો.
ઉત્તર : વનસ્પતિઓ,પ્રાણીઓ અને તેમના નિવાસોનાં સંરક્ષણ માટે આ નિવાસોને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. જેને અભયારણ્ય,રાષ્ટ્રીય ઉધાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે.અહીં વૃક્ષારોપણ,ખેતી,ચરવું , વૃક્ષોની કાપણી અને શિકાર પર પ્રતિબંધ હોય છે.
15. સુરક્ષિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે?
(A) અભયારણ્ય
ઉત્તર : (D) આપેલ તમામ
16. જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં કઈ ક્રિયાઓ પર પ્રતિબંધ છે?
ઉત્તર : જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં ખેતી,ચરાઈ,વૃક્ષોની કાપણી,પ્રાણીઓનો શિકાર વગેરે જેવી ક્રિયાઓ પ્રતિબંધિત છે.
17. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
ઉત્તરઃ રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર છે.જયાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે.
18. અભયારણ્ય એટલે શું?
ઉત્તર અભયારણ્ય એટલે એવો વિસ્તાર જયાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે.
19. જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું?
ઉત્તર : જૈવ આરક્ષિત વિસ્તાર એટલે વન્ય જીવો,વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવનપર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર.
20. ગુજરાતમાં_____ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.
ઉત્તર : ગીર
21. ગુજરાતમાં આવેલાં અભયારણ્યોનાં નામ લખો.
ઉત્તર : ગીર અભયારણ્ય,વેળાવદર,નળસરોવર–પક્ષી અભ્યારણ્ય,જાંબુઘોડા અભયારણ્ય,ખીજડિયા અભયારણ્ય,ધુડખર અભ્યારણ્ય.
22. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?
(A) કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન – ઉત્તરાખંડ
(C) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન – રાજસ્થાન
ઉત્તર : (D)સુલતાનપુર રાષ્ટ્રીય
23. ભાવનગર પાસે વેળાવદર કયા પ્રાણી માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે?
ઉત્તર : કાળિયાર
24. નીચેનામાંથી કયું પક્ષી અભયારણ્ય છે?
(A) નળસરોવર
ઉત્તર : (A) નળસરોવર
25. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં છે?
ઉત્તર : જમ્મુ – કાશ્મીર
26. ભારતના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રોનાં નામ લખો.
ઉત્તર : (1) ગ્રેટ રણ ઓફ કચ્છ (ગુજરાત) (2) ગલ્ફ ઓફ મનાર (તામિલનાડુ) (3) પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર (4) સુંદરવન (પશ્ચિમ બંગાળ) ભારતનાં મહત્ત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.
27. કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની_____ તેમજ____ને જાળવી રાખવામાં સહાયક હોય છે.
ઉતર: જૈવ વિવિધતા, સંસ્કૃતિ
28.____ જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે.
ઉત્તર :પંચમઢી
29. પંચમઢી જૈવ આરક્ષણ ક્ષેત્ર વિશે નોંધ લખો.
ઉત્તર : પંચમઢી જૈવ આરક્ષણ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારનાં પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે.આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે.તેમાં સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના વન્ય પ્રાણી અભયારણ્ય આવેલાં છે.
30. જૈવ વિવિધતાનો નાશ શેના કારણે થાય છે?
ઉત્તર : (1) વનનાબૂદી (2) ગ્લોબલ વોર્મિંગ (3) પ્રદૂષણ– હવા,પાણી,જમીન (4) કુદરતી આગ (5) દુષ્કાળ (6) ભૂમિના બંધારણમાં પોષક તત્ત્વોના ફેરફારના કારણે,જલસંગ્રહ ક્ષમતામાં ફેરફારના કારણે (7) માનવ દ્વારા પ્રાણી અને વનસ્પતિઓનો અમર્યાદિત અયોગ્ય ઉપયોગ (9) પ્રાકૃતિક ફેરફારો વગેરે જૈવ વિવિધતાના નાશ માટે જવાબદાર કારણો છે.
31. વનસ્પતિસૃષ્ટિ એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તરઃ કેટલીક વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે.આવા વિશિષ્ટ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓને વનસ્પતિસૃષ્ટિ કહે છે.ઉદાહરણ તરીકે સાલ,સાગ,આંબો,જાંબુડો,હંસરાજ,અર્જુન વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિસૃષ્ટિ છે.
32. પ્રાણીસૃષ્ટિ એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર : કેટલાક પ્રાણીઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જ જોવા મળે છે.આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓને પ્રાણીસૃષ્ટિ કહે છે. ઉદા.તરીકે ચિંકારા,નીલગાય,જંગલી કૂતરો,વરુ,દીપડો,ચિત્તલ,બાર્કિંગ ડીઅર (ભસતું હરણ) વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણીસૃષ્ટિ છે.
33. બાકિંગ ડીઅર પંચમઢી વિસ્તારની પ્રાણીસૃષ્ટિમાં જોવા મળે છે. (✔ કે X)
ઉત્તર : ✔
35. સ્થાનિક જાતિ એટલે શું?
ઉત્તર : વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે.
ઉત્તર : સાલ,જંગલી આંબો
37. પંચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રનાં સ્થાનિક પ્રાણીઓ જણાવો.
ઉત્તર : બાયસન (જંગલી બળદ),ભારતીય વિશાળ ખિસકોલી અને ઊડતી ખિસકોલી પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રનાં સ્થાનિક પ્રાણીઓ છે.
38. શું સ્થાનિક જાતિઓ પણ લુપ્ત થઈ શકે છે?કેમ?
ઉત્તર : સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે.સ્થાનિક જાતિઓ જયાં વસવાટ કરતી હોય તે નિવાસસ્થાનનો નાશ થવાથી,તે વિસ્તારમાં માનવવસતીનો વધારો થવાથી કે તેમના નિવાસસ્થાનમાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિઓના અસ્તિત્વને જોખમ પહોંચે છે.
39.______ એ સજીવોની વસતિનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરવા માટે સક્ષમ હોય છે.
ઉત્તર: જાતિ
40. એક જ જાતિના સભ્યો____ લક્ષણો ધરાવે છે.
ઉત્તર : સમાન
41. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? સમજાવો.
ઉત્તરઃ આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર કે જયાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. તેવા વિસ્તારોને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે.અભયારણ્યમાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.કેટલાંક સંકટમાં મૂકાયેલાં જંગલી પ્રાણીઓ જેવાં કે,કાળું હરણ,હાથી, સોનેરી બિલાડી,ઘડિયાળ,કાદવમાં રહેતો મગર,અજગર,ગેંડા વગેરે અભયારણ્યોમાં સુરક્ષિત છે.
42. લુપ્ત થતા જંગલી પ્રાણીઓ કે જે અભયારણ્યોમાં સુરક્ષિત છે,તેમનાં નામ જણાવો.
ઉત્તર : કાળું હરણ,હાથી,સોનેરી બિલાડી,ગુલાબી શીર્ષવાળુ બતક,ઘડિયાળ,કાદવમાં રહેતો મગર,અજગર, ગેંડા વગેરે જેવાં પ્રાણીઓ અભયારણ્યમાં સુરક્ષિત છે.
43. ભારતીય અભયારણ્યોમાં કેવા વિસ્તારોનો સમાવેશ થાય છે?
ઉત્તર ભારતીય અભયારણ્યોમાં મોટાં સપાટ જંગલો,પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખત્રિકોણ પ્રદેશની ઝાડીવાળી જમીન અથવા ઝાડીઓ વગેરેનો સમાવેશ થાય છે.
44. શા માટે સુરક્ષિત જંગલો વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી?
ઉત્તર : સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી. કારણ કે, તેની આસપાસના ક્ષેત્રમાં વસવાટ કરતા લોકો તેનો અતિ ઉપયોગ કરી તેને હાનિ પહોંચાડે છે.
45. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? સમજાવો.
ઉત્તર : પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત આરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે.તે વનસ્પતિજાત,પ્રાણીજાત,ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. ઉદા.તરીકે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે.આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ આવેલા છે.તેમાં ગુફાઓ પણ આવેલી છે.
46._______ , રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે.
ઉત્તર: સાતપુડા
47. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. (✔ કે X)
ઉત્તર✔
48. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં____ પણ આવેલ છે.
(A) ખડકોનાં મકાન
ઉત્તર : (D) આપેલ તમામ
49. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં____ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે.
ઉત્તર : 55
50. સરકારે વાધના સંરક્ષણ માટે____ અમલમાં મૂક્યો છે.
ઉત્તર : પ્રૉજેક્ટ ટાઇગર
51. પ્રૉજેક્ટ ટાઇગરનો ઉદ્દેશ જણાવો.
ઉત્તર : પ્રોજેક્ટ ટાઇગરનો ઉદેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસતિની જાળવણી કરવાનો છે.
52. સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. (✔ કે X)
ઉત્તર✔
53. નાશ : પ્રાય જાતિ એટલે શું?
ઉત્તર : એવાં પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે.અને તે લુપ્ત થઈ શકે છે તેવાં પ્રાણીઓને નાશ : પ્રાય જાતિ કહે છે.
54. ડાયનોસોર લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયાં. (✔ કે X)
ઉત્તર✔
55. કારણ આપો : નાનાં પ્રાણીઓને મારવાં ન જોઈએ.
ઉત્તર : આવાં પ્રાણીઓ કદમાં નાનાં હોવા છતાં તેઓ નિવસનતંત્રની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. નિવસનતંત્રમાં તેઓ આહાર જાળ અને આહાર શૃંખલાની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે.કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ,પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવ અને અજૈવ ધટકો ભેગા મળીને નિવસનતંત્રનું નિર્માણ કરે છે.આમ,બધાં જ પરસ્પર આધારિત હોય છે;માટે નાનાં પ્રાણીઓને મારવાં ન જોઈએ.
56. પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનમાં અડચણ સર્જાય તો શું થાય?
ઉત્તરઃ પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનમાં અડચણ સર્જાય તો પ્રાણીઓ માટે ખતરો ઊભો થાય છે.નાનાં કે મોટાં બધા જ પ્રાણીઓ એ આહારજાળ અને આહારશૃંખલાનો ભાગ છે.જો નિવાસસ્થાનમાં અડચણ સર્જાય તો પ્રાણીઓ સુરક્ષિત રીતે રહી શકતાં નથી.આથી,તેમની જાતિ માટે ખતરો ઊભો થાય છે.
57. નિવસનતંત્રનું નિર્માણ કેવી રીતે થાય છે?
ઉત્તર : કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ,પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસનતંત્રનું નિર્માણ કરે છે.
58. રેડ ડેટા બુક એટલે શું?
ઉત્તરઃ રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે,જેમાં બધી નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે.વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે.
59.____,___ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા હોય છે.
ઉત્તર : વનસ્પતિઓ , પ્રાણીઓ
60. પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી_______ પરિવર્તનના કારણે ઊડીને આવે છે.
ઉત્તર: વાતાવરણીય
61. પ્રવાસી પક્ષીઓ એટલે શું?
ઉત્તર : ઘણી વખત પક્ષીઓનું મૂળ નિવાસસ્થાન તેની આબોહવાકીય પરિસ્થિતિને કારણે ચોક્કસ થોડા સમય માટે ત્યાં રહેવા યોગ્ય હોતું નથી.આથી આવા વિસ્તારના પક્ષીઓ જે ઊડીને એક દેશમાંથી બીજા દેશમાં દૂરના અંતરની યાત્રા કરે છે,તેને સ્થળાંતરિય પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે.
62. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત_____ વૃક્ષોને કાપવામાં આવે છે.
ઉત્તર : 17
63. કાગળને 10 થી 12 વખત રિસાઇકલ કરી શકાય છે. (✔ કે X)
ઉત્તર: X
64. કારણ આપો આપણે કાગળનો બચાવ કરવો જોઈએ.
ઉત્તર : જો વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો,એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકાય છે.એ સિવાય કાગળ ઉત્પનાદનમાં વપરાતા પાણી તેમજ ઊર્જાની પણ બચત કરી શકાય છે.કાગળ ઉત્પાદનમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો કરી શકાય છે. ઘર,ઑફિસ,ઉદ્યોગ,પેકિંગ માટે વપરાતા કાગળનો બચાવ કરવાથી વૃક્ષો,વીજળી,પાણીની બચત થઈ શકે છે.
65. પુનઃવનીકરણનો ઉદ્દેશ જણાવો.
ઉત્તરઃ પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલાં વૃક્ષોની ઘટ પૂરી કરવા નવાં વૃક્ષોની રોપણી કરી જંગલવિસ્તાર વધારવાનો છે.
66. પુનઃવનીકરણમાં રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિનાં હોય છે,જે જંગલમાં જોવા મળતાં નથી. (✔ કે X)
ઉત્તર: X
67. આવનારી પેઢી પર વનનાબૂદીની અસર જણાવો.
ઉત્તર : આવનારી પેઢી પર વનનાબૂદીની અસરો આ મુજબ છે:
(1) વરસાદનું પ્રમાણ ઘટતાં પાણીની અછત સર્જાશે.
(2) જમીનનું બંધારણ સંતુલિત,ફળદ્રુપ ન રહેતાં પાક-ઉછેરમાં તકલીફ થાય.
(3) વનસ્પતિ ઘટવાથી વરસાદ ઘટે.
(4) તાપમાનમાં વધારો થાય.
(5) વાતાવરણમાં co નું પ્રમાણ વધે.
ઉત્તર : વનસંરક્ષણ અધિનિયમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે.તેમજ એવો ઉપાય કરવાનો છે,જેનાથી જંગલોમાં અને તેની આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે.